SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ભગવદ - ૧૧/-૧૧૫૧૮ અતિશય વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણપાઠકોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! આજે પ્રભાવતી દેવી યાવતુ સ્વપ્નમાં સિંહને જોઈને જાગેલી છે, તો હે દેવાનુપ્રિયો! અ ઉદાર એવા સ્વપ્નનું યાવતુ બીજુ કયું કલ્યાણરૂપ ફલ અને વૃત્તિવિશેષ થશે. ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠકો બલ રાજાની પાસેથી એ વાત સાંભળી તથા અવધારી ખુશ અને સંતુષ્ટ થઈ તે સ્વપ્ન સંબધે સામાન્ય વિચાર કરે છે, વિશેષ વિચાર કરે છે, અને પછી તે સ્વપ્નના અર્થનો નિશ્ચય કરે છે, પરસ્પર સાથે વિચારણા કરે છે. સ્વપ્નના અર્થને સ્વયં જાણી, બીજા પાસેથી ગ્રહણ કરી, તે સંબધી શંકાને પૂછી, અર્થનો નિશ્ચય કરી અને સ્વપ્નના અર્થને અવગત કરી બલરાજાની આગળ સ્વપ્નશાસ્ત્રોનો ઉચ્ચાર કરતાં કહ્યું- હે દવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર અમારા સ્વપ્નશાસ્ત્રમાં બેતાળીશ સામાન્ય સ્વપ્નો, અને ત્રીશ મહાસ્વપ્નો મળીને કુલ બહોંતેર જાતના સ્વપ્નો કહેલા છે. તેમાં હે દેવાનુપ્રિય ! તીર્થકરની માતાઓ કે ચક્રવર્તીની માતાઓ જ્યારે તીર્થકર કે ચક્રવર્તી ગર્ભમાં આવીને ઉપજે ત્યારે એ ત્રીશ મહાસ્વપ્નો માંથી આ ચૌદ સ્વપ્નોને જોઈને જાગે છે, તે ચૌદ સ્વપ્નો આ પ્રમાણે છે [૫૧૯-૫૨૦] હાથી, બળદ, સિંહ, લક્ષ્મીનો અભિષેક, પુષ્પમાળા, ચંદ્ર, સૂરજ, ધ્વજા, કુંભ, પદ્મસરોવર, સમુદ્ર, વિમાન અથવા ભવન, રત્નનો ઢગલો અને અગ્નિ” વળી વાસુદેવની માતાઓ જ્યારે વાસુદેવગર્ભમાં આવે ત્યારે એ માંના કોઈ પણ સાત મહાસ્વપ્નો જોઈને જાગે છે. તથા બલદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે એ માંના કોઈ પણ ચાર મહાસ્વપ્નોને જોઈને જાગે છે. માંડલિક રાજાની માતાઓ જ્યારે માંડલિક રાજ ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે એ માંના કોઈ એક મહાસ્વપ્ન જોઇને જાગે છે. તો હે દેવાનુપ્રિય ! આ પ્રભાવતી દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે, હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે, યાવત્ યાવતું મંગલ કરનાર સ્વપ્ન જોયું છે. તેથી દેવાનુપ્રિય ! તમને અર્થલાભ થશે, ભોગલાભ થશે, પુત્રલાભ થશે અને રાજ્યલાભ થશે. તથા હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે ખરેખર પ્રભાવતી દેવી નવ માસ સંપૂર્ણ થયા પછી અને સાડા સાત દિવસ વિત્યા પછી તમારા કુલમાં ધ્વજ સમાન એવા યાવતુ પુત્રનો જન્મ આપશે. અને તે પુત્ર પણ બાલ્યાવસ્થા મૂકી મોટો થશે ત્યારે તે વાવાદ્ રાજ્યનો પતિ રાજા થશે, અથવા ભાવિતાત્મા સાધુ થશે. તેથી હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે. યાવતું કલ્યાણ કરનાર સ્વપ્ન જોયું છે. - ત્યારબાદ તે બલરાજ સ્વપ્નલક્ષણપાઠકો પાસેથી એ વાતને સાંભળી અને અવધારી હર્ષિત, અને સંતુષ્ટ થયો, અને હાથ જોડી યાવત તેણે સ્વપ્નલક્ષણપાઠકોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! આ એ પ્રમાણે છે કે, યાવતુ જે તમે કહો છો એમ કહી તે સ્વપ્નોનો સારી રીતે સ્વીકાર કરે છે. સ્વપ્નલક્ષણપાઠકોને પુષ્કળ અશન, પાન, ખાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારો વડે સત્કાર કરે છે, સન્માન કરે છે. તેમ કરીને જીવીકાને ઉચિત ઘણું પ્રીતિદાન આપે છે; સ્વપ્નલક્ષણપાઠકોને રજા આપે છે. ત્યાર પછી પોતાના સિંહાસનથી ઉઠે છે, કહ્યું- હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર સ્વપ્ન શાસ્ત્રમાં બેંતાળીશ સાધારણ સ્વનો, અને ત્રીશ મહાસ્વપ્નો તથા બધા મળીને બહોંતેર સ્વપ્નો દેખાડ્યા છે. -ઈત્યાદિ પૂર્વવતુ કહેવું, હે દેવાનુપ્રિયો! તમે આ એક મહાસ્વપ્ન જોયું છે, હું દેવી ! તમે ઉદાર સ્વપ્ન જોયું છે, યાવત્ તે રાજ્યનો પતિ રાજા થશે કે ભાવિતાત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy