SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસો-ર ૨૮૩ પરિષહોને જીતવાવાળો છે પરંતુ પરિષહોથી પરાજિત થવાવાળો નથી હોતો. કોઈ સાધુ પરિષહોથી હારવાવાળો છે. જીતવાવાળો હોતો નથી. એક સાધુ પરિષહોથી હારવાવાળો અને અને જીતવાવાળો પણ હોય છે. એક સાધુ પરિષદોથી હારવાવાળો અને જીતવાવાળો પણ નથી. બીજી રીતે પણ સેના ચાર પ્રકારની કહેલ છે- એક સેના યુદ્ધના આરંભમાં પણ શત્રુ સેનાને જીતે છે અને અંતમાં પણ જીતે છે. એક સેના યુદ્ધના આરંભમાં શત્રુ સેનાને જીતે છે પણ યુદ્ધના અંતે પરાજિત થાય છે. એક સેના યુદ્ધના આરંભમાં પરાજિત થાય છે પરંતુ યુદ્ધના અંતમાં વિજય પ્રાપ્ત કરે છે. એક સેના યુદ્ધના આરંભમાં પણ અને અંતમાં પણ પરાજિત થાય છે. એ પ્રમાણે પરિષહોથી વિજયી પરાજિત થવા વાળા પુરુષો ચાર પ્રકારે છે એમ જાણવા. [૩૧૨] ચાર પ્રકારની રાજિઓ કહેલી છે યથાપર્વતરાજિ, પૃથ્વીરાદિ, વાસુકારાજિ અને ઉદકરાજિ. એવી જ રીતે ચાર પ્રકારનો ક્રોધ કહેલ છે. પર્વતરાજ સમાન, પૃથ્વીરાજ સમાન, વાયુકારાજિસમાન અને ઉદકરાજિસમાન. પર્વત રાજિસમાન. અનન્તાનુબંધી ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો નરક ગતિમાં ઉત્પન્ન થાય. પૃથ્વી રાજિસમાન અપ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય.વાલુકા રાજિસમાન પ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો મનુષ્યમાં ઉત્પન્ન થાય. સંજવલન ક્રોધમાં પ્રવિષ્ટ જીવકાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય. વક્ર વસ્તુઓ ચાર પ્રકારની કહેલી છે, જેમકે- વાંસની જડની સમાનવક્ર, ઘેટાના શૃંગની સમાન વક્ર ગૌમૂત્રિકાની સમાન વક્ર, વાંસની છાલની સમાન વક્ર. એ પ્રમાણેવાંસના જડની સમાન વક્ર માયા કરવાવાળો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે ઘેટાના. શીંગ સમાન વક્રતાવાળી માયાવાળો જીવ મરીને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે. ગોમુત્રિકાની સમાન વક્રતાવાળી માયાવાળો જીવ મરીને મનુષ્યયોનિમાં જન્મે છે. વાંસની છાલની સમાન વક્રતા વાળી માયાવાળો જીવ મરીને દેવયોનીમાં ઉત્પન્ન થાય છે. સ્તન્મ ચાર પ્રકારના છે, જેમકે- શૈલસ્તમ્ભ, અસ્થિસ્તમ્ભ, દારુસ્તમ્ભ અને તિનિસલતાસ્તમ્ભ એ પ્રમાણે માન ચાર પ્રકારના છે, શૈલસ્તમ્ભ સમાન, અસ્થિસ્તમ્ભ સમાન, દારૂસ્તમ્ભ સમાન અને તિનિસલતા સ્તન્મ સમાન, શૈલસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. અસ્તિસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ મરીને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે. દારૂસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ મરીને મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે નિતિસલતા તન્મ સમાન માન કરનારો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. વસ્ત્ર ચાર પ્રકારના કહેલ છે જેમકે કૃમિ રાગથી રંગેલું વસ્ત્ર. ૨ કર્દમ રાગથી રંગેલું વસ્ત્ર. ૩ ખંજન રાગથી (મેશથી) રંગેલું વસ્ત્ર હળદર રંગથી રંગેલું વસ્ત્ર. એ પ્રમાણે લોભના ચાર પ્રકાર કહેલ છે- કૃમિ રાગથી રંગેલા વસ્ત્રની સમાન. કીચડથી રંગેલા વસ્ત્રસમાન. ખંજનથી રંગાયેલા વસ્ત્રસમાન. હળદરથી રંગેલા વસ્ત્રસમાન. કૃમિરંગથી રંગેલા વસ્ત્રસમાન લોભકરવાવાળો જીવ મરીને નરકમાં જાયછે. કીચડથી રંગેલા વસ્ત્રસમાન લોભ કરવાવાળો જીવ મરીને તિર્યંચમાં જાય છે. ખંજનથી રંગેલા વસ્ત્રસમાન લોભ કરવાવાળો જીવ મરીને મનુષ્યમાં જાય છે. હળદરથી રંગેલા વસ્ત્રસમાન લોભ કરવાવાળો જીવ મરીને દેવતાઓમાં જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy