SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૨, ઉદ્દેસો-૪ ૨૮૫ સ્કન્ધો હોય છે. અથવા એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે સંખ્યાત પ્રદેશિક સ્કન્ધો હોય છે. એ પ્રમાણે યાવતુ-અથવા એક તરફ એક દશપ્રદેશિક સ્કન્ધ અને બે સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા ત્રણ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. યાવત્ એ પ્રમાણે એ ક્રમથી ચતુઃસંયોગ,પંચસંયોગ પણ કહેવો; યાવત્ નવ સંયોગ સુધી કહેવું. તેના દશ વિભાગ ક૨વામાં આવે તો એક તરફ નવ પરમાણુપુદ્ગલો, એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ આઠ પરમાણુપુદ્ગલો, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ અને એક એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ આઠ ૫૨માણુપુદ્ગલો, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. એ ક્રમવડે એકની સંખ્યા વધારવી, યાવત્-અથવા એક દશપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ નવ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા દશ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના સંખ્યાત ભાગો કરવામાં આવે તો સંખ્યાતા પરમાણુપુદ્ગલો, થાય છે. હે ભગવન્ ! અસંખ્યાતા પરમાણુપુદ્ગલો એકઠા મળે, અને પછી તેનું શું થાય ? હે ગૌતમ ! તેનો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ થાય. જો તેના વિભાગ કરીએ તો બે, યાવત્ દસ, સંખ્યાતા કે અસંખ્યાતા વિભાગ થાય. જો બે વિભાગ કરવામાં આવે તો એક તરફ એક ૫૨માણુપુદ્ગલ અને એક તરફ અસંખ્યાતપ્રદેશિક સ્કંધ હોય છે. યાવદ્-અથવા એક ત૨ફ દશપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા બે અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. એ પ્રમાણે ત્રીક-ચતુષ્કસંયોગ, યાવદ્ દશકસંયોગ જાણવો. અને એક સર્વ સંખ્યાતપ્રદેશિકની પેઠે જાણવું, પરન્તુ એક ‘અસં ખ્યાત' શબ્દ અધિક કહેવો. યાવદ્-અથવા દશ અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો સંખ્યાત વિભાગ કરવામાં આવે તો એક તરફ સંખ્યાતા પરમાણુપુદ્ગલો અને એક તરફ અસંખ્યાતપ્રદેશાત્મક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ સંખ્યાતા દ્વિપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધ હોય છે. એ પ્રમાણે યાવદ્-અથવા એક તરફ સંખ્યાતા દશપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ સંખ્યાતા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અસંખ્યપ્રદેશાત્મક સ્કન્ધ હોય છે. અથવા સંખ્યાતા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના અસંખ્ય વિભાગ કરવામાં આવે તો અસંખ્ય પરમાણુપુદ્ગલો થાય છે. હે ભગવન્ ! અનન્ત પરમાણુપુદ્ગલો એકઠા થાય અને એકઠા થયા પછી તેનું શું થાય ? હે ગૌતમ તેનો અનન્તપ્રદેશાત્મક સ્કન્ધ થાય. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ, યાવત્ દશ, સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત વિભાગ થાય. બે વિભાગ ક૨વામાં આવે તો એક તરફ પરમાણુપુદ્ગલ અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. યાવદ્અથવા બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના ત્રણ વિભાગ કરવામાં આવે તો એક ત૨ફ બે પરમાણુપુદ્ગલો અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક ત૨ફ એક પરમાણુ, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક અનન્ત પ્રદેશિક સ્કન્ધ હોય છે. યાવદ્ અથવા એક તરફ એક પરમાણુપુદ્ગલ, એક તરફ અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy