SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ભગવાઈ - ૮/૫/૪૦૦ અને કરનારને અનુમતિ આપવાને કલ્પતા નથી, તે કમદિાનો અંગારકર્મ, વનકર્મ, શટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ, દતવાણિજ્ય, લાક્ષવાણિજ્ય, કેશવાણિજ્ય, રસવાણિજ્ય. વિષવાણિજ્ય, યંત્રમીલનકર્મ, નિલાંછનકર્મ, દવાગ્નિદાપન, સરોવર, દ્રહ અને તલાવનું શોષણ અને અસતીપોષણ. એ શ્રમણોપાસકો શુકલ-પવિત્ર, અને પવિત્રતાપ્રધાન થઈને મરણ સમયે કાળ કરીને કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. હે ભગવન્! કેટલા પ્રકારના દેવલોક કહ્યા છે ? હે ગૌતમ ! ચાર પ્રકારના દેવલોકો કહ્યા છે. તે આ પ્રમાણે ભવનવાસી, વાનગૅતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. શિતકઃ૮-ઉદ્દેસા:પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | | (-ઉદેસોઃક-) [૪૦૫] હે ભગવન્! તેવા પ્રકારના ઉત્તમ) શ્રમણ યા બ્રાહ્મણને પ્રાસુક અચિત્ત અને એષણીય (નિર્દોષ) અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આહારવડે પ્રતિલાભતાશ્રમણોપાસકને શું (ફલ) થાય ? હે ગૌતમ! એકાંત નિર્જરા થાય, પણ તેને પાપ કર્મ ન થાય. હે ભગવનું ! તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને અપ્રાસક (સચિત્ત) અને અનેષણીય (સદોષ) અશનાદિવસે પ્રતિલાભતા શ્રમણોપાસકને શું (ફલ) થાય ? હે ગૌતમ ! ઘણી નિર્જરા થાય, અને અત્યન્ત અલ્પ પાપકર્મ થાય. હે ભગવનું ! તેવા પ્રકારના વિરતિરહિત, અપ્રતિહત અને અપ્રત્યાખ્યાન પાપકર્મવાળા અંસયતને પ્રાસુક અથવા અપ્રાસુક, એષણીય અથવા અનેષણીય અશનાદિવડે પ્રતિલોભતા શ્રમણોપાસકને શું ફલ થાય? હે ગૌતમ! એકાંત પાપકર્મ થાય, પણ કાંઈ નિર્જરા ન થાય. [૪૦૬] ગૃહસ્થના ઘરે આહાર ગ્રહણ કરવાની ઇચ્છાથી પ્રવેશ કરેલા નિર્ગસ્થને કોઈ ગૃહસ્થ બે પિંડ (આહાર) ગ્રહણ કરવા માટે ઉપનિમંત્રણ કરે કે-હે આયુષ્યનું! એક પિંડ તમે ખાજે, અને બીજો પિંડ સ્થવિરોને આપજો. પછી તે નિગ્રંથ તે (બને) પિંડને ગ્રહણ કરે અને તે સ્થવિરોની શોધ કરેતપાસ કરતાં જ્યાં સ્થવિરોને જુએ ત્યાંજ તે પિંડ તેને આપે, જો કદાચ શોધતાં સ્થવિરોને ન જુએ તો તે પિંડ પોતે ખાય નહીં અને બીજાને આપે નહીં, પણ એકાન્ત, અનાપાત-જ્યાં કોઈ આવે નહિ એવી અચિત્ત અને બહુ પ્રાસુક ચંડિલ (ભૂમિ) ને જોઇને, પ્રમાર્જીને ત્યાં પરઠવે. ગૃહસ્થના ઘરે આહાર ગ્રહણ કરવાના. ઈરાદાથી પ્રવેશ કરેલા નિર્ઝન્થને કોઈ ગૃહસ્થ ત્રણ પિંડ ગ્રહણ કરવાને ઉપનિમંત્રણ કરે કેહે આયુષ્મન ! એક પિંડ તમે ખાજો અને બીજા બે પિંડ, સ્થવિરોને આપજો. પછી તે નિગ્રંથ તે પિંડોને ગ્રહણ કરે, અને સ્થવિરોની તપાસ કરે, બાકીનું પૂર્વસૂત્રની પેઠે જાણવું, યાવતું પરઠવે, એ પ્રમાણે યાવત્ દશ પિંડોને ગ્રહણ કરવાને ઉપનિમંત્રણ કરે પરન્તુ એમ કહે કે હે આયુષ્યમાન ! એક પિંડ તમે ખાજો અને બાકીના નવ પિંડ સ્થવિરોને આપજો, બાકી બધું પૂર્વની પેઠે જાણવું, યાવત્ પરઠવે. નિગ્રંથ યાવત્ ગૃહપતિના કુલમાં પ્રવેશ કરે અને કોઈ ગૃહસ્થ બે પાત્રવડે તેને ઉપનિમંત્રણ કરે કે-હે આયુખનું ! એક પાત્રનો તમે ઉપભોગ કરો અને બીજું સ્થવરોને આપો, યાવતુ તે પાત્રને પરઠવે. એ પ્રમાણે યાવત્ દસ પાત્ર સુધી કહેવું, જે પ્રમાણે પાત્રની વક્તવ્યતા કહી છે તેમ ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટ, કંબલ, દંડ અને સસ્તારકની વક્તવ્યતા કહેવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy