SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ “ભગવાઈ- ૧૫/-FI પર મની પ્રરુપણા કરે છે. તે આ પ્રમાણએ- ચરમપાનક, યાવતુ-સર્વ દુઃખનો અન્ત કરશે. વળી હે અચંપુલી તારા ધમાચાર્ય અને ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક શીતલ માટી પાણી વડે યાવતુ-શરીરને છાંટતા યાવતુ-વિહરે છે, તેમાં પણ તે ભગવાનું ચાર પાનક અને ચાર અપાનક પ્રપે છે. પાનક કેવા પ્રકારે છે? યાવતુ-ત્યાર પછી તે સિદ્ધ થાય છે, યાવતુ“સર્વ દુઃખોનો અત્ત કરે છે. તે માટે હે અયંપુલ! તું જા, અને આ તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક સંખલિપુત્ર ગોશાલકને આવા પ્રકારનો આ પ્રશ્ન પૂછશે.” ત્યાર બાદ તે અચંપલ આજીવિક સ્થવિરોએ એ પ્રમાણે કહ્યું એટલે હષ્ટ અને સંતુષ્ટ થઈ ઉઠ્યો, ઉઠીને ત્યાં મખલિપુત્ર ગોશાલક હતો ત્યાં જવા તેણે વિચાર કર્યો. ત્યારે તે આજીવિક સ્થવિરોએ મંખલિપુત્ર ગોશાલકને આમ્રફલ એક સ્થળે મૂકાવવા માટે સંકેત કર્યો. ત્યાર પછી તે આજીવિકોપાસક અચંપુલ જ્યા મંખલિપુત્ર ગોશાલક હતો ત્યાં આવી પંખલિપુત્ર ગોશાલકને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવતુ-પપાસના કરે છે. “અયંપુલ. ખરેખર તને મધ્યરાત્રિના સમયે યાવતુ તને સંકલ્પ થયો હતો, અને જ્યાં હું છું ત્યાં મારી પાસે તું શીધ્ર આવ્યો, ખરેખર આ વાત સત્ય છે ? હા સત્ય છે તે માટે ખરેખર આ આમ્રની ગોટલી નથી, પરંતુ તે આમ્રફળની છાલ છે.ત્યારબાદ મંખલિપુત્ર ગોશાલકે આવા પ્રકારનો આ પ્રશ્નનો ઉત્તર આપ્યો એટલે પ્રસન્ન-સંતુષ્ટ અને જેનું ચિત્ત આકર્ષિત થયું છે એવો આજીવિકોપાસક અલંપુલ સંખલિપુત્ર ગોશાલકને વંદનનમસ્કાર કરી પ્રશ્નો પૂછે છે, પ્રશ્નો પૂછીને અર્થ ગ્રહણ કરે છે, અર્થ ગ્રહણ કરી ઉઠી યાવતુતે પાછો જાય છે. ત્યારબાદ મંખલિપુત્ર પોતાનું મરણ (નજીક) જાણીને આજીવિ વિ રોને બોલાવ્યા, અને બોલાવી તેણે એ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! જ્યારે મને કાલધર્મ પ્રાપ્ત થયેલો જાણો ત્યારે સુગંધી ગન્ધોદક વડે ગ્નાન કરાવજો, છેડાવાળા અને સુકુમાળ, ગન્ધકાષાય વસ્ત્રવડે શરીરને સાફ કરો, સરસ ગોશીષચન્દનવડે શરીરને વિલેપના કરો, વિલેપન કરી મહામૂલ્ય હંસના ચિલવાળા પટશાટકને પહેરાવજો, સવલિંકારથી વિભૂષિત કરજો, હજાર પુરુષોથી ઉપાડવા લાયક શીબિકામાં બેસાડજો, શ્રાવસ્તી નગરીમાં શૃંગાટકના આકારવાળા યાવતુ-રાજમાર્ગમાં મોટા મોટા શબ્દથી ઉદધોષણા કરતા આ પ્રમાણે કહેજો-“એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિયો! મખલિપુત્ર ગોશાલક જિનજિનપ્રલાપી,યાવતુ-જિનશબ્દને પ્રકાશ કરતા વિહરીને આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર થઈને સિદ્ધ થયા, યાવતુ-સર્વદુઃખરહિત થયા-આ પ્રમાણે ત્રિદ્ધિ અને સત્કારના સમુદાયથી મારા શરીરને બહાર કાઢજો.” ત્યારે તે આજીવિક સ્થવિરોએ મખલિપુત્ર ગોશાલકની એ વાતનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. [૬પ૩]હવે તે મંખલિપુત્રગોશાલકને સાત રાત્રી પરિણમતાં-સમ્યક્ત પ્રાપ્ત થયું, અને તેને આવા પ્રકારનો અધ્યવસાય- ઉત્પન્ન થયો-“હું ખરેખર જિન નથી, તો પણ જિનપ્રલાપી, યાવતુ જિન શબ્દને પ્રકાશતો વિહર્યો છું. હું શ્રમણનો ઘાત કરનાર, શ્રમણને મારનાર, શ્રમણનો પ્રત્યેનીક, આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનાર, અવર્ણવાદકારક અને અપકીર્તિ કરનાર મંખલિપુત્ર ગોશાલક છું. તથા ઘણી અસદુ ભાવનાવડે અને મિથ્યાત્વાભિનિવેશ વડે પોતાને, પરને અને બન્નેને બુઝાહિતકરતો, વ્યુત્પાદિત મારા પોતાની તેજલેશ્યા વડે પરાભવ પામી સાત રાત્રીના અત્તે પિત્તજ્વરથી વ્યાપ્ત શરીરવાળો થઈ દાહની ઉત્પત્તિથી છઘસ્થાવસ્થામાં જ કાલ કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy