SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સૂયગડો - ૨૩-૬૮૯ કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામીને વનસ્પતિકાયનો અને ત્રસ તથા પૃથ્વી આદિ સ્થાવરોનો આહાર કરી તેને પોતાના શરીર રૂપે પરિણત કરી લે છે. તેઓના નાના પ્રકારના બીજા પણ શરીરો હોય છે તેમ શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. ત્યારબાદ શ્રી તીર્થંકર ભગવાને અનેક જાતિવાળા સ્થળચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય કહ્યા છે. જેમકે-એક ખરીવાળા બે ખરીવાળા ચંડીપદ અને નખયુક્ત પગવાળા હોય છે. તે જીવ પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તેમાં પણ સ્ત્રી પુરુષનો સંયોગ કમનુિસાર હોય છે. તે સંયોગ થવા પર તે જીવ ચતુષ્પદ જાતીય ગર્ભમાં આવે છે. તે માતા અને પિતાના લોહી અને શુક્રનો પ્રથમ આહાર કરે છે. તે જીવ ગર્ભમાં સ્ત્રી, પુરુષ, નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ ગર્ભમાં માતાના આર્તવનો અને પિતાના શુકનો આહાર કરે છે. શેષ મનુષ્યની સમાન સમજવું. તેમાં કોઈ સ્ત્રી, પુરુષ, નપુંસકપણે ઉત્પન્ન થાય છે, તે જીવ બાલ્યાવસ્થામાં માતાના દૂધનો અને વૃતનો આહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામીને વનસ્પતિકાયનો, અને ત્રસ અને સ્થાવર આદિનો પણ આહાર કરે છે, આહાર કરીને, પચાવીને પોતાના રૂપે પરિણમાવે છે. તે અનેક જાતિવાળા સ્થલચર ચતુષ્પદ જીવોના અનેક વર્ણવાળા બીજા શરીરો હોય છે તેમ જિનેશ્વરે કહ્યું છે. ત્યારબાદ શ્રી તીર્થંકર ભગવાને અનેક પ્રકારના તિર્યંચો કહ્યા છે- ઊરપરિ સર્પ-પૃથ્વી ઉપર છાતીથી ચાલનારા અને પાંચ ઈન્દ્રિયોથી યુક્ત હોય છે. તેઓનું વર્ણન આ પ્રમાણે છે-સર્પ, અજગર, આશાલિક અને મહોરગ. આ જીવો પૃથ્વી પર છાતી દ્વારા ચાલે છે. તેથી તેને ઉરપરિસર્પ સ્થલચરતિર્યંચ કહ્યા છે. તે પ્રાણી પણ પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર જ ઉત્પન્ન થાય છે. તે જીવોમાં પણ સ્ત્રી-પુરુષનો. મૈથુન નામક સંયોગ હોય છે અને સંયોગ થવા પર કર્મ અનુસાર પ્રાણી તે યોનિમાં ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવતુ તેમાં ઈડા ઉત્પન્ન કરે છે, કોઈ બચ્યું ઉત્પન્ન કરે છે. તે ઈડુ ફૂટ્યા બાદ સ્ત્રી, પુરુષ કે નપુંસકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ બાલ્યાવસ્થામાં વાયુકાયનો આહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામી વનસ્પતિકાયનો અને ત્રણ સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિ કાયાનો પણ આહાર કરે છે. આહાર પચાવીને પોતાના રૂપમાં પરિણમાવે છે. પૃથ્વી પર છાતી દ્વારા ચાલનારા જે સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સર્પથી લઈ મહોરગ પર્વત કહેલ છે, તેમાં અનેક વર્ણ, અનેક ગધે, અનેક રસ, અનેક સ્પર્શવાળા બીજા શરીરો હોય છે, તેમ તીર્થંકર ભગવાને કહ્યું છે, ત્યારબાદ અનેક જાતિવાળા ભુજાની સહાયતાથી પૃથ્વીપર ચાલનારા પંચેન્દ્રિય તિર્યંચો છે. તે વિષયમાં શ્રી તીર્થકરે આ પ્રમાણે કહ્યું છે-ભુજાના બળથી ચાલનારા તિર્યંચો છે, જેમકે ઉંદર, સરડો, કાંચીડો, સલ, સરવ, ખર, ગરોળી, મૂષક, મંગુસ, પદલાલિત, બિડાલ, જોધ અને ચતુષ્પદ. તે પણ પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તે જીવ પણ સ્ત્રી અને પુરુષના સંયોગ વિશેષથી ઉત્પન્ન થાય છે. વિશેષ પૂર્વવતુ, તે જીવ આહાર કરી પચાવી પોતાના રૂપે પરિણમાવે છે. તે અનેક જાતિવાળા ભુજાના બળે ચાલનારા તિર્યંચોમાં અનેક વર્ણવાળા શરીર હોય છે, તેમ તીર્થકરે કહ્યું છે. ત્યારબાદ અનેક જાતિવાળા આકાશચારી પંચેન્દ્રિય તિર્યંચના વિષયમાં કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy