SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ઠાણ-૪/૩૩૩૪ સ્થાપિત કરી શકતો નથી. ૩૩૫]વૃક્ષ ચાર પ્રકારના કહ્યા છે- પત્રયુક્ત, પુષ્પયુક્ત, કલયુક્ત, છાયાયુક્ત. એ જ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના હોય છે. કોઈ પાંદડાવાળા વૃક્ષની સમાન હોય છે, કોઈ પુષ્પવાળા વૃક્ષની સમાન હોય છે. કોઈ ફલવાળા વૃક્ષની સમાન હોય છે. કોઈ છાયાવાળા વૃક્ષની સમાન હોય છે. [૩૩૬ભારવાહન કરવાવાળાને ચાર વિશ્રામ સ્થલ હોય છે. ભારવાહક માર્ગમાં ચાલતો પોતાના એક ખંભા પરથી બીજા ખંભા ઉપર ભાર મૂકે છે. તે પ્રથમ પ્રકાનો વિશ્રામ છે. માર્ગમાં ક્યાંય ભાર મૂકી મલ મૂત્રાદિ ત્યાગ કરે તે બીજો વિશ્રામ. માર્ગમાં નાગકુમાર સુપર્ણકુમાર આદીના મંદિરમાં રાત્રિ વિશ્રામ કરે તે ત્રીજો વિશ્રામ. જ્યાં તે ભાર પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડીને બોજો કાયમ માટે ખભા પરથી નીચે ઉતારી નાખે તે ચોથો વિશ્રામ. આ પ્રમાણે શ્રમણોપાસકને માટે ચાર વિશ્રામ સ્થળ છે. જે શ્રમણોપાસક, શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ, કરે છે તેએક પ્રકારનો વિશ્રામ છે. સામાયિક અથવા દેશાવગાશિકને સમ્યક રીતે પાલન કરે છે તે બીજો વિશ્રામ છે.આઠમ, ચૌદસ, પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિમાં પૌષધવ્રતનું પાલન કરે છે તે ત્રીજો વિશ્રામ છે. મરણ નજીક આવતાં આહાર-પાણીનો પ્રત્યાખ્યાન કરે છે, અને મૃત્યુની આકાંક્ષા વિના પાદપોપગમન સંથારો કરે છે તે ચોથો વિશ્રામ છે. [૩૩૭]ચાર પ્રકારના પુરુષો કહેલ છે. ઉદિતોદિત- મનુષ્યજન્મમાં પણ ઉદિત (મૃદ્ધ) અને આગળ પણ ઉદિત (સુખી), ઉદિતાસ્તમિત- મનુષ્યન્મમાં ઉદિત(સમૃદ્ધ) પણ આગળ (દુર્ગતિમાં જવાથી) ઉદય નહિ. અસ્તમિતોદિત- કોઈ અહિ ઉદિત નથી. પરંતુ પછી આગામી ભવમાં ઉદિત (સમૃદ્ધ) અસ્તમિતાસ્તમિત -મનુષ્ય જન્મમાં પણ ઉદિત નહિ અને આગળ પણ ઉદિત નહિ. [૩૩૮]યુગ્મ ચાર કહ્યા છે- કતયુગ્મ એક એવી સંખ્યા જેને ચારથી ભાંગી દેવા પર શેષ ચાર રહે. ચોજ એક એવી સંખ્યા જેને ત્રણથી ભાંગી દેવા પર શેષ ત્રણ રહે. દ્વાપર એક એવી સંખ્યા જેને બેથી ભાંગી દેવા પર શેષ બે રહે. કલ્યોજ એક એવી સંખ્યા જેને એકથી ભાંગી દેવા પર શેષ એક રહે. નારક જીવોને ચાર યુગ્મ છે. એ પ્રમાણે ૨૪ દેડકવર્તી જીવોના ચાર યુગ્મ છે. [૩૩૯] શૂર ચાર પ્રકારના છે, જેમકે ક્ષમાશૂર, તપશૂર, દાનશૂર, યુદ્ધજૂર ક્ષમાશૂર અરિહંત ભગવંત છે, તપશૂર અણગાર હોય છે, દાનશૂર વૈશ્રમણ દેવ છે, અને યુદ્ધશુર વાસુદેવ હોય છે. [૩૪] પુરૂષ વર્ગ ચાર પ્રકારનો છે જમકે- કોઇ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિ આદિથી ઉચ્ચ અને ઉચ્ચ અભિપ્રાયવાળો પણ હોય છે. કોઈ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિથી ઉચ્ચ પણ નીચ અભિપ્રાયવાળો હોય છે. કોઈ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિથી હીન પણ ઉચ્ચ વિચારવાળો હોય છે. કોઈ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિથી પણ હીન અને ઔદાયદિ ગુણોથી પણ હીન છે. [૩૪૧] અસુરકુમાર દેવોને ચાર લેશ્યાઓ હોય છે-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, અને તેજલેશ્યા. એ પ્રમાણે શેષ ભવનવાસી દેવોની પૃથ્વીકાય અપકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy