SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૭ ૧૪૭ [અથવા (૧)આજ્ઞાવિચય,(૨)અપાય વિચય, (૩)વિપાક વિચય, (૪)સંસ્થાન વિયને અર્થે જે વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. - જે અપ્રમત સંયતને હોય છે.] 1 [5]શબ્દશાનઃશાણી-જિનાજ્ઞા અપાય-દુઃખ विपाक-३५ સંસ્થાન-લોકાકૃત્તિ નિવય-ચિંતન,વિવેક ધર્મમ-ધર્મધ્યાન અપ્રમત્ત સંત-સંયતની અપ્રમત્ત અવસ્થા [6]અનુવૃત્તિ-૩૪મસંહનર્ણ, સૂા. ૬:૨૭ ધ્યાન શબ્દની અનુવૃત્તિ અહીં લેવી. U [7]અભિનવટીકા-ધ્યાન ચાર પ્રકારે કહેવાયું છે. પણ જેને અત્યંતર તપ કહી શકાય તેવા સુધ્યાન ના બે ભેદ છે. જેમાંનું એક ધર્મધ્યાન. આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ એ બે વાત આવરી લીધી છે.. (૧)ધર્મધ્યાન ના ભેદો (૨)ધર્મધ્યાનના અધિકારી જ વિષય-સૂત્રમાં ચતુર્થી વિભકત્યન્ત એવો વિવય શબ્દ છે. -આ શબ્દ માસા વગેરે ચારે સાથે જોડવાનો છે. -વિવય એટલે-ચિંતન,પર્યાલોચન, વિવેક, વિચારણા મારાવિવય:૪ આજ્ઞા વિચય એટલે જિનાજ્ઞાનો વિવેક તે અર્થે જે વિચારણા. $ વીતરાગ-સર્વજ્ઞપુરુષની આજ્ઞા શી છે? તે જાણી-શોધી તેના રહસ્ય સંબંધિ જે વિચારણા કરવી તે આજ્ઞા વિચય ધર્મધ્યાન. $ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા સકલ જીવોને હિતકારી છે. સર્વ પ્રકારના દોષોથી રહિત છે. એમની આજ્ઞામાં ઘણા ગૂઢ રહસ્યો રહેલાં છે. આથી અતિ લઘુકર્મીનિપુણ પુરુષોજ એમની આજ્ઞાને સમજી શકે છે. ઇત્યાદિ ચિંતન તથા સાધુઓના માટે અને શ્રાવક આદિના માટે ભગવાનની કઈ કઈ આજ્ઞા છે એ વિશે એકાગ્રતા પૂર્વક પર્યાલોચન એઆજ્ઞા વિચય ધર્મધ્યાન છે. # સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રી વિતરાગ પરમાત્માની આજ્ઞા સર્વભવ્ય જીવોને ઉત્તરોત્તર આત્મસાધક હોવાથી તેમની આજ્ઞાને અનુસરવા માટેની ઉત્કૃષ્ટ ઉત્કંઠા તે આજ્ઞા વિચય ધર્મધ્યાન સમજવું. आज्ञाविचयाय स्मृत्ति समन्वाहारो धर्मध्यानम् । ૪ આજ્ઞા વિચયને માટે જે પુનઃપુનઃવિચારણા આજ્ઞાનાવિષયમાંજચિન્તાનો નિરોધ કરવો તે ધર્મધ્યાન છે. # આજ્ઞાના પર્યાલોચન રૂપે પરિણામ પામતી એક ચિન્તા તે ધર્મધ્યાન કહેવાય છે. પ્રભુની આજ્ઞાના પર્યાલોચન મય આત્માને બનાવે, ત્યારે તે આજ્ઞા વિચય ધર્મધ્યાને લીન છે તેમ કહેવાય છે. આજ્ઞા રહિત ધર્મપાલન અશકય હોવાથી આ ધ્યાનને પ્રથમ જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy