SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) હીરવિજ્યસૂરિ. ( આ આચાર્યશ્રીની ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૨૭, ૪૮,૫૫, ૬૪ અને ૬૫ એ નંબરેની કુલ અગીયાર સજઝાય છે) સમા અકબરના પ્રતિબોધક તરીકે આચાર્યશ્રીહીરવિજયસૂરીશ્વરજીની પ્રસિદ્ધિ જગજાહેર છે. આ આચાર્યશ્રીને જન્મ પાલણપુરમાં સં. ૧૫૮૩ ના માગશર શુદિ ૯ ના દિવસે થયે હતે. હેમના પિતા વૃદ્ધશાખીય અને ઓશવાલ વંશીય નામે કુરા શા (કુંવરજી) હતા, માતાનું નામ નાથી હતું. કુરાશાહને ચાર પુત્રો અને ત્રણ પુત્રી હતી. પુત્રનાં નામ સંઘ સરજી, શ્રીપાલ અને હીરજી હતાં, જ્યારે પુત્રિનાં નામ રંભા, રાણી અને વિમલા હતાં. માત્ર તેર વર્ષની ઉમરમાંજ એટલે સં. ૧૫૯૬ ના કાર્તિક વદિ ૨ ને સોમવારના દિવસે હીરજીએ પાટણમાં આચાર્ય શ્રીવિજયદાનમરિજી પાસે દીક્ષા લીધી હતી. બાલ્યાવસ્થામાંથી જ તેમણે શાસ્ત્રને સારે અભ્યાસ કર્યો હતું. ત્યાગવૃત્તિ પણ તેમની તેવીજ ઉત્કૃષ્ટ હતી. સં. ૧૬૦૭ માં નારદપુરી ( નાડલાઈ ) માં હેમને પંડિતપદ મળ્યું હતું. ૧૬૦૮ ના માઘ સુદિ ૫ ના દિવસે તેજ નાડલાઈમાં વાચકપદ મળ્યું હતું. અને સં. ૧૬૧૦ ના પૈષ સુદિ ૫ ના દિવસે શીહીમાં હેમણે સૂરિપદ મેળવ્યું હતું. તેઓ અકબર બાદશાહને એકંદર ત્રણ વખત મળ્યા હતા. હેમાં સૌથી પહેલાં સં. ૧૬૩૯ ના જ્યેષ્ઠ વદિ ૧૩ ના દિવસે ફક્તપુર-સીકરીમાં મુલાકાત કરી હતી. આ પહેલી મુલાકાત વખતે આચાર્યશ્રીએ બાદશાહને ઘણે ધર્મોપદેશ આપે હતા. અને તેથી બાદશાહે પ્રસન્ન થઈ પોતાની પાસે પુસ્તકને ભંડાર સરિજીને ભેટ કર્યો હતો, જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005028
Book TitleAetihasik Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1997
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy