SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ સમવાય-૩ સાગરોપમની છે. આશંકર યાવતુ ચંદ્રોત્તરાવસંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ ત્રણ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને ત્રણ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે રશ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખનો અંત કરશે. સમવાય-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરતાપૂર્ણ રમવાણ-૪ [૪] કષાય ચાર પ્રકારના છે. ક્રોધ, માન, માયા અને લોભ. ધ્યાન ચાર પ્રકારના છે-આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન. વિકથા ચાર પ્રકારની છે-સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા રાજકથા. સંજ્ઞા ચાર પ્રકારની છે આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા પરિગ્રહસંજ્ઞા. બંધ ચાર પ્રકારના છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ. યોજન ચાર ગાઉનો કહ્યો છે. અનુરાધા નક્ષત્રના ચાર તારા છે. પૂવષાઢા નક્ષત્રના ચાર તારા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ ચાર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. - સૌધર્મ અને ઈશાનકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. સનત્કમાર અને મહેન્દ્રકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચાર સાગરોપમની છે. કૃષ્ટિ, સુકૃષ્ટિ, કૃષ્ટિકાવી, કૃષ્ટિપ્રભ, કૃષ્ટિયુકત, કૃષ્ટિવર્ણ, કૃષ્ટિલેશ્ય, કૃષ્ટિધ્વજ, કૃષ્ટિઝંગ કૃષ્ટિશ્રેષ્ઠ, કૃષ્ટિકૂટ, કષ્ટયુત્તરાવર્તાસક આ બાર વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટસ્થિતિ ચાર સાગરોપમની છે. તેઓ ચાર પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. તેઓને ચાર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે જે ચાર ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સવ દુખોનો અંત કરશે. સમવાય-જ-નીમુનિદીપરતનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! ( સમવાય-૫). [૫]ક્રિયા પાંચ પ્રકારની છે–કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા. મહાવ્રત પાંચ પ્રકારના છે–સર્વથા પ્રાણતિપાતનું વિરમણ, સર્વથા મૃષાવાદનું વિરમણ, સર્વથા અદત્તાદાનનું વિરમણ, સર્વથા મૈથુનનું વિરમણ, સર્વથા પરિગ્રહનું વિરમણ કરવું. કામગુણ પાંચ પ્રકારના છે– શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આશ્રવ પાંચ પ્રકારના છે– મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. સંવર પાંચ પ્રકારના છે–સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય, અયોગ. નિર્જરા સ્થાન પાંચ પ્રકારના છે–પ્રાણાતિપાતથી વિરક્ત થવું, મૃષાવાદથી વિરક્ત થવું. અદત્તાદાનથી વિરક્ત થવું, મૈથુનથી વિરક્ત થવું પરિગ્રહથી વિરક્ત થવું. સમિતિ પાંચ પ્રકારની છે– ઈયસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાત્રનિક્ષેપણા સમિતિ, ઉચ્ચાસ્પ્રશ્રવણ-શ્લેષ્મ-નાસિકામલ-શરીરનો મેલ પરઠવાની સમિતિ. અસ્તિકાય પાંચ પ્રકારના છે-ધમસ્તિકાય અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy