SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનું કાર્ય ઊચત નથી જણાયું. બાકીની ૩૧-૩૮-૪૭ અને ૫૦ નંબરની કૃતિ તે ખાસ કરીને એતિહાસિકજ છે. સજઝાના અનુક્રમના સંબંધમાં એક ખુલાસે આવશ્યક છે, અને તે એ છે કે—જો કે, પહેલાં, આચાર્યોના સમય ઉપર લક્ષ્ય રાખીને સજઝાયો. અનુક્રમથી આપવા વિચાર કર્યો હતો, પરંતુ પાછળથી કેટલીક નવી નવી અને ઉપયોગી સઝા પ્રાપ્ત થવાથી તે અનુક્રમને ભંગ કરી જહેમ હેમ મળતી ગઈ, તેમ તેમ આપવામાં આવી, અને તેથી ધારેલો ક્રમ બરાબર જળવાઈ શકાયો નથી. સઝાયેના સંબંધમાં આટલું કહ્યા પછી, આમાં આપેલા પરિચય'ના સબંધમાં કંઇક ખુલાસો કરે જરૂર છે. એમ તે કહેવું જ પડશે કે-આ સઝાયમાળામાં સજઝાયના નાયકો સંબંધી આપેલે ટૂંકે, પરંતુ જરૂરને પરિચય, આ પુસ્તકની અતિહાસિક વિષયની ઉપયોગિતામાં સૌથી વધારે ભાગ ભજવશે. આ પરિચય, સઝાયાના આધારે નહિ, પરંતુ બીજા ઘણ- સ્તકોના આધારથી લવામાં આવેલ છે. એમ કરવામાં પ્રધાન બે કારણે . સૌથી પહેલું એ હતું કે, સજઝામાંથી જોઈએ તેટલું જરૂરનું પણ અિતિહાસિક વૃત્તાન્ત મળી શકે તેમ હેતું, અને બીજું કારણ એ હતું, કે-સજ્જામાં કઈ સ્થળે સંવત વિગેરેમાં ભલો પણ થયેલી છે. દાખલા તરીકે સઝાય નં. ૨૫, કડી ૩, માહ સુદિપ લખી છે, જોઈએ ભાદરવા સુદિ ૮. છે છે ૩૫, , ૪, માતાનું નામ લાડિમદે લખ્યું છે, જોઈએ રૂપાઈ. , , ૩૮, , ૫, પાંચમી પાટે યશોભદ્રનું નામ આપી જે વૃત્તાન્ત લખ્યું છે, તે ઠીક નથી. તે વૃત્તાન્ત તે ખંડેરક ગચ્છમાં થયેલ યશોભદ્રસૂરિને લાગુ પડે છે. , , ૩૮, ૩૨, “દસ અઠસણ ઉપરિ ચાર ” આની મતલબ જ નથી સમજાતી. અહિં સંવત ૧૪૭૮ જોઈએ. » » ૩૮, ૨૫, મુનિચંદ્રસૂરિ નામ લખ્યું છે, જોઈએ સુનિ. રત્નસૂરિ. વિગેરે વિગેરે. એટલા માટે જ પરિચયમાં આપેલી હકીકતેને નિર્ણય કરવમાં નિમ્નલિખિત પુસ્તકની પણ સહાયતા લેવામાં આવેલી છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005028
Book TitleAetihasik Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1997
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy