SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - શતક-૫, ઉદેસો-૯ ૧૨૧ અને દિવસના પ્રમાણ વિષે શ્રીપાર્શ્વજિનના શિષ્યોના પ્રશ્નો અને દેલલોકને લગતા પ્રશ્નો આ ઉદેશમાં એટલા વિષયો આવેલા છે. તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિહરે છે. | [શતક ૫-ઉદ્દેસો નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | | (sઉદેશક ૧૦:-). [૭૧] તે કાલેતે સમયે ચંપા નામે નગરી હતી, પ્રથમ ઉદ્દેશક કહ્યો તેમ આ ઉદ્દેશક સમજવો. વિશેષ એ કે, ચંદ્રો કહેવા. | શિતકઃ ૫-ઉદેસોઃ ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી ! | શતક-પ-ગુર્જરછાયાપૂર્ણ (શતક:૬) - ઉદેશકઃ ૧ - [૨૭૨] વેદના, આહાર, મહાઆશ્રવ, સપ્રદેશ, તમસ્કાય, ભવ્ય, શાલી, પૃથિવી, કર્મ, અને અન્યમૂથિકવક્તવ્યતા, એ પ્રમાણે દશ ઉદ્દેશા આ છઠ્ઠા શતકમાં છે. [૨૭૩] હે ભગવન્! જે મહાદેવનાવાળો હોય તે મહાનિર્જરાવાળો હોય ને જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાળો હોય અને મહાવેદનાવાળામાં તથા અલ્પવેદનાવાળામાં તે જીવ ઉત્તમ છે જે પ્રશસ્તનિરાવાળો છે ? હા ગૌતમ ! એ પ્રમાણેજ જાણવું. હે ભગવન્! છઠ્ઠી અને સાતમી પૃથિવીમાં નૈરયિકો મોટી વેદનાવાળા છે? હા, છે. હે ભગવન્! તે છઠ્ઠી અને સાતમી પૃથિવીમાં રહેનારા નૈરયિકો શ્રમણ નિર્ચન્હો કરતાં મોટી નિર્જરાવાળા છે? હે ગૌતમ! અર્થ સમર્થ નથી હે ભગવન્! તે એમ શા હેતુથી કહેવાય છે કે, જે મહાવેદનાવાળો છે યાવતુ પ્રશસ્તનિર્જરાવાળો છે? - હે ગૌતમ! તે જેમકે, કોઈ બે વસ્ત્રો હોય, તેમાંથી એક વસ્ત્ર કદમના રંગથી રંગેલું હોય, અને એક વસ્ત્ર ખંજનના રંગથી રંગેલું હોય, હે ગૌતમ ! એ બે વસ્ત્રોમાં ક્યાં વસ્ત્ર દુધમતર-દુઃખથી ધોવાય તેવું, દુવમતર-જેના ડાઘાઓ દુઃખોથી જાય તેવું અને દુષ્પતિકર્મતર-કષ્ટ કરી જેમાં ચળકાટ અને ચિત્રામણ થાય તેવું છે? અને કયું વસ્ત્ર સુધૌતતર, સુવાચ્યતર, અને સુપરિકમેતર છે? હે ભગવન્! તે બેમાં જે એ કદમના રંગથી રંગ્યું છે તે વસ્ત્ર દુધૌતતર. દુવમ્યતર અને દુષ્પતિકર્મતર છે, જો એમ છે તો તે ગૌતમ ! એજ પ્રમાણે નૈરિકોનાં પાપ કમ ગાઢીકત-ગાઢ કરેલાં છે, ચિકણીકતચિક્કણાં કરેલાં છે, શ્લિષ્ટ કરેલાં છે, ખિલીભૂતનિકાચિત કરેલાં છે માટે જ તેઓ સંપ્રગાઢ પણ વેદનાને વેદતા મોટી નિર્જરાવાળા નથી. મોટા પર્યવસાનવાળા નથી. અથવા જેમ કોઈ એક પુરુષ, મોટા મોટા શબ્દવડે, મોટા મોટા ઘોષવડે, મોટા નિરંતરઘાતવડે એરણને કૂટતો-એરણ ઉપર ટીપતો હોય પણ તે (પુરુષ) તે એરણના ભૂલ પ્રકારના પુદ્ગલોને પરિશટિત-નષ્ટ કરવા સમર્થ થતો નથી, હે ગૌતમ ! એજ પ્રકારનાં નરયિકોનાં પાપકર્મો ગાઢ કરેલાં યાવતું મહાપર્યવસાન નથી અને હે ભગવન્! તેમાં જે વસ્ત્ર ખંજનના રંગથી રંગેલું છે તે સુધૌતતર છે, સુવાખ્યતર છે, અને સુપ્રતિકર્મતર છે એજ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોના સ્કૂલતર સ્કંધરૂપ કમ, શિથિલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy