SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મહાવીરસ્વામીના આચારધમ વર્ષાઋતુના ચાર માસ પૂરા થઈ જાય અને હેમંત ઋતુના પશુ પાંચદશ દિવસ વીતી જાય; છતાં, જો રસ્તાઓ હજુ ખહુ જીવજંતુ તથા ઘાસ વગેરેવાળા હાય, અને શ્રમણુ – બ્રાહ્મણુ વગેરે લેાકાની આવા શરૂ ન થઈ હાય, તે ભિક્ષુએ ગામેગામ ફરવાનું શરૂ ન કરવું; પરંતુ રસ્તા ઉપર જીવજંતુ, ધાસ વગેરે ઓછાં થઈ જાય અને શ્રમણાદિની આવજા શરૂ થઈ જાય, ત્યાર બાદ સાવધાનીથી એક ગામથી બીજે ગામ ફરવાનું શરૂ કરવું. [૧/૪-૫] ગામેગામ કેવી રીતે ફરવું? ૨ ભિક્ષએ ચાલતી વખતે પેાતાની આગળ ચાર હાથ જેટલી મીન ઉપર નજર રાખીને ચાલવું. રસ્તામાં જીવજંતુ ફરતું દેખીને, પમને આગળથી કે પાછળથી કે આડાઅવળા ઊંચા કરીને ચાલવું. જીવજંતુ વગેરે વિનાના રસ્તા મળતા હોય, તે લાંખે। હાય તાપણુ તે રસ્તે જવું; પરંતુ, જીવજંતુ, ખીજ, હરિયાળી, પાણી, સજીવ માટી વગેરેવાળા ટ્રકે રસ્તે ન જવું. [૧/૬] C ભિક્ષુએ બીજે ગામ જ્તી વખતે માર્ગમાં ગૃહસ્થા કે બીજાએ સાથે બકબકારા કરતા ને ચાલવું. રસ્તામાં સામા વટેમાર્ગુ મળે અને પૂછે કે, આ ગામ કે શહેર કેવડું છે; ત્યાં કેટલા ધેડા, હાથી, ભિખારી કે મનુષ્યા રહે છે; ત્યાં ભાતપાણી, માણુસ, ધાન્ય વગેરે ઘેાડાં છે કે ઘણાં છે;' – તે તેનેા ભિક્ષુએ કાંઈ જવાબ ન આપવા; તેમ જ જાતે પશુ તેમને તેવું કાંઈ પૂછ્યું નહીં. [૨/૮, ૧૭] - બીજે ગામ જતાં સાથે આચાર્ય, ઉપાધ્યાય કે પોતાનાથી અધિક ગુણવાળા સાધુજ હોય, તે તેમના હાથપગ સાથે પેાતાના હાથપગ અથડાય નહીં તેવી રીતે સંભાળપૂર્વક ચાલવું; અને ૧. રથ Ì1 ૨. ‘જીવમાત્ર’ વતુર્ જ્ઞત્રમાન–ટીકા, ૭. મટ્ટિના અવિદ્વત્યે – નિજીવ ન બનેલી માટી. 1 ૪. અદ્દારાત્તિનિય | Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy