SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સૂયગડો- રાગ૮૦૩. નિર્ચન્થો-હા, અવશ્ય યોગ્ય છે. ગૌતમ-તો શું તેઓ દીક્ષા ગ્રહણ કરીને સમસ્ત પ્રાણીઓને દંડ દેવાનું છોડી દેશે? અથવા છોડી દે છે? નિગ્રન્થો-હા, છોડી દેશે અને છોડી દે છે. ગૌતમ-હવે તેઓ દીક્ષારયયમાં સ્થિત રહી ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી થોડા કે ઘણા દેશોમાં વિચારી ફરીથી ગૃહસ્થ બની જાય, એમ પણ બને ખરું ? નિગ્રન્થો-હા એમ પણ બની શકે. ગૌતમ-તેઓ ગૃહસ્થ બન્યા પછી સંપૂર્ણ પ્રાણી પાવતુ સંપૂર્ણ ભૂતોને દંડ આપવાનું છોડી દે છે? નિર્ગળ્યો આ પ્રમાણે બનતું નથી. આ અર્થ સમર્થ નથી. (અથતુ સાધુપણું છોડી ગૃહસ્થ બનનાર વ્યક્તિ પ્રાણીઓને દંડ આપવાનું પુનઃ શરૂ કરે છે. માટે તે પ્રમાણે બનતું નથી.) ગૌતમસ્વામી-હે નિર્ચન્હો ! તે તે જ જીવ છે જેણે દીક્ષા લીધા પહેલાં અથતું ગૃહસ્થાવસ્થામાં સંપૂર્ણ પ્રાણી યાવતુ સત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો ન હતો. તથા તે તે જ જીવ છે જેણે દીક્ષા લીધા પછી સમસ્ત પ્રાણીઓ યાવત્ સત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો હતો તથા તે તેજ જીવ છે કે જે અત્યારે ગૃહસ્થભાવ અંગીકાર કરીને સંપૂર્ણ પ્રાણી થાવત્ સત્વોને દંડ આપવાથી નિવૃત્ત નથી. તે પ્રથમ અસંયમી હતો પછી સંયમી બન્યો અને હવે પાછો અસંયમી બની ગયો. અસંયમીની જીવહિંસાની પ્રવૃત્તિ બંધ હોતી નથી, તેથી તે પુરુષ અત્યારે સંપૂર્ણ પ્રાણી પાવતું સત્વોને દંડ આપવાનો ત્યાગી નથી. હે નિર્ગળ્યો! આ પ્રમાણે જ જાણો અને એમજ જાણવું જોઈએ. ૮૦૪] ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું- હે આયુષ્મનું નિર્ચન્હો ! આ લોકમાં પવ્રિાજકો કે પરિવ્રાજકાઓ અન્ય તીર્થમાં રહીને પણ ધર્મ સાંભળવા સાધુ પાસે આવી શકે છે ? નિર્ચન્હો- હા, આવી શકે છે. ભગવાન ગૌતમ સ્વામી- શું તેમને ધર્મોપદેશ આવવો જોઇએ ? નિર્ચન્હો- હા, આપવો જોઈએ. ગૌતમ- ધર્મ સાંભળ્યા પછી તેમને વૈરાગ્ય પ્રાપ્ત થાય અને દીક્ષા લેવા ઈચ્છે તો તેમને દીક્ષા આપવી જોઈએ ? નિર્ગળ્યો- હા, દીક્ષા આપવી જોઈએ. ગૌતમ- દક્ષા લીધા પછી તેઓ સાધુના સંભોગ (સાધુઓની પારસ્પરિક વ્યવહારક્રિયા સાથે આહાર કરવો વિગેરે) શું યોગ્ય છે ? નિર્ગળ્યો- હા, અવશ્ય યોગ્ય છે. ગૌતમ, તેમાંથી કોઈ થોડો સમય દીક્ષાનું પાલન કરતાં વિચરીને ફરીથી ગૃહસ્થ બની જાય ખરો ? નિર્ગળ્યો- હા, બની જાય. તો પછી તે તથા પ્રકારે ગૃહસ્થ બનીને) સાધુના સંભોગને (આહારાદિ કરવા) યોગ્ય રહી શકે ? નિર્ચન્હો- ના, તે વાત ઉચિત નથી. ગૌતમ સ્વામી- તો હનિર્ગળ્યો! તે તે જ જીવ છે કે જીવની સાથે દીક્ષા લીધા પહેલાં સાધુઓને સંભોગ કરવો કલ્પતો ન હતો. અને હવે જ્યારે તેણે દીક્ષા છોડી દીધી ત્યારે સંભોગ કરવો કલ્પતો નથી. તે જીવ પ્રથમ અશ્રમણ હતો, પછી શ્રમણ બની ગયો અને અત્યારે પાછો આશ્રમણ છે. અશ્રમણ સાથે શ્રમણનો સંભોગ કલ્પતો નથી. હે નિર્ઝન્યો! આ પ્રમાણે જ જાણો અને એમ જ જાણવું જોઈએ. ભગવાન ગૌતમ સ્વામી- કેટલાંક શ્રમણોપાસકો હોય છે. જેઓ નિર્ચન્હો પાસે) એવું કહે છે, અમે પ્રધ્વજ્યા ધારણ કરીને ગૃહસ્થમાંથી અણગાર બનીએ એવું અમારામાં સામર્થ્ય નથી. તેથી અમે ચૌદશ, આઠમ અને પૂર્ણિમા ના દિવસે પરિપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy