SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસી-૪ ૩૦૩ અસમયે પણ કરે છે. એક પુરૂષ સમય પર પણ નાદિ સત્કાર્ય નથી કરતો અને અસમયે પણ નથી કરતો મેઘ ચાર પ્રકારના છે, જેમકે- એક મેઘ ક્ષેત્રમાં વરસે છે પરંતુ અક્ષેત્રમાં વરસતો નથી. એક મેઘ અક્ષેત્રમાં વરસે છે પરંતુ ક્ષેત્રમાં નથી વરસતો એક મેઘ ક્ષેત્રમાં પણ વરસે છે અને અક્ષેત્રમાં પણ વરસે છે. એક મેઘ ક્ષેત્રમાં પણ નથી વરસતો અને અક્ષેત્રમાં પણ નથી વરસતો. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ પાત્ર ને દાન આપે છે પરંતુ અપાત્રને આપતો નથી. એક પુરૂષ અપાત્રને દાન આપે છે પરંતુ પાત્રને આપતો નથી, એક પુરૂષ પાત્રને પણ દાન આપે છે અને અપાત્રને પણ આપે છે. એક પુરૂષ પાત્રને પણ દાન નથી આપતો અને અપાત્રને પણ નથી આપતો. મેઘ ચાર પ્રકારના છે. એક મેઘ ધાન્યના અંકુર ઉત્પન્ન કરે છે પરંતુ ધાન્યને પૂર્ણ પકાવતા નથી. એક મેઘ ધાન્યને પૂર્ણ પકાવે છે પરંતુ ધાન્યના અંકુર ઉત્પન્ન કરતા નથી. એક ધાન્યના અંકુર પણ ઉત્પન્ન કરે છે ધાન્યને પૂર્ણ પકાવે પણ છે. એક મેઘ ધાન્યના અંકુર પણ ઉત્પન્ન નથી કરતા અને ધાન્યને પૂર્ણ પકાવતા પણ નથી. એ પ્રમાણે માતા પિતા પણ ચાર પ્રકારના છે, જેમકે- એક માતા-પિતા પુત્રને જન્મ આપે છે પરંતુ તેનું પાલન કરતા નથી. એક માતા-પિતા પુત્રનું પાલન કરે છે પરંતુ પુત્રને જન્મ આપતા નથી. એક માતા-પિતા- પુત્રને જન્મ પણ આપે છે અને તેનું પાલન પણ કરે છે. એક માતા-પિતા પુત્રને જન્મ પણ આપતા નથી અને તેનું પાલન પણ નથી કરતા. મેઘ ચાર પ્રકારના છે જેમકે- એક મેઘ એક દેશમાં વરસે છે પરંતુ સર્વત્ર નથી વરસતો. એક મેઘ સર્વત્ર વરસે છે પરંતુ એક દેશમાં નથી વરસતો. એક મેઘ એક દેશમાં પણ વરસે છે અને સર્વત્ર પણ વરસે છે. એક મેઘ એક દેશમાં વરસતો નથી અને સર્વત્ર પણ વરસતો નથી. એ પ્રમાણે રાજા પણ ચાર પ્રકારના છે- એક રાજા એક દેશનો અધિપતિ છે પરંતુ બધા દેશોને અધિપતિ નથી. એક રાજા બધા દેશનો અધિપતિ છે પરંતુ એક દેશનો નથી એક રાજા એક દેશનો અધિપતિ છે અને બધા દેશનો પણ છે. એક રાજા એક દેશનો અધિપતિ પણ નથી અને બધા દેશનો પણ નથી. [૩૬૯ મેઘ ચાર પ્રકારના કહેલ છે, જેમકે- પુષ્કારવર્ત, પ્રદ્યુમ્ન, જીમૂત, જીપ્ટ. પુષ્કરાવત આ મહામેઘની એક વર્ષોથી પૃથ્વી દસ હજાર વર્ષ સુધી ભીની રહે છે. પ્રધુમ્ન- આ મહામેઘની એક વર્ષથી પૃથ્વી એક હજાર વર્ષ સુધી ભીની રહે છે. જિપૂત આ મહામેઘની એક વર્ષથી પૃથ્વી દસ વર્ષ સુધી ભીની રહે છે. જિલ્ડઃ આ મેઘની અનેક વષઓ પૃથ્વી ને એક વર્ષ સુધી પણ ભીની રાખી શકતી નથી. ૩૭] કરંડક ચાર પ્રકારના છે- શ્વપાક - (ભંગીનો) કરંડિયો (કચરાથી ભરાયેલો હોય છે.) વેશ્યાનો કરંડિયો (આભરણથી ભરેલો હોય છે.) સમૃદ્ધ ગૃહસ્થીનો કરંડિયો (મણિરત્નજડીત આભૂષણોથી ભરેલો હોય છે). રાજાનો કરંડિયો (અમૂલ્ય રત્નોથી ભરેલો હોય છે). એ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના છે, જેમકે- શ્વપાકકરંડક સમાન આચાર્ય કેવળ લોક રંજક ગ્રંથોનો જ્ઞાતા-વ્યાખ્યાતા હોય છે. પરંતુ શ્રમણાચારનો પાલક નથી. વેશ્યાના કરંડક સમાન આચાર્ય જેનાગમનો સામાન્ય જ્ઞાતા હોય છે પરંતુ લોકરંજક ગ્રંથોનું વ્યાખ્યાન કરીને અધિક થી અધિક જનતા ને પોતાની તરફ આકર્ષિત કરે છે. ગાથાપતિના કરંડક સમાન આચાર્ય સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy