SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શતક, ઉસો-૩ર ૨૨૫ વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ છે કે જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં “àવે છે' એવો પાઠ કહેવો. હે ભગવન્! સદ્ નૈરયિકો ઉત્પન્ન થાય છે કે અસદ્ નૈરયિકો ઉત્પન્ન થાય છે ? સદ્ અસુરકુમારો ઉત્પન્ન થાય છે કે અસદુ અસુરકુમારો ઉત્પન્ન થાય છે ? એ પ્રમાણે યાવત્ સદ્ વૈમાનિકો ઉત્પન્ન થાય છે કે અસ વૈમાનિકો ઉત્પન્ન થાય છે? સદ્ નરયિકો ઉદ્વર્તે છે કે અસત્ નૈરયિકો ઉદ્વર્તે છે? સદ્ અસુરકુમારો ઉદ્વર્તે છે કે અસત્ અસુરકુમારો ઉદ્વર્તે છે? એ પ્રમાણે ભાવતુ સદ્ વૈમાનિકો ઔવે છે કે અસદુ વૈમાનિકો અવે છે? હે ગાંગેય ! સદ્ નૈરયિકો ઉત્પન્ન થાય છે પણ અસદ્ નૈરયિકો ઉત્પન્ન થતા નથી. સદ્ અસુરકુમારો ઉત્પન્ન થાય છે પણ અસત્ અસુરકુમારો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે યાવત્ સદ્ વૈમાનિકો ઉત્પન્ન થાય છે પણ અસદ્ વૈમાનિકો ઉત્પન્ન થતા નથી. સદ્ નૈરયિકો ઉદ્વર્તે છે પણ અસદ્ નૈરયિકો ઉદ્વર્તતા નથી. યાવદ્ સદ્ વૈમાનિકો ચ્યવે છે પણ અસદુ વૈમાનિકો ઍવતા નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ભગવન્! શું તે નિશ્ચિત છે? હે ગાંગેય ! ખરેખર પુરષાદાનીય અહંતુ શ્રીપાર્શ્વનાથે “લોકને શાશ્વત, અનાદિ અને અન્ત કહ્યો છે.” ઈત્યાદિ પાંચમા શતકમાં કહ્યા પ્રમાણે જાણવું. તે હેતુથી હે એમ કહ્યું છે કે, સદ્વૈમાનિકો ચ્યવે છે પણ અસદુ વૈમાનિકો ઍવતા નથી. હે ભગવન્! આપ સ્વયં આ પ્રમાણે જાણો છો, કે અસ્વયં જાણો છો ? સાંભળ્યા. સિવાય એ પ્રમાણે જાણો છો અથવા સાંભળીને જાણો છો કે “સદુ નૈરયિકો ઉત્પન્ન થાય છે પણ અસત્ નૈરયિકો ઉત્પન્ન થતા નથી, યાવત્ સત્ વૈમાનિકો ઍવે છે, પણ અસદુ વૈમાનિકો ચ્યવતા નથી ? હે ગાંગેય ! હું એ બધું સ્વયં જાણું છું, પણ અસ્વયં જાણતો નથી. વળી સાંભળ્યા વિના આ પ્રમાણે જાણું છું, પણ સાંભળીને જાણતો નથી કે “સદ્ નૈરયિકો ઉત્પન્ન થાય છે, પણ અસદુ નૈરયિકો ઉત્પન્ન થતા નથી, યાવતુ સદ્ વૈમાનિકો ચ્યવે છે. પણ અસદુ વૈમાનિકો અવતા નથી.’ હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગાંગેય કેવલજ્ઞાની પૂર્વમાં મિત પણ જાણે, અને અમિત પણ જાણો, યાવતુ, તથા દક્ષિણમાં પણ એ પ્રમાણે જાણે. એ પ્રમાણે જેમ શબ્દ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું, પાવતુ કેવલિનું જ્ઞાન નિરાવરણ હોય છે, માટે તે ગાંગેય ! તે હેતુથી એમ કહું છું કે હું સ્વયં જાણું છું-ઇત્યાદિ યાવદ્દ અસદુ વૈમાનિકો ઍવતા નથી.' હે ભગવન્! નૈરયિકો નૈરયિકમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન થાય છે. ? હે ગાંગેય ! નૈરયિકો નૈરયિકમાં સ્વયં ઉત્પન્ન થાય છે, પણ અસ્વયે ઉત્પન્ન થતા નથી. હે ભગવનું ! એમ શા હેતુથી કહો છો? હે ગાંગેય ! કર્મના ઉદયથી, કર્મના ગુરપણાથી, કર્મના ભારેપણાથી, કર્મના અત્યન્ત ભારેપણાથી, અશુભ કર્મોના ઉદયથી, અશુભ કર્મોના વિપાકથી અને અશુભ કર્મોના ફલ-વિપાકથી નૈરિયકો નરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, પણ નૈરયિકો નૈરયિકોમાં અસ્વયં ઉત્પન્ન થતા નથી; તે હે ભગવન્! અસુરકુમારો સ્વયં ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! અસુરકુમારો સ્વયે ઉત્પન્ન થાય છે, પણ અસ્વયે ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે તેઓ “સ્વયં યાવત્ ઉત્પન્ન થાય છે ? હે ગાંગેય ! કર્મના ઉદયથી, (અશુભ) કર્મના ઉપશમથી, અશુભ કર્મના અભાવથી, કર્મની વિશોધિથી, કર્મની વિશુદ્ધિથી, શુભ કર્મોના ઉદયથી, શુભ કર્મોના વિપાકથી અને શુભ કર્મોના ફલ-વિપાકથી અસુરકુમારો અસુરકુમારપણે સ્વયં ઉત્પન્ન થાય છે, પણ અસુરકુમારો અસુરકુમારપણે અસ્વયં ઉત્પન્ન થતા નથી. માટે હે 15 For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy