SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ઠાણ--પ૯૩ દિશાઓમાં લોક છે, એમ કહે છે તે મિથ્યા કહે છે આ પ્રથમ વિભંગ જ્ઞાન થયું. બીજું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ માહણને પાંચ દિશાનું લોકાભિગમ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી તે પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર દિશામાં તથા ઉપર યાવતુ સૌધર્મ દેવલોક સુધી લોકદેખે છે, તો તે પાંચ દિશાઓમાં જ છે તથા એ પણ અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે કહેવા લાગે છે કે જે લોકો “એક જ દિશામાં લોક છે” એમ કહે છે તેમિથ્યા કહે છે આ બીજું વિભાંગ જ્ઞાન થયું. ત્રીજ વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ અથવા માહણને ક્રિયાવરણ જીવનામનું વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જીવો ને હિંસા કરતા, જુઠ બોલતા, ચોરી કરતા, મૈથુન કરતાં, પરિગ્રહમાં આસક્ત રહેતા, અને રાત્રિ ભોજન કરતા,જુએ છે. પરંતુ આ બધા કત્યોથી જીવોને પાપ કર્મોનો જે બંધ થાય છે તે નથી જોઈ શકતો તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન દર્શન ઉત્પન્ન થયું છે. અને તે એમ માનવા લાગે છે કે જીવને ક્રિયા રૂપ જ આવરણ છે. સાથે એ પણ માનવા લાગે છે કે જે શ્રમણ બ્રાહ્મણ જીવ ક્રિયારૂપ આવરણવાળો નથી એમ કહે છે તે મિથ્યા કહે છે. આ ત્રીજુ વિભંગ જ્ઞાન. ચોથું વિભંગ જ્ઞાન–કોઈ શ્રમણ માહનને મુદદ્મવિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને તથા તેના વિવિધ પ્રકારનો સ્પર્શ કરીને વિવિધ પ્રકારના શરીરોની વિદુર્વણા કરતા. દેવતાઓને જુએ છે, તે સમયે તેને એવો. અનુભવ થાય છે કે મને જ લોકોતર જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે. તેથી હું જોઈ શકું છું કે જીવ મુદગ્ર અર્થાત્ બાહ્ય અને આત્યંતર પુગલો ને ગ્રહણ કરીને શરીર રચના કરવાવાળો છે. જે લોકો જીવને અમદગ્ર કહે છે તે મિથ્યા કહે છે, એમ તે કહે છેઆ ચોથું વિભંગ જ્ઞાન. - પાંચમું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ માહણને અમુદગ્ર વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે આભ્યત્તર અને બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના જ દેવતાઓને વિદુર્વણા કરતા થકા જુએ છે. તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું જોઈ શકું છું. “જીવ સમુદગ્ર છે અને તે એમ કહેવા લાગે છે કે જે લોકો જીવને મુદગ્ર સમજે છે તે મિથ્યાવાદી છે. આ પાંચમું વિભંગ જ્ઞાન થયું. છä વિભંગ જ્ઞાન–કોઈ શ્રમણ માહણને જ્યારે રૂપી જીવ નામનું વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે તે જ્ઞાનથી દેવતાઓને જ બાહ્યાભ્યતર પુદગલ ગ્રહણ કરીને અથવા ગ્રહણ કર્યા વિના વિકુવર્ણા કરતા જુએ છે. તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે અને તે માનવા લાગે છે કે જીવ તો રૂપી છે, જે લોકો જીવ ને અરૂપી કહે છે તે મિથ્યાવાદી છે. આ છઠું વિભંગ જ્ઞાન થયું. સાતમું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ માહણને જ્યારે “સર્વે જીવા” નામનું વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે વાયુથી હાલતા ચાલતા કાંપતા અને અન્ય પુદગલોની સાથે ટકરાતા પુદ્ગલોને જુએ છે ત્યારે તેને એમ લાગે છે કે મને જ અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી તે એમ માનવા લાગે છે કે “લોકમાં જે કંઈ છે તે બધું જીવ જ છે, જે લોકો લોકમાં જીવ અને અજીવ બંને માને છે, તે મિથ્યાવાદી છે. આ સાતમું વિર્ભાગજ્ઞાન થયું. એવા વિભંગ જ્ઞાનીને પૃથ્વીકાયિક આદિચાર જીવોનું સમ્યગ જ્ઞાન થતું નથી. તેથી તે તે વિષયમાં મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy