SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા થઈ નથી તેથી વર્તમાન કાળનો પર્યાય હોય તે જ સ્વીકારવો તેવુંઆ નય માને છે. $ આ રીતે જે નય ભૂત અને ભવિષ્ય કાળને બાજુ પર મૂકી વર્તમાનને સ્પર્શ કરે તે જુ સૂત્ર નય અર્થાત્ અત્યારે કોઈ શેઠાઈ ભોગવતો હોય તો જ તેને શેઠ કહેવો. # કોઈભાવિમાં રાજા થનારા એવા રાજકુમારને કદાચ અત્યારે રાજા કહે તો આ નય તેને સ્વીકારતું નથી. રાજા થાય ત્યારે જ રાજા. $ આ નય વર્તમાન ભાવોને જ સ્વીકારતો હોવાથી તેને ભાવનય પણ કહે છે અને તે નામાદિ ચાર નિપામાં માત્ર ભાવનિક્ષેપાને જ સ્વીકારે છે. . (૫)શબ્દનય જેવો અર્થ તે પ્રમાણે જે શબ્દોથી કહેવાય તે શબ્દ નય. આ શબ્દ નયના ત્રણ ભેદ છે, સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત. ત્રણે નવો શબ્દ પ્રધાન છે. –પર્યાયર્થિક છે અને વર્તમાનકાલિન છે. (૧)સાંપ્રત શબ્દનય-નામનિક્ષેપાદિક વડેનિલેપાયેલ પદાર્થમાં જે શબ્દપ્રથમવાપર્યો હોય, તે શબ્દથી પણ માત્ર ગમેતે એક નિપાયુકત અર્થવિશેનું જ્ઞાનતે સાંપ્રત શબ્દ નય. $ Aતે-ગાદ્વયતે વસ્તુ નેન તિ શ૬: જેનાથી વસ્તુ બોલાય છે તે શબ્દ. શબ્દ નય અનેક શબ્દો વડે સુચવાતા એક વાગ્યર્થને એક જ પદાર્થ સમજે છે. જેમ-કુંભ કળશ ઘડો આદિ શબ્દો “ઘડો'' અર્થના જ વાચ્યાર્થ છે. આ નયમાં કાળ-લિંગ-વચન-કારક આદિ ભેદે પણ એક જ વાચ્યાર્થ સૂચવાય છે પણ અર્થ જુદા જુદા હોય છે. # કાળભેદ-ભરતક્ષેત્ર હતું છે અને હશે. આમાં ત્રણેમાં કાળ ભેદ છે. પણ શબ્દ રૂપે ભરત ક્ષેત્ર એક જ છે. અર્થમાં ભેદ પડી જશે. કે “ભરત ક્ષેત્ર હતું” અર્થાત તે કાળે જેવું હતું તેવું છે] વર્તમાનકાળે નથી. # લિંગભેદ-તટ-તટી-તટસ્ ત્રણેનો મૂળ શબ્દ એક જ છે છતાં લિંગ ત્રણેમાં બદલી ગયા. કુવો અને કૂઈ શબ્દ એક છે પણ લિંગ બદલતા અર્થ ભેદ થઈ જશે. વ્યવહારમાં કુવો એટલે મોટો અને કૂઈ એટલે નાનો કુવો અર્થ પ્રસિધ્ધ છે. વચનભેદ-તા: એબહુવચન છે જ્યારે છi એ એકવચન છે. બંને સ્ત્રી શબ્દના સૂચક છે. છતાં અર્થથી ભેદ થઈ જશે. એકમાં સ્ત્રીઓઅર્થછે. બીજામાં એક સ્ત્રી એવોઅર્થસ્પષ્ટ છે. જ કારક ભેદ-છોકરો-છોકરાને-છોકરા વડે-છોકરા તરફથી વગેરેમાં છોકરો શબ્દ સામાન્ય છે. છતાં કારક ભેદે અર્થના ભેદોને સૂચવે છે. એકમાં કર્તા છે. બીજામાં કર્તા બદલી જાય છે. છોકરો કર્મ વગેરે બને છે. જ ઉપસર્ગભેદ-૮ ઘાતુને હાર એમ બનવા સાથે જયારે જુદા જુદા ઉપસર્ગો લાગે છે ત્યારે વિહાર-કાહાર-નિહાર-માદાર એવા શબ્દો બને છે. ત્યાં બધાનો અર્થભેદ જાણીતો છે. ()-પ-૨)સમભિરૂઢ શબ્દનયન-નયનાસાતભેદમાંછકો અને આપણા શબ્દ નયનો પેટા ભેદ બીજો તે સમભિરૂઢ નય. જ પોતાના વ્યુત્પત્તિસિધ્ધઅર્થસિવાય બીજા પર્યાય શબ્દથી વાચ્ય પણ પોતાના અર્થો વિદ્યમાન છતાં જેિ શબ્દોમાં તેઓમાં જ્ઞાન ન પ્રવર્તે તે જ્ઞાન, સમભિરૂઢ શબ્દ નય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy