SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ મહાવીર સ્વામીને આચારધર્મ જવું; ક્રોધ હિંસાદિ વિવિધ આસથી ત્રાસ પામતા તે ભિક્ષુએ બધું સહન કરવું. અનેક પ્રકારનાં બંધનથી દૂર રહેતે તે ભિક્ષુ આમ સમાધિથી આયુષ્યને પૂરું કરે. સંયમી અને જ્ઞાની પુરુષે માટે એ જ શ્રેય છે. [૧૦-૧. ભિક્ષુને એમ થાય કે, “હું હવે સંયમપાલન માટે આ શરીરને ધારણ કરવા અશક્ત છું, ત્યારે તેણે ક્રમે ક્રમે આહાર ઘટાડ, કપાયે ઓછા કરવા અને સમાધિયુક્ત થઈને પાટિયાની પેઠે સ્થિર વૃત્તિવાળા થઈને રહેવું; પછી છેક અશક્ત થઈ જાય ત્યારે ગામ કે નગરમાં જઈને ઘાસ માગી લાવવું. તેને લઈને એકાંતે જઈ જે જગાએ ઈડ, નાનાં જીવડાં, બી, ઘાસ, ઝાકળ, પાણી, કીડિયારાં, લીલ, ભીની માટી અને કરોળિયાનાં જાળાં ન હોય, તે જગાએ બરાબર જોઈતપાસીને ત્યાં તે ઘાસ પાથરવું. પાથરીને, તેના ઉપર બેસી “ઇત્વરિતમરણ ને સ્વીકાર કરે. પછી, અનાહાર રહીને જે દુખ આવે તે સહન કરવાં, પરંતુ બીજા પાસે કઈ ૧. અહીં સુધી વર્ણવેલા મરણવિધિને ટીકાકારે “ભક્તપરિક્ષા મરણને વિધિ કહ્યો છે. મળમાં પછીનાં બે મરણના નામને જેમ ઉલલેખ છે, તેમ આ મરણવિધિની બાબતમાં નથી. આમાં અને પછીના ઇત્વરિતમરણ(ઈગિનીમરણ)માં તફાવત એટલો છે કે, ઇત્વરિતમરણમાં ચતુર્વિધ આહારનો ત્યાગ ઉપરાંત અમુક મુકરર કરેલા સ્થાનમાં જ નાસૈ ન બધી ચેષ્ટાઓ કરવાની હોય છે. ત્યારે ભક્તપરિક્ષામાં સ્થળમર્યાદા નથી હોતી, ઉપરાંત પડખું બદલવું વગેરે ક્રિયાઓમાં બીજાની મદદ લેવાની છૂટ હેાય છે. છેલ્લા પાદપગમનમાં તે એક સ્થાનમાં સૂતા પછી નાતે પડખું બદલવા જેટલી પણ ક્રિયા કરવાની હોતી નથી. ૨. ટીકાકાર કહે છે કે સૂક આહાર ખાવાથી, કે તેને કારણે થયેલા રાગથી તેમજ કઠોર તપશ્ચર્યાને કારણે યથેષ્ટકાળે આવશ્યક ક્રિયારૂપી આનુપૂવથી શરીર ટકાવી રાખવા પોતે શક્તિમાન નથી એમ એમ લાગે, ત્યારે •••• Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy