SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. કર્મનાશ * શુદ્ધ આચારવાળો અને શુદ્ધ ધર્મવાળો એ મુનિ કર્મો નાશ કરી શકે છે. બરાબર સમજીને સંસારના પ્રવાહથી ઊલટે ચાલી સંયમધર્મને આચરતે મુનિ, તીર્ણ, મુક્ત અને વિરત કહેવાય છે. એમ લાંબો વખત સંયમમાં રહેતા અને વિચર્યા કરતા ભિક્ષને અરતિ શું કરી શકે? [૧૧૫-૭] એ સંયમીને શરીર પડતાં સુધી રણસંગ્રામમાં મોખરે રહેનારા વીર પુરુષની ઉપમા અપાય છે. એવો જ મુનિ પારગામી થઈ શકે છે. કોઈ પણ પ્રકારના કષ્ટથી ન ડગતા અને વહેરાવા છતાં પાટિયાની જેમ સ્થિર રહે તે સંયમી, શરીર પડતાં સુધી કાળની વાટ જોયા કરે, પણ દુઃખથી ગભરાઈ પાછો ન હઠે. ઘણા લાંબા કાળ સુધી સંયમધર્મનું પાલન કરીને વિચરતા અને ઈન્દ્રિયનિગ્રહી એવા પૂર્વના મહાપુરુષોએ જે જે સહન કરેલું છે, તે તરફ લક્ષ રાખવું. [૧૯૬, ૧૮૫ સાધુને આવી પડતાં દુઃખ (પરિષહ) બે પ્રકારનાં હોય છે? અનુકૂળ અને પ્રતિકૂળ. તેવા પ્રસંગે થતી સર્વ કુશંકાઓ ત્યાગીને સંયમી પુરુષ શાંત દૃષ્ટિવાળો રહે, સુગંધ હોય કે દુર્ગધ અથવા ભયંકર પ્રાણીઓ કલેશ આપતાં હોય તોપણ, વીર પુરુષોએ તે દુ:ખો સારી રીતે સહન કરવાં જોઈએ એમ હું કહું છું. મુનિને કઈ ગાળ ભાડે, કઈ મારે, કોઈ તેને વાળ ખેંચે અથવા કે તેની નિંદા કરે તે પણ, તેણે એવા અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોને સમજીને સહન કરવા જોઈએ. [૧૮૩-૪ સંગેનું સ્વરૂપ વિચારે ! અને સંયમથી ત્રાસ ન પામે ! ગૃહમાં, ગામમાં, નગરમાં, જનપદમાં તેમ જ તે બધાના આંતરાઓમાં વિચરતા સંયમીને હિંસક માણસ તરફથી અથવા એમ ને એમ અનેક પ્રકારનાં દુઃખ ઊભાં થાય છે. તે દુઃખને તે વીર પુરુષે સમભાવે સહવાં જોઈએ. [૧૪] ૧. કંટાળે, અણગમો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy