SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૨૯૧ કરીને થાક્યા હતા. કોઈ વખતે શકટમુખ ઉદ્યાને ગયા. ત્યાં તેઓએ જીર્ણ થઈને ભાંગેલું એવું એક દેવકુલ જોયું. ત્યાં ભગવંત મલ્ટીસ્વામીની પ્રતિમા હતી. તેમને નમસ્કાર કર્યા. પછી વલ્ગર અને ભદ્રાએ ત્યાં માનતા માની કે જો અમને પુત્ર કે પુત્રી જન્મશે તો અમે અહીં એક દેવકુલ કરાવીશું. રોજ આપની ભક્તિ કરીશું. એમ માનતા માનીને તે બંને ગયા. ત્યાં નિકટમાં રહેનારી વ્યંતરી દેવતાએ પ્રાતિહાર્ય કર્યું. ભદ્રાને ગર્ભ ઉત્પન્ન થયો. ત્યારપછી વલ્ગર શ્રેષ્ઠીએ પોતે કહ્યા પ્રમાણે દેવકુલ (જિનાલય) બનાવવાનો આરંભ કર્યો. ત્રણે સંધ્યા અતિ ભક્તિભાવથી પૂજા કરવા લાગ્યો. પર્વત્રિકે ત્યાંજ રહેવા લાગ્યો. એ પ્રમાણે તે શ્રાવક થઈ ગયો. આ તરફ વિહાર કરતા ભગવંત મહાવીર શકટમુખ ઉદ્યાનમાં નગરની મધ્યે પ્રતિમા ધ્યાને સ્થિત થયા. વલ્ગરશ્રાવક નાહીને આર્તવસ્ત્ર પહેરીને પરિજન સહિત મહાનું અર્થ, વિવિધકસમાદિ લઈને ભગવંત મલિના જિનાયતને પ્રતિમાની પૂજા કરવા જતો હતો. ત્યારે ભગવંતને વંદન કરવા આવેલ ઇશાનેન્દ્રએ વલ્ગર શ્રાવકને જતો જોયો. ઇન્દ્રના કહેવાથી વલ્ગરે આવી વર્ધમાન મહાવીર સ્વામીની ક્ષમાયાચના કરી, મિચ્છામિદુક્કડમ્ આપી મહોત્સવ કર્યો. (આ કથા તીર્થંકર ચરિત્રમાં ભગવંત મહાવીરની કથામાં આપેલ છે. જુઓ તીર્થકર મહાવીર કથા) ૦ આગમ સંદર્ભ :આવ.નિ ૪૯૦ + વૃક આવયૂ.૧– ૨૫; આવ.મ.પૃ. ૨૮૪; – ૮ – –– ૦ વસુભૂતિ શ્રાવક કથા : આર્ય સુરસ્તી (સૂરિ) વિહાર કરતા પાટલીપુત્ર પધાર્યા. ત્યાં વસુભૂતિ નામે શ્રેષ્ઠી હતો. તે સુહસ્તસૂરિ પાસે ધર્મ સાંભળીને શ્રાવક બન્યો. તેણે કોઈ વખતે આર્યસુહસ્તીને જઈને કહેલું કે, હે ભદંત ! મને સંસારમાંથી નિસ્તરણ થવાનો ઉપાય બતાવો. મેં મારા સ્વજનોને પણ કહ્યું, પણ તેઓ હજી સંસારથી નિસ્તાર માટે પ્રવૃત્ત થતા નથી. આપ અનભિયોગપૂર્વક પધારી અને સ્વયં જ ઉપાય બતાવો ઇત્યાદિ કથા આર્ય સુહસ્તિ તથા આર્ય મહાગિરિ બંને શ્રમણોની કથામાં આવી ગયેલ છે તદનુસાર જાણવી. ૦ આગમ સંદર્ભ:આવ.નિ ૧૨૮૩ + વૃક આવ.ચૂર–પૃ. ૧૫૫; ૦ સંપ્રતિ રાજાની કથા – પાટલિપુત્ર નગરમાં ચંદ્રગુપ્ત રાજાનો પુત્ર બિંદુસાર હતો. તે બિંદુસાર રાજાનો પુત્ર અશોક નામે રાજા થયો. તે અશોકનો પુત્ર કુણાલ ઉજજૈનીએ થયો. તેનો પુત્ર સંપ્રતિ થયો - તે સમગ્ર કથાનક આ પ્રમાણે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy