SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. લેકસાર થોડુંઘણું, નાનુમેટું, સચિત્ત (સજીવ) કે અચિત્ત છે, તેમાં મમતા રાખે છે. એ જ વસ્તુ તેમને માટે મહા ભયરૂપ છે. [૧૪૫, ૧૪૯] સંયમી પુરુષ અજ્ઞાની, મંદ અને મૂઢ મનુષ્યના જીવિતને દર્ભની અણી ઉપર રહેલા, પવનથી કંપતા અને પડવાની તૈયારીમાં આવેલ પાણીના ટીપા જેવું ગણે છે. [૧૪૨] જે મનુષ્ય વિષયના સ્વરૂપને બરાબર સમજે છે, તે સંસારને બરાબર સમજે છે; અને જે વિષયના સ્વરૂપથી અણજાણ છે, તે સંસારના સ્વરૂપથી અજાણ છે. કામભોગને સેવીને તેમને નહીં સમજનાર મૂઢ મનુષ્ય બેવડી ભૂલ કરે છે. પિતાને મળેલા વિષયોનું સ્વરૂપ સમજીને, બરાબર વિચારીને, તેમને ન સેવવા એમ હું કહું છું. કુશળ પુરુષ કામભોગને સેવતો નથી. ૧૪૩-૪] - સંયમને સ્વીકાર કરી, હિંસા વગેરેને ત્યાગ કરતે જે મનુષ્ય આ શરીર વડે સંયમ સાધવાને અવસર છે એમ સમજે છે, તેણે પિતાને લાગ બરાબર સાધ્યો ગણાય. બુદ્ધિમાન પુરુષ જ્ઞાનીઓ પાસેથી આર્યોએ જણાવેલા સમતા ધર્મને મેળવીને એમ સમજે છે કે, મને અહીં ઠીક અવસર મળે; આ અવસર બીજે ન મળત. માટે કહું છું કે તમારું બળ સંઘરી રાખશે નહીં. [૧૪૬, ૧૫૧] મેં સાંભળ્યું છે અને અનુભવ્યું છે કે, બંધનમાંથી છૂટવું એ દરેકના પિતાના જ હાથમાં છે. માટે જ્ઞાનીઓ પાસેથી સમજ પ્રાપ્ત કરીને, હે પરમચક્ષુવાળા પુરુષ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે એમ હું કહું છું [૧૫] ૧. મળમાં સંશય” શબ્દ છે. સંશયમાં એટલે કે ભચમાં નાખનાર હોવાથી વિષયો પણ સરાય કહેવાય છે. સંશ્રય – પરમાર્થ એ બીજે અર્થ પણ લઈ શકાય. ૨. મૂળમાં “સાગારિય (એટલે કે મૈથુન) શબ્દ છે. મ. આ.-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy