SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૦ I [5]શબ્દ જ્ઞાનઃતતે. તે જ્ઞાન જેના દ્વારા વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થાય તેને પ્રમાણ કહે છે. U [6]અનુવૃત્તિ - મસ્કૃિતાર્વાધમન:પર્યાયવનિસાનમ્ સૂત્ર અહીં અનુવર્તે છે. I [7]અભિનવટીકા-પદાર્થનું સ્વરૂપ નક્કી કરવા માટે પ્રથમ-જ્ઞાનની જરૂર પડે છે. “જ્ઞાનમાનું પ્રમાણપણું પણ જ્ઞાનનું જ એક સ્વરૂપ છે.' અર્થાત જ્ઞાન પ્રમાણરૂપ છે અને તેની વહેંચણી આ સૂત્ર જણાવે છે. - જ્ઞાનના મતિ શ્રત આદિ જે પાંચ પ્રકારો કહ્યા છે. તે પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રમાણમાં વિભકત થાય છે. પ્રમાણનો અર્થ-સ્વરૂપ અને પ્રકારોની વિસ્તૃત ચર્ચા પૂર્વે સૂત્રઃ ની અભિનવટીકામાં થયેલી જ છે. છતાં સામાન્ય અર્થને અહીંપુનઃજણાવેલ છે. પ્રમાણ અંગે કપિલે ત્રણ ભેદ કહ્યાં છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ અક્ષપાદે ઉપમાન સહિત ચાર પ્રમાણો કહ્યા. મીમાંસકે અર્થપત્તિ અને અભાવ સહિત છ પ્રમાણો ગણાવ્યા છે. માયા સૂનવીયે પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ કહ્યા. કાણભૂજે બે અથવા દર્શન ભેદથી ત્રણ પ્રમાણ કહ્યા. આ બધા ભેદોનું નિરસન કરીને જૈન દર્શનકાર જ્ઞાનને જ પ્રમાણ રૂપ ગણાવી પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણો જણાવે છે. પ્રમાણનું સ્વરૂપઃ- પ્રયોગનેને તિ પ્રમાણમ જેમાં મીયોગનેન તિ માનમ કહી માન એટલે જેના વડે મપાય તે એવો અર્થ કર્યો અનો અર્થ પ્રવૃષ્ટ કર્યો છે. આ શબ્દ અને મન શબ્દનો ઉપપદ સમાસ કર્યો છે. પ્રકૃષ્ટ માપન એટલે પ્રમાણ. છે જેના વડે વસ્તુના નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મોનો નિર્ણયાત્મક બોધ થાય તેને પ્રમાણ કહેવાય છે. - ૪ યુત્પત્તિ અર્થ-મિતિ પ્રમીયોને પ્રમિતિ માર્ગ વા પ્રમાણમ્ જે સારી રીતે માનકરી શકે છે (માપી શકે છે, જેના દ્વારા સારી રીતે માપન કરાય છે. અથવા પ્રમિતિ માત્ર પ્રમાણ છે. * સૂત્રમાં આગળ કહેવાનારા લંદની અપેક્ષાએ દ્વિવચન [પ્રમાણેમુકેલ છે તેના માથે પરોક્ષ અને પ્રત્યક્ષમત એવાબે ભાવિ સૂત્રોમાં કહેવાનારબે પ્રમાણનો નિર્દેશ પ્રાપ્ત થાય છે અને આવા દ્વિવચનના ઉપયોગ થકી પ્રમાણના ભેદોની અન્ય સંખ્યા કે પ્રકારોનું પણ નિરાકરણ થઈ જાય છે. $ મત કૃતા. સૂત્રામાં પાંચ જ્ઞાનોને દર્શાવી આ સૂત્રમાં તેની પ્રમાણતા દર્શાવી છે. અન્ય દર્શનકારો જ્ઞાનને બદલે સન્િકર્ષ અને ઇન્દ્રિય વગેરેને પ્રમાણ માને છે તે માન્યતાના નિવારણ સાથે જ્ઞાન જ પ્રમાણ રૂપ છે તેમ આ સૂત્ર સાબિત કરે છે. જ કેટલીક શંકાઓઃ(૧)જો જ્ઞાનને પ્રમાણ માનશો તો ફળ શું થશે? અહીં એવી શંકા કરે છે કે ફળનો અર્થાધિગમ અર્થાતજ્ઞાન છે. જો જ્ઞાન જ પ્રમાણરૂપ ગણશો તો ફળ શું થશે? માટે (ઇન્દ્રિય અને પ્રદાર્થના સંબંધ રૂપ) સન્નિકર્ષ અથવા ઇન્દ્રિય ને જ પ્રમાણ માનવાથી જ્ઞાન એ પ્રમાણનું ફળ બનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy