SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૭ ૧૨૩ પણ જે ધ્યાન હોય છે તે વાત સાથે કોઈ વિરોધ આવતો નથી. ભરતક્ષેત્રમાં સ્થિતિ આ ભરત ક્ષેત્રમાં વર્તમાન કાળમાં સામાન્ય કોટિનું ધ્યાન છે, આ સૂત્રમાં કહેવાયેલ પ્રબળ કોટીનું ધ્યાન નથી કારણ કે આવા ધ્યાન માટે પ્રબળ માનસિક એકાગ્રતા જોઈએ પ્રબળ માનસિક એકાગ્રતા માનસિક બળ પર આધાર રાખે છે અને માનસિક બળ અમુક પ્રકારના શારીરિક બળ વિના ન આવી શકે. ધ્યાન માટે જરૂરી શારીરિકબરૂળ શરીરના મજબુત સંઘયણની અપેક્ષા રાખે છે માટે જ આ સૂત્રમાં ઉત્તમ સંઘયણ વાળાને આ ધ્યાન હોઈ શકે એમ કહ્યું છે. જયારે વર્તમાન કાળમાં કેવળ સેવાર્તનામનું છઠ્ઠું સંઘયણ હોવાથી ઉત્તમ સંઘયણનો અભાવ છે, માટે આ કાળમાં પ્રસ્તુત સૂત્રોત ધ્યાન સંભવતું નથી. * સૂત્ર સારાંશ: ૧-પ્રથમના ચાર ઉત્તમ સંઘયણ ધરાવતા આત્માઓ જયારે સમસ્ત પરભાવની ચિંતા છોડીને આત્મસાધનામાં ઉપકારી એવા કોઈ કસમ્યફદ્રવ્ય-ગુણ યા પર્યાય સ્વરૂપમાં તન્મય સ્વરૂપે મન,વચન, કે કાયાની સ્થિરતા વડે સ્થિર ચિત્તે તેની વિચારણા કરે, તેને સમ્મધ્યાન કહેવામાં આવે છે. ૨-સૂત્રમાં કહેવાયેલ વિજ્ઞાનરોધ એફકત તુચ્છ અભાવરૂપનથી કિન્તુ ભાવાત્તર રૂપ છે. કેમ કે અસત્ ધ્યાન-ચિન્તામાંથી સના ભાવ તરફની ગતિ હોય છે અથવા મિથ્યા-મોહ જન્ય દુર્બાન માંથી સમ્મસુધ્યાન પ્રતિ ભાવાત્તર હોય છે. * ૩-કેવળ આખો મીંચીને બેસવું કે શ્વાસોચ્છવાસનો નિરોધ કરવો તેને પણ ધ્યાન કહી શકાય નહીં. એ જ રીતે શ્વાસોશ્વાસ ને ગણવા તે પણ ધ્યાન નથી કેમ કે ગણતરી સમયે એકાગ્રતાને બદલે વ્યગ્રતા વધી જવા સંભવ રહે છે. : ૪-ધ્યાનની સિધ્ધિ માટે ગુપ્તિ-સમિતિ-પરીષહજય-ભાવના વગેરે ભૂમિકા રૂપ છે. પ- કેવળી ભગવંતને વાક્કાયના યોગનો નિરોધ એ જ ધ્યાન કહેવાયું છે. કેમકે ભાવમનનો અભાવ હોય છે અર્થાત્ તેમને મનો વ્યાપારનો અભાવ હોય છે. U [8]સંદર્ભઃજ આગમ સંદર્ભ (१)अंतोमुत्तमंतं चित्तावत्थाणमेगवत्थुमिछउमत्थाणं झाणं जोगनिरोहोजिणाणं तु સ્થાનાંગ વૃત્તિ (૨)આ સૂત્રનો બીજો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર-૨૮ માં સાથે મુકાયેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)સમય મામુહૂર્તત- સૂત્ર:૨૮ (૨)ભેદ સાર્વરૌદ્રધર્મશુનિ - સૂત્ર.૨:૨૧ (૩)સૂચના સૂત્ર ૧:૩૦થી ૨:૪૬ સુધી હવે ધ્યાન વિષયક સૂત્રો જ આપેલા છે. # અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા ૩૬- વિવરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy