SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ભગવઈ-૧ર-૯/પપપ તથાતેજ:કાય,વાયુ કાય,અસંખ્યવર્ષના આયુષ્યવાળાકર્મભૂમી,અકર્મભૂમિજો અને અંતરદ્વીપજમનુષ્કતથાતિયચોથીઆવી ધર્મદિવો ઉત્પન્ન ન થાય.હેભગવન્! દેવાધિ દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. તિર્યંચ અને મનુષ્યો થી આવી ઉત્પન્ન થતા નથી, પણ દેવો થકી આવીને ઉત્પન્ન થાય છે. જો નેર યિકોથી આવી ઉત્પન્ન થાય ઈત્યાદિ પ્રશ્ન. એ પ્રમાણે પ્રથમત્રણ પૃથિવીથી આવી ઉત્પન્ન થાય છે. બાકી ની પૃથિવીઓનો પ્રતિષેધ કરવો. જો તેઓ દેવોથી આવી ઉત્પન્ન થયો તો શુંભવનપતિ વગેરેથી આવી ઉત્પન્ન થાય? સર્વ વૈમાનિક દેવોથી, યાવતુ-સવથસિદ્ધથી આવી ઉત્પન્ન થાય. બાકીના દેવોનો નિષેધ કરવો. હે ભગવન્! ભાવદેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય?જેમ વ્યુત્ક્રાંતિપદમાં ભવનવાસિઓના ઉપપાત કહ્યો છે તેમ અહિં કહેવો. [પપ૬ હે ભગવન!ભવ્યદ્રવ્યદેવોની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે?હે ગૌતમ ! ઓછામાં ઓછી અન્તર્મુહર્ત અને વધારેમાં વધારે ત્રણ પલ્યોપમની. નરદેવો સંબધે પ્રશ્ન.જઘન્ય સ્થિતિ સાતસો વર્ષની અને ઉત્કૃષ્ટ ચોરાશી લાખ પૂર્વની. ધર્મદિવો સંબધે પ્રશ્ન. તેઓની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની, અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ. દેવાધિદેવ સંબધે પ્રશ્ન તેઓની જઘન્ય સ્થિતિ બહોંતર વર્ષની, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચોરાસી લાખ પૂર્વની. ભાવ દેવોની સ્થિતિ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષની, અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની . [પપ૭ હે ભગવન્! ભવ્યદ્રવ્યદેવો એક રુપ વિકુવવાને સમર્થ છે કે અનેકપી? હે ગૌતમ ! બંને રીતે સમર્થ છે.એક રુપને વિક્ર્વતો એક એકેદ્રિયરુપને યાવતુ-એક પંચેન્દ્રિયરુપને વિદુર્વે છે, અથવા અનેક રુપોને વિક્ર્વતો અનેક એકેટિંયરુપોને કે અનેક પંચેદ્રિયરુપોને વિદુર્વે છે, તે રુપો સંખ્યાતા કે અસંખ્યાતા, સંબદ્ધ કે અસંબદ્ધ, સમાન કે અસમાન વિફર્વે છે, વિકુવ્યા પછી પોતાનાં યથેષ્ટ કાર્યો કરે છે. એ પ્રમાણે નરદેવ અને ધર્મદેવ સંબંધે પણ જાણવું. દેવાધિદેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ બને વિકવવા સમર્થ છે. પણ તે સંપ્રાપિવડે વૈક્રિયરુપ વિકુવ્ય નથી, વિદુર્વતા નથી અને વિકુવશે પણ નહિ. ભાવ:વસંબધે પ્રશ્ન.ભવ્યદ્રવ્યદેવો ની જેમ ભાવદવસંબધે પણ જાણવું. પપ૮]હે ભગવનું ! ભવ્યદ્રવ્યદેવો તુરતજ મરણ પામી ક્યાં જાય-ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! તેઓ નૈરયિકોમાં, તિર્યંચોમાં કે મનુષ્યોમાં ઉત્પન્ન થતાં નથી, પણ દેવો માં ઉત્પન્ન થાય છે. ભગવન્! નરદેવો અત્તરરહિત-તુરતજ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય હે ગૌતમ! નૈરયિકોમાં ઉત્પન્ન થાય, પણ તિર્યંચ, મનુષ્ય કે દેવોમાં ઉત્પન્ન ન થાય, હે ભગવન્! ધર્મદિવો તુરતજ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય છે ગૌતમ ! તેઓ દેવોમાં ઉત્પન્ન થાય છે. અન્ય ત્રણ ગતિમાં નહીં. જો તેઓ (ધમદિવો) દેવોમાં ઉત્પન્ન થાય ઈત્યા દિ પ્રશ્ન. હે ગૌતમ ! ફક્ત વૈમાનીક દેવોમાં ઉત્પન્ન થાય છે. સર્વ વૈમાનિકોમાં, યાવતુસવથિસિદ્ધઅને કેટલાક સિદ્ધ થાય છે. યાવતું સર્વ દુઃખોનો નાશ કરે છે. હે ભગવનું ! દેવાધિદેવ અન્તરરહિત-તુરતજ મરણ પામી ક્યાં જાય- ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! તેઓ સિદ્ધ થાય, યાવતુ-સર્વ દુઃખોનો અન્ત કરે. હે ભગવનું ! ભાવદેવો તરતજ મરણ પામી ક્યાં જાય?-એ પ્રશ્ન જેમ “વ્યુત્ક્રાંતિ પદમાં અસુરકુમારોની ઉદ્ધતના કહી છે તેમ અહિં ભાવદેવોની પણ ઉદ્ધતના કહેવી. હે ભગવનું ! ભવ્યદ્રવ્યવો “ભવ્યદ્રવ્યદેવરુપે” કાલથી ક્યાંસુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy