SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. ભગવાન મહાવીરનું તપ ૬૩ અને આસનાના ઉપયોગ કરવા પડથો હતા. ત્યાંના લાકા પણ તેમને બહુ મારતા; ખાવાનું બહુ લૂખું મળતું અને કૂતરાં કરડતાં. કેટલાક લાકા તે કૂતરાઓને રોકતા, તેા કેટલાક તે કૂતરાઓને છુછકારીને કરડાવતા. વજ્રભૂમિના લેા બહુ કઠાર હતા. તથા ધૃતરાં કરડી ન જાય તે માટે બીજા શ્રમણેા હાથમાં લાકડી કે નાળ લઈ તે ફરતા. કેટલીક વાર કૂતરાએ ભગવાનને કરડતા અને તેમના માંસની પેશીઓ ખેંચી કાઢતા, છતાં એવા દુર્ગમ લાઢ દેશમાં હિંસાને ત્યાગ કરીને અને શરીરની મમતા છેાડીને તે અનગાર ભગવાનને આવી પડતાં સંકટાને સમભાવે સહ્યાં; અને સંગ્રામને માખરે રહેતા વિજયવંત હાથીની જેમ ભગવાને એ દુ:ખે ઉપર જય મેળવ્યા. કેટલીક વાર લાઢ દેશમાં ઘણે દૂર ચાલ્યા છતાં ગામ જ ન આવતું; કાઈ જગ્યાએ ભાગાળ પાસે આવતાં જ ગામના લે।। બહાર નીકળીને તેમને મારતા અને હાંકી કાઢતા; કાઈ વાર તેએ ભગવાનના શરીર ઉપર બેસી તેમનું માંસ કાપી લેતા; ક્રાઈ વાર તેમના ઉપર ધૂળ વરસાવવામાં આવતી; કાઈ વાર તેમને ઊંચેથી નીચે પટકવામાં આવતા; તા કાઈ વાર આસન ઉપરથી તેમને ગબડાવી નાખવામાં આવતા. તેપણુ શરીરમાં મમતા વિનાના અને અનાકાંક્ષી ભગવાન નગ્ન થઈને તે બધાં કઠોર દુ:ખા, સંગ્રામને મેાખરે ભતા શૂરની પેઠે અચળપણે સહેતા અને વિહાર કર્યાં કરતા. [૪૧-૫૩ દીક્ષા લેતા પહેલાં પણ એ વર્ષ કરતાં વધારે વખતથી ઠંડુ પાણી પીવાનું ભગવાને છેાડી દીધું હતું. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, સેવાળ, બિયાં, વનસ્પતિએ અને ત્રસ (જંગમ) પ્રાણા સચિત્ત છે એમ સમજીને, તેમને બચાવીને ભગવાન વિહાર કરતા હતા. સ્થાવર વેશ સયેાનિમાં આવે છે અને ત્રસ જીવા સ્થાવર ચેનમાં જાય છે, અથવા બધી યાનિના ખાળ વા પોતપેાતાનાં કર્મ અનુસાર તે તે યાનિમાં ભટકથા કરે છે, એમ સમજીને ભગવાને એવું નક્કી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy