SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ સમવાય ઉપરી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનાનું છે. સમવાય-૯૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧૦૦) | [૧૭] દશ-દશમિકા ભિક્ષપ્રતિમાની એક સો રાત દિવસ દરમિયાન પપ૦ દતી ગ્રહણ કરીને આરાધના કરાય છે. શતભિષા નક્ષત્રના એકસો તારા છે. અરિહંત સુવિધિનાથ (પુષ્પદંત) એક સો ધનુષ્ય ઉંચા હતા. પ્રસિદ્ધ પુરુષ અરિહંત પાર્શ્વનાથ એક સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. એજ પ્રમાણે સ્થવિર સુધમાં પણ એક સૌ વર્ષનું આયુષ્ય ભોગવીને મુક્ત થયા. સમસ્ત દીર્ઘ વૈતાઢ્ય પર્વતો સો સો કોસ ઉંચા છે. સમસ્ત લઘુ હિમવંત અને શિખરી વર્ષધર પર્વતો સો સો યોજન ઉંચો છે તથા સો સો કોસ જમીનની અંદર છે. સર્વ કાંચનગ પર્વતો સો સો યોજન ઉંચા છે. સો સો કોસ પૃથ્વીની અંદર છે. તેમના મૂળનો વિખંભ સો-સો યોજનાનો છે. સમવાય-૧૦૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પ્રકીર્ષક-સમવાય) [૧૮] અરિહંત ચંદ્રપ્રભ એકસો પચાસ ધનુષ્ય ઉંચા હતા. આરણ કલ્પમાં દોઢસો વિમાનો છે. એજ પ્રમાણે અશ્રુત કલ્પમાં દોઢસો વિમાનો છે. [૧૮૧] અરિહંત સુપાર્શ્વનાથ બસો ધનુષ્ય ઉંચા હતા. સર્વ મહાહિમવંત અને રૂકિમ વર્ષધર પર્વતો બસો બસો યોજન ઉંચા છે અને તેમનો બસો બસો કોશ જેટલાં ભાગ જમીનની અંદર છે. જંબુદ્વીપમાં બસો કાંચનગ પર્વતો છે. ' '[૧૮૨] અરિહંત પદ્મપ્રભ અઢીસો ધનુષ્ય ઉંચા હતા. અસુરકુમારોના પ્રાસાદ અઢીસો યોજન ઉંચા હોય છે. [૧૮૩ સુમતિનાથ ભગવાન ત્રણસો ધનુષ્ય ઉંચા હતા. અરિહંત અરિષ્ટનેમિ ત્રણસો વર્ષ કુંવરપદે રહીને મુંડિત થયા યાવતુ પ્રવ્રુજિત થયા. વૈમાનિક દેવોના વિમાનોના પ્રકાર ત્રણસો-ત્રણસો યોજન ઉંચા છે. શ્રમણ ભગવાન મહાવીરના ત્રણસો ચૌદપૂર્વી મુનીઓ હતા. સિદ્ધ ગતિ પ્રાપ્ત પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા ચરમ શરીરી જીવોના જીવપ્રદેશોની અવગાહના થોડા વધારે ત્રણસો ધનુષ્યની હોય છે. ૧૮૪] પુરૂષાદાનીય પાર્શ્વનાથના ચૌદ પૂર્વધારી સાડા ત્રણસો મુનિઓ હતા, અરિહંત અભિનંદન સાડાત્રણસો ધનુષ્ય ઉંચા હતા, [૧૮૫] અરિહંત સંભવનાથ ચારસો ધનુષ્ય ઉંચા હતા. સર્વ નિષધ અને નીલવંત વર્ષધર પર્વત ચારસો યોજન ઉંચા તથા ચારસો કોશ ભૂમિની અંદર છે. નિષધ અને નીલવંત વર્ષધર પર્વતોની સમીપમાં બધા વક્ષસ્કાર પર્વતો ચારસો યોજન ઉંચા તથા ચારસો કોશ ભૂમિની અંદર છે. આનત અને પ્રાણત આ બે કલ્પોમાં ચારસો વિમાન છે. શ્રમણ ભગવાન મહાવીરના એવા ચારસો વાદી મુનિઓ હતા કે જેમને દેવ, મનુષ્ય કે અસુરલોકો પરાજિત કરી શકતા ન હતા. [૧૮] અરિહંત અજીતનાથ અને સગર ચકી ૪૫૦ ધનુષ્ય ઉંચા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy