SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કારણભાવ સંબંધ થયો. જ સૂત્રસારાંશ - આ શાસ્ત્ર મોક્ષમાર્ગનો મુખ્ય ઉપદેશ આપતું હોવાથી સર્વ પ્રથમ તો મોક્ષ તત્ત્વનું શ્રધ્ધાન્ જ મોક્ષાર્થી જીવે કરવું જોઈએ. મોક્ષ તત્ત્વની સાથો સાથ બંધ તત્ત્વનું શ્રધ્ધાનું પણ આવશ્યક જ છે. અન્યથા વર્તમાનમાં કર્મોથી બંધાયેલો તે મોક્ષાર્થી મોક્ષની અભિલાષા કઈ રીતે કરશે? જો તે પોતાને કર્મોથી બંધાયેલો માનશે તો મોક્ષનો પુરષાર્થ કરશે. * જો મોલ અને બંધનું શ્રધ્ધાનું કરશે તો બંધના કારણભૂત આશ્રવતત્ત્વનું પણ શ્રધ્ધાનું કરવું પડશે. કેમકેકારણરૂપ આશ્રવતત્ત્વને માન્યાવિના બંધનો ક્ષય કઈ રીતે થવાનો? આશ્રવતત્ત્વનહીં માનોતોબંધતત્ત્વનિત્ય થઈ જશેબંધનિત્યથતા મોત થવાનો જ નહીં. જો બંધનું કોઈ કારણ જન માનો તો બંધનો અસદ્ભાવ થશે. માટે બંધના હેતુ આશ્રવનું પણ શ્રધ્ધાન્ કરવું જોઈએ. જોબંધ અને આશ્રવૃસ્વીકાર્યાતોઆશ્રવને રોકવા રૂપસંવરઅનેબંધનાએકદેશથયરૂપનિર્જરી એવા નીરના કારણોનો પણ સ્વીકાર કરવો પડશે. તેથી સંવર અને નિર્જરા તત્ત્વનું પણ શ્રધ્ધાન કરવું પડશે. જયારે બધાં જ કર્મોની નિર્જ થશેત્યારેજ મોક્ષ થવાનોતેજીવ-અજવબંનેનોથવાનો જીવને પુદ્ગલથી છુટકારો મળશે તેમપુદ્ગલપણ તેજીવથીવિશ્લિષ્ટબનશે. કેમકેજો કર્મપુદ્ગલોનોસંયોગ જન હોય તો જીવસ્વત મુકત જ છે. જો કર્મઅને આત્માનો સંયોગ છે તો બંનેનોએકમેકથીવિયોગ પણ થવાનો. માટે જીવ-અજીવનું પણ શ્રધ્ધાન્ કરવું જોઈશે. $ જીવનું લક્ષણ ઉપયોગ છે. જેમ કે જ્ઞાનોપયોગ-દર્શનોપયોગાદિ. # અજીવનું લક્ષણ અનુપયોગ છે કેમ કે વ્યકિતગત રૂપે તેમાં જ્ઞાનાદિઉપયોગ નથી. $ આશ્રવનું લક્ષણ યોગ છે. તેમાં મન-વચન-કાયાનો યોગ મુખ્ય છે. $ બંધનું લક્ષણ કાર્મણ વર્ગણારૂપ પુલને ગ્રહણ કરવા તે છે. $ આશ્રવનું અટકી જવું તે સંવરનું લક્ષણ છે. # સંચિત કર્મોનો સદાને માટે ખંડ ખંડ થઈ ક્ષય થવો તે નિર્જરાનું લક્ષણ છે. * સંપૂર્ણ કર્મોનો વર્તમાન તથા ભાવિ માટે સર્વથા ધ્વસ તે મોક્ષનું લક્ષણ છે. આવા લક્ષણ યુકત સાતે તત્ત્વોની શ્રધ્ધા તે જ સમ્યગ્દર્શન છે. સૂત્રમાં તત્વમ્ એવું એક વચન મુકવાથી જીવરૂપે તત્ નો ભાવ તે નવત્વ અજીવનો સ્વભાવ તે મનોવત્વ આશ્રવનું પરિણામ તે કાશવત્વ બંધની પરિણતિ તે વતત્વ સંવરનો ભાવ તે સંવરત્વ, નિર્જરાનો પર્યાય થવો તે નિરાત અને મોક્ષનો સામાન્ય ભાવ મોક્ષત્વ છે. એરીતે પ્રત્યેક પદાર્થમાં તમાવ અર્થાત તે પણું પ્રગટ કરવાને માટે તત્વમ્ એવુંએકવચન કહ્યું છે. જ તત્ત્વોમાં હેય-mય-ઉપાદેયતા આ શાસ્ત્ર મોક્ષશાસ્ત્ર હોવાથી મોક્ષ ના જિજ્ઞાસુ માટે તત્ત્વોની હેય-શેય કે ઉપાદેયતા નક્કી કરવી આવશ્યક છે, જેથી હેય તત્ત્વોનો ત્યાગ થઈ શકે. ઉપાદેય તત્ત્વોનું સેવન -ગ્રહણ થઈ શકે અને શેય તત્ત્વો જાણી શકાશે. જીવ અને અજીવતે તત્ત્વો શેય અર્થાત જાણવા યોગ્ય છે. સંવરનિર્જરા-મોક્ષ ત્રણે તત્ત્વો ઉપાદેય છે. આશ્રવ અને બંધ હેય એટલે કે છોડવા યોગ્ય છે. જો પુણ્ય અને પાપનો વિચાર કરો તો આશ્રવ રૂપ હોવાથી બંને તત્ત્વો હેય જ છે. છતાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy