SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ભગવઈ - ૮-૯૪૨૬ હોય છે? હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સમુદ્રવ્યતાથી યાવત્ લબ્ધિને આશ્રયી આહારકશરીરપ્રયોગનામકર્મના ઉદયથી આહારકશરીરમયોગબન્ધ હોયછે.હે ભગવનું! આહારકશરીરમયોગબન્ધ શું દેશબબ્ધ છે કે સર્વબંધ છે? હે ગૌતમ! દેશબબ્ધ પણ છે અને સર્વબન્ધ પણ છે. હે ભગવન્! આહારકશરીરમયોગબન્ધ કાલથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! તેનો સર્વબંધ એક સમય, અને દેશબંધ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતમૂહૂર્ત સુધી હોય છે. હે ભગવન્! આહારકશરીરના પ્રયોગબંધનું અંતર કાલથી કેટલું હોય છે ? હે ગૌતમ ! તેના સર્વબંધનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી કાલની અપેક્ષાએ અનંતકાલ હોય છે. ક્ષેત્રથી અનંતલોકકાંઇક ન્યૂન અધપુદ્ગલ પરાવર્ત છે. એ પ્રમાણે દેશબંધનું અંતર પણ જાણવું.હેભગવનું ! આહારકશરીરના દેશબંધક અને અબંધક જીવોમાં અલ્પબદુત્વ કઈ રીતે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આહારકશરીરના સર્વબંધક છે, તેથી દેશબંધક સંખ્યાતગુણા છે, અને તેથી અબંધક જીવો અનંતગુણા છે. [૪૨] હે ભગવન્! તૈજસશરીરમયોગબંધ કેટલા પ્રકારનો કહ્યો છે?હે ગૌતમ ! પાંચ પ્રકારનો છે,એકેન્દ્રિયતૈજસશરીરપ્રયોગબલ્પ, દ્વીન્દ્રિય તેજસભરીપ્રયોગબન્ધ, ત્રીન્દ્રિયતૈજસશરીરમયોગબંધાયાવતુ પંચેન્દ્રિય તૈજસશરીરમયોગબન્ધ.હે ભગવનું ! એકેન્દ્રિયતૈજશરીરપ્રયોગબધે કેટલા પ્રકારે છે?એ અભિલાપથી એ પ્રમાણે જેમ “અવગાહનાસંસ્થાન' માં ભેદ કહ્યો છે તેમ અહીં પણ કહેવો, યાવત્ પર્યાપ્ત સવથિસિદ્ધ અનુતરોપપાતિક કલ્પાતીતવૈમાનિક દેવપંચેન્દ્રિયતૈજસશરીરપ્રયોગબધઅને અપર્યાપ્તસવથિસિદ્ધ અનુત્તરોપપાતિક તૈજસશરીપ્રયોગબબ્ધ છે. હે ભગવન્! તેજસશરીર પ્રયોગબંધ ક્યા કર્મના ઉદયથી થાય ? હૈ ગૌતમ સવીયતા યાવતું આયુષ્યને આશ્રીને તૈજસ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી થાય છે. યાવતું સર્વે પૂર્વવતુ જાણવું. મોહનીયકામણશરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તીવક્રોધ કરવાથી, તીવ્ર માન કરવાથી, તીવ્ર માયા કરવાથી, તીવ્ર લોભ કરવાથી, તીવ્ર દર્શનમોહનીયથી, તીવ્ર ચારિત્રમોહનીયથી તથા મોહનીય કામણરીપ્રયોગનામકર્મના ઉદયથી મોહનીય કામણશરીરમયોગબન્ધ થાય છે. નારકાયુષકામણશરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન: હે ગૌતમ મહાઆરમ્ભથી, મહાપરિગ્રહથી, માંસાહાર કરવાથી, પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી તથા નારકાયુષકામણ શરીરમયોગનામકર્મના ઉદયથી નારકાયુષાકાર્મણશરીરપ્રયોગબન્ધ થાય છે. હે ભગવનું ! તિચિયોનિકયુષકામણસરીપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! માયિકપણાથી, કપટીપણાથી, ખોટું બોલવાથી, ખોટાં તોલાં અને ખોટાં માપથી તથા તિર્યંચયોનિકાયુષકાર્મણશરીરપ્રયોગનામકર્મના ઉદયથી તિર્યંચયોનિકાયુષ-કામણશરીર થાય છે. હે ભગવન્! મનુષ્યાયુષકામણશરીરમયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ! પ્રકૃતિની ભદ્રતાથી, પ્રકૃતિના વિનીતપણાથી, દયાળપણાથી, અમત્સરિપણાથી તથા મનુષ્પાયુષકર્મણશરીરમયોગનામકર્મના ઉદયથી મનુષ્પાયુષકાર્યણસરીપ્રયોગબન્ધ થાય છે. દેવાયુષકામણશરીરરપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સરાગસંયમથી, સંયમાસંયમથી, અજ્ઞાનતાપકર્મથી, અકામનિર્જરાથી તથા વાયુષકામણશરીરપ્રયોગનામકર્મના ઉદયથી દેવાયુષકામણશરીપ્રયોગબન્ધ થાય છે. શુભનામકર્મણશરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy