SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૨, ઉદેસી-૪ ૨૮૭ એમ (સાત પુદ્ગલપરિવર્ત સંબન્ધ) બહુવચનને આશ્રયી સાત દડકો (નૈરયકાદિ) ચોવિશ દંડકે કહેવા. હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા ઔદારિકપુદ્ગલપરિવત અતીત થયા છે ? તેઓને એક પણ ઔદારિકપુદ્ગલપરિવર્ત થયો નથી. કેટલા ઔદારિક પુદ્ગલપરિવત થવાના છે? તેઓને એક પણ થવાનો નથી. હે ભગવન્! એક એક નૈરયિકને અસુરકુમારપણામાં કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તી થયા છે ? ઉપર કહ્યા પ્રમાણે જાણવું, એ પ્રમાણે જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ યાવતું સ્તનતકુમારપણામાં પણ જાણવું. હે ભગવન્! એક એક નૈરયિકને પૃથિવીકાયપણામાં કેટલા ઔદા રિકપુદ્ગલપરિવર્તી થયા છે? અનન્તા થયા છે. કેટલા થવાના છે? કોઈને થવાના છે અને કોઇને થવાના નથી, જેને થવાના નથી, જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ થવા ના છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ. મનુષ્યપણામાં પણ જાણવું. તથા વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકપણામાં જેમ અસુ રકુમારપણામાં કહ્યું તેમ જાણવું. હે ભગવન્! એક એક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તે અતીત થયા છે ? જેમ નરયિકની અસુરકુમારની પણ વક્તવ્યતા કહેવી. એ પ્રમાણે યાવદ્વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે યાવતુ-સ્વનિત કુમાર સુધી કહેવું એ પ્રમાણે પૃથિવીથી આરંભી યાવદુ વૈમાનિક સુધી બધાઓને એક ગમ-પાઠ કહેવો. હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયકિપણામાં કેટલા ક્રિયપુદ્ગલ પરિવર્તી થયા છે? અનન્તા થયા છે. કેટલા થવાના છે? હે ગૌતમ ! એકથી માંડીને યાવત્ અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ ખનિતકુમારપણામાં જાણવું. પૃથિવીકાયિકપ ણામાં પ્રશ્ન.-એક એક નૈરયિકને પૃથિવીકાયિકપણામાં વૈક્રિયપુદ્ગલપરિવત કેટલા થયા છે ? એક પણ નથી. કેટલા થવાના છે? એક પણ નથી. એ પ્રમાણે જે જીવોને વૈક્રિયશરીર છે તેઓને એકાદિ પુદ્ગલપરાવર્તી જાણવા, અને જેઓને વૈક્રિયશરીર નથી તેઓને પૃથિવીકાયિકપણામાં કહ્યું છે તેમ કહેવું, યાવદ્ વૈમાનિકને વૈમાનિકપણા માં કહેવું. તૈજસપુદ્ગલ પરિવર્ત અને કાશ્મણપુદ્ગલપરિવર્તે સર્વત્ર એકથી માંડીને અનન્તસુધી કહેવા. મનપુગલપરિવત બધા પંચેન્દ્રિયોમાં એકથી આરંભી (અનન્ત સુધી) કહેવા. તે મનપુગલપરિ- વર્તા) વિકસેન્દ્રિયોમાં નથી. વચનપુદ્ગલપરિવર્તી પણ એ પ્રમાણે જાણવા; પરન્તુ વિશેષ એ છે કે તે એકેન્દ્રિય જીવોમાં નથી. શ્વાસોચ્છુ વાસપુદ્ગલપરિવત બધા જીવોમાં એકથી માંડીને વધારે જાણવા યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. હે ભગવન્નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તી વ્યતીત થયા છે? એક પણ વ્યતીત થયેલ નથી. કેટલા થવાના છે? એક પણ થવાનો નથી. એ પ્રમાણે યાવતુ ખનિતકુમારપણામાં જાણવું. પૃથિવીકાયિકપણામાં પ્રશ્ન. અનન્તા વ્યતીત થયા છે. કેટલા થવાના છે ? અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ-મનુષ્યપ ણામાં જાણવું. તથા જેમ નૈરયિકપણામાં કહ્યું છે તેમ વાતવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમા નિકપણામાં કહેવું. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. એ રીતે સાતે પુદ્ગલપરિવર્તે કહેવા; જ્યાં હોય છે ત્યાં અતીત-થયેલા અને પુરસ્કૃત-ભાવી પણ અનન્તા કહવા, અને જ્યાં નથી ત્યાં અતીત અને ભાવી બને પણ નથી-’ એમ કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy