SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્ર પદ્માસન વાળીને, પ્રસન્ન થઈને, સફેદ કપડાં પહેરીને બંને હાથ કમળના દડાની પેઠે જોડીને બેસવું તથા તેની અંદર કૃષ્ણ વર્ણનું મીંડું ચિંતવવું. પછી હાથ ખુલ્લા કરતાં જે આંગળીની તિથિ ઉપર પિલું બિંદુ દેખવામાં આવે, તે તિથિએ મૃત્યુ છે એમ જાણવું. પ/૧૨૯-૩૪] છીંક, મળત્યાગ, વિર્યપાત, અને મૂત્રત્યાગ એ જે દિવસે એકી સાથે થઈ જાય, તે દિવસ પછી બરાબર એક વર્ષ એ મહિને એ જ દિવસે મૃત્યુ થશે એમ જાણવું. તેમજ રેહિણી નક્ષત્ર, ચંદ્રનું કલંક, છાયામાર્ગ ('આકાશગંગા), અરુંધતીને તારે અને ધ્રુવ એ પાંચ કે તેમાંનું એકાદ ન દેખાય, ત્યારે વર્ષ બાદ મૃત્યુ થશે એમ જાણવું* સ્વમમાં પિતાને કૂતરાં, ગીધ, કાગડા કે નિશાચરો ખાઈ જાય છે એમ જુએ, કે ગધેડાં અને ઊંટ વડે ઊંચકી જવાત જુએ, ત્યારે વર્ષ. આદ મૃત્યુ થાય. સૂર્યને કિરણે (મંડળ). વિનાને જુએ અને અગ્નિને કિરણે (મંડળ) વાળે જુએ, ત્યારે અગિયાર મહિને મૃત્યુ થાય. ઝાડની ટોચ ઉપર ગાંધર્વ નગર દેખે, કે પ્રેત અને પિશાચને પ્રત્યક્ષ - જુએ, ત્યારે દશમે મહિને મૃત્યુ થાય. સ્વમમાં ઊલટી, મૂત્ર, વિષ્ટા, સોનું કે ચાંદી જુએ, તે નવ મહિના જ છે. કોઈ માણસ અકસ્માત જાડ થઈ જાય, અકસ્માત કૃશ થઈ જાય, અકસ્માત અતિ ક્રોધી થઈ * અરુંધતી, પ્રવને તારી વગેરેના જુદા અર્થો પણ કરવામાં આવે છે. તે માટે ટીકામાં નીચેના બે શ્લેક ટાંક્યા છે : * “ અરુંધતી એટલે કે જીભ; ધવ એટલે નાકને અગ્રભાગ, વિષપદ એટલે કે (બીજાની કીકીમાં દેખાતી પિતાની) કીકી, અને માતૃમંડળ એટલે કે ભમર – એ ચાર વસ્તુઓ આયુષ્યને ક્ષય થવા આવેલે મનુષ્ય ન દેખી શકે.” ૧. વરાહમિહિરની બહતસંહિતામાં તો જણાવ્યું છે કે, “દેવુ થતુનેષ નિદ્રશેખરળમાજી સંગ્રામ” – ‘ચક્ષો વગેરેનું પ્રત્યક્ષ દર્શન થાય, તો મોત નજીક આવ્યું છે એમ જાણવું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy