SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ સૂયગડો STS STS બીજું અંગ-સૂત્ર-ગુર્જરછાયા VW * શ્રતસ્કન્ધઃ ૧ (અધ્યયનઃ ૧-સમય) -: ઉસો-૧ [૧] મનુષ્ય બોધ પ્રાપ્ત કરવો જોઈએ અને બંધનને જાણીને તોડવા જોઈએ. વીર ભગવાને બંધન કોને કહેલ છે? અને શું જાણીને બંધ તોડવું જોઈએ? [૨] સચિત્ત તથા અચિત્ત તુચ્છ વસ્તુનો સ્વલ્પ પણ પરિગ્રહ રાખે છે, તેમજ બીજાને પરિગ્રહ રાખવાની અનુજ્ઞા આપે છે તે પુરુષ દુઃખથી મુક્ત થતો નથી. [૩] જે મનુષ્ય સ્વયં પ્રાણીઓનો ઘાત કરે છે, બીજા પાસે ઘાત કરાવે છે અથવા ઘાત કરનાર પુરુષને અનુમોદન આપે છે તે પોતાનું વેર વધારે છે. [૪] જે મનુષ્ય જે કુળમાં જન્મે છે અથવા જેની સાથે નિવાસ કરે છે, તેની ઉપર એવું મમત્વ કરીને લેપાય છે અન્ય અન્ય પદાથોમાં આસક્ત થતો જાય છે. [પ ધન-વૈભવ અને માતા-પિતા, વગેરે રક્ષા કરવા સમર્થ નથી. તથા જીવન પણ. અલ્પ છે, એવું જાણી જે આરંભ-નો ત્યાગ કરે છે તે કર્મથી દૂર થાય છે. [ કોઈ કોઈ શ્રમણ (શાક્ય આદિ ભિક્ષુ) અને બ્રાહ્મણ પરમાર્થને નહીં જાણતા પોતાના સિદ્ધાંતોમાં અત્યંત બદ્ધ થયેલા અરિહંત ભાષિત શાસ્ત્રોનો ત્યાગ કરી, કામભોગોમાં આસક્ત થાય છે. [૭-૯] બૃહસ્પતિ મતના અનુયાયી ચાવકનો મત આ છે કે જગતમાં પૃથ્વી, પાણી, તેજ, વાયુ, અને આકાશ એ પાંચ મહાભૂત છે. આ પાંચ મહાભૂતો છે. તેઓનાં સંયોગથી એક (ચેતના) ઉત્પન્ન થાય છે, તે ભૂતોનો નાશ થતાં તેનાથી ઉત્પન્ન ચેતના પણ નાશ પામે છે. જે પ્રમાણે એક જ પૃથ્વી-સમૂહ નાના પ્રકારનો દેખાય છે, તે પ્રમાણે એક આત્મા સમસ્ત જગતરૂપ દેખાય છે. [૧૦] કોઈ કહેછે એક જ આત્મા છે, અનેક નથી. પણ આરંભમાં આસક્ત રહેનારા પાપ કર્મ કરીને પોતે જ દુઃખ ભોગવે છે, બીજો કોઈ ભોગવતો નથી. [૧૧-૧૨] પાંચ ભૂતોના સમુદાયથી આત્માની ઉત્પત્તિ થાય છે. પ્રત્યેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy