SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સૂયગડો-૨/ ૧ ૪૧ ભોજન પાણી માણસોને આપવામાં આવે છે. તેને ત્યાં દસ-દાસીઓ તથા ગાય, ભેંસ અને બકરીઓની અધિકતા હોય છે. તેનો ખજાનો દ્રવ્યથી, કોઠાર અનથી અને શસ્ત્રશાલા શસ્ત્રોથી પરિપૂર્ણ હોય છે. તે શક્તિશાળી હોય અને શત્રુઓને શક્તિહીન બનાવેલા હોય છે. ચોર, જાર વગેરે દુષ્ટ મનુષ્યોથી પ્રજાને અપાતા ઉપદ્રવોને દૂર કરનાર તથા તેઓનું અહમ્ ઓગાળનાર હોય છે. કંટકની સમાન પીડા આપનારા ઉપદ્રવીઓથી તેનું રાજ્ય વર્જિત હોય છે. તેનું રાજ્ય શત્રુઓના ભયથી તથા દુર્મિક્ષ અને મહામારીના ભયથી રહિત હોય છે. આ પ્રમાણે તેમના રાજ્યનું વર્ણન ઉવવા સૂત્રમાં કર્યું છે. તે પ્રમાણે જાણવું. તે રાજા સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત રાજ્યનું પાલન કરતો વિચરે છે. તે રાજાની સભા હોય છે. તે સભામાં ઉગ્રવંશી, અને ઉગ્રપુત્ર, ભોગવંશી અને ભોગપુત્ર, ઈક્વાકુ ક્ષત્રિય અને ઈક્વાકુ પુત્ર, જ્ઞાત અને જ્ઞાતપુત્ર, કુરુવંશી, તથા કુરુપુત્ર, સુભટ અને સુભટપુત્ર, બ્રાહ્મણ અને બ્રાહ્મણપુત્ર, લિચ્છવી, અને લિચ્છવીપુત્ર, મંત્રી અને મંત્રીપુત્ર, સેનાપતિ, સેનાપતિપુત્ર આદિ સર્વ તેની સભાના સભાસ હોય છે... એવા રાજાઓમાંથી કોઇ રાજા ધર્મશ્રદ્ધાળુ હોય છે, કોઇ શ્રમણ કે બ્રાહ્મણ તે શ્રદ્ધાળુની પાસે જવાનો વિચાર કરે અને કોઈ એક ધર્મવિષયક શિક્ષા દેનાર શ્રમણ કે બ્રાહ્મણ એવો નિશ્ચય કરે કે અમે તેને અમારા ધર્મની શિક્ષા આપીશું. આમ વિચાર કરીને તે શ્રમણ બ્રાહ્મણ તે શ્રદ્ધાળુની પાસે જાય છે અને કહે છે-હે પ્રજાનું રક્ષણ કરનાર રાજનું! હું તમોને ઉત્તમ ધર્મનું સ્વરૂપ બતાવું છું. તમો તેને સમજો.પ્રથમ પુરુષ તજીવ તચ્છરીર વાદી. તે પુષ્કરિણી રૂપ જગતમાં ઉત્તમ કમળ સમાન રાજાનો ઉદ્ધાર કરવા ઇચ્છે છે, તે આ પ્રમાણે કહે છે- પગના તળિયાથી લઈ ઉપર માથાના વાળ પર્યન્ત અને તિર્જી ચામડી સુધી જે શરીર છે તે જ સંપૂર્ણ જીવની અવસ્થા છે, કારણકે આ શરીરના જીવવા પર જીવે છે અને શરીરના મરવા પર જીવ મરે છે. શરીરના સ્થિત રહેવા પર જીવ સ્થિત રહે છે. શરીરનો નાશ થાય એટલે જીવનો નાશ થાય છે. તેથી જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જીવન છે. ત્યારે તેને બાળવા માટે બીજા માણસો લઈ જાય છે. અગ્નિમાં શરીર બળી જાય છે અને કપોત વર્ણના. હાડકા બાકી રહી જાય છે. પછી મૃતદેહને ચાર જણા ઉપાડનારા અને પાંચમી ઠઠારી એમ પાંચેય પોતાના ગામમાં પાછા ફરે છે. આ પ્રમાણેની અવસ્થા દેખાતી હોવાથી સ્પષ્ટ જણાય છે કે શરીરથી ભિન્ન જીવ નામક કોઈ દ્રવ્ય નથી. કારણ કે શરીરથી ભિન્ન જીવ પ્રતીત થતો નથી. તેથી જે લોકો શરીર અને જીવને જુદા જુદા માનતા નથી તેમનો સિદ્ધાંત યુક્તિ-યુક્ત છે. પરન્તુ જે લોકો કહે છે કે જીવ જુદો છે અને શરીર જુદું છે, તેઓ તે બતાવવા શક્તિમાન નથી કે આત્મા દીર્ઘ છે કે વસ્વ છે ? ગોળાકાર છે કે દડા જેવો છે ? ત્રિકોણ છે કે ચતુષ્કોણ ? પહોળો છે કે પકોણવાળો છે કે અષ્ટકોણવાળો છે? તે કાળો, નીલો, લાલ, પીળો કે સફેદ છે? સુગંધી છે કે દુર્ગધી? તે તીખો, કડવો, કસાયેલો ખાટો કે મીઠો છે? તે કર્કશ છે કે સુવાળો? ભારે છે કે હલકો છે? ઠંડો છે કે ગરમ છે? સ્નિગ્ધ છે કે રૂક્ષ ? શરીર સિવાય આત્માનું ઉપરોક્ત પ્રમાણેનું સંવેદન કે અનુભવ હોતો નથી તેથી જીવ અને શરીરને જુદા જુદા માનનારાઓ આત્માને શરીરથી જુદો નથી પામી શકતા; જેમ કોઈ પુરુષ માનમાંથી તલવાર બહાર કાઢીને માન અને તલવાર બંનેને જુદા જુદા બતાવી શકે છે. જેમ કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy