SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ઢાળ-૨ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શક્તિમાત્ર તે દ્રવ્ય સર્વની, ગુણ પર્યાયની લીજડે રે કારયરૂપ નિકટ દેખીનઈ, સમુચિત શક્તિ કહી જઈ રે જિન. ર-૬II ટબો- હિવઈ ઊર્ધ્વતાસામાન્યશક્તિના ૨ ભેદ દેખાડઇ છઈ, દ્રવ્ય સર્વની= આપ આપણાં ગુણ-પર્યાયની શક્તિમાત્ર લીજઇ, તે ઓઘ શક્તિ કહી છે. અને જે કાર્યનું રૂપ નિકટ નહીં) તો દિગંબરો આવો જવાબ આપી શકે છે એ જાણવું કે - સ્કંધરૂપ ધારણ કર્યા પછી પણ પરમાણુ પરમાણુત્વને પકડી જ રાખે છે (કારણ કે એ મૂળભૂત પુગલદ્રવ્યરૂપ જ છે) ને તેથી સ્કંધગત પરમાણમાં જો અનેક પ્રદેશવૃત્તિતા છે તો સ્વતંત્ર પરમાણમાં પણ એ છે જ. પ્રશ્ન : દિગંબરોની તિર્યપ્રચયની આ જે વાત છે એમાં પોતાના જ અનેક પ્રદેશની વાતના બદલે અવગાહનાભૂત આકાશના અનેક પ્રદેશની વાત તમે કેમ કરો છો ? ઉત્તર : તત્ત્વદીપિકાવૃત્તિના અક્ષરો એવી વાત સમજાવે છે – આ અક્ષરો આ પ્રમાણે છેतत्राकाशस्यावस्थितानन्तप्रदेशत्वाद् धर्माधर्मयोरवस्थितासंख्येयप्रदेशत्वाद् जीवस्यानवस्थितासंख्येयप्रदेशत्वात् પુદ્રની દ્રષr... આમાં આકાશના અને ધર્મ-અધર્માસ્તિકાયના અવસ્થિત પ્રદેશ કહ્યા છે જ્યારે જીવના અનવસ્થિતપ્રદેશ કહ્યા છે. જીવના આત્મપ્રદેશોની જો વાત હોત તો એ તો ત્રણે કાળમાં અવસ્થિત જ હોવાથી અનવસ્થિત કહેવાની જરૂર ન રહે. પણ અનવસ્થિતપ્રદેશ કહ્યા છે. માટે અવગાહનાભૂત આકાશપ્રદેશ લેવાના છે એ નિર્ણય થાય છે, કારણ કે એ જ ઓછાવત્તા થતા હોવાથી અનવસ્થિત હોય છે. એટલે દિગંબર પ્રક્રિયાનુસારે ઘટાદિની પ્રથમઆકાશપ્રદેશવૃત્તિતા, દ્વિતીયાકાશપ્રદેશવૃત્તિતા... આવી બધી અનેક આકાશપ્રદેશવૃત્તિતાઓનો સમૂહ ઘટાદિમાં જે રહ્યો છે તે તિર્યકપ્રચય છે. વળી, ઘટાદિમાં પ્રથમસમયવૃત્તિતા, દ્વિતીયસમયવૃત્તિતા. આવી બધી અનેક સમય વિશિષ્ટ વૃત્તિતાઓનો જે સમૂહ છે તે ઊર્ધ્વતાપ્રચય છે. એટલે આમ જોવા જઈએ તો તિર્યકસ્સામાન્ય-ઊર્ધ્વતાસામાન્ય.... અને આ તિર્યક્મચય-ઊર્ધ્વતાપ્રચય... એ બેનો વિષય જ સાવ અલગ છે એ જણાય છે.) હવે આપણા તિર્યસામાન્ય અંગે ઊઠતા એક પ્રશ્નને વિચારીએ - પ્રશ્ન : એકાકારપ્રતીતિ કરાવનાર શક્તિ એ જો તિર્યસામાન્ય છે તો આવી શક્તિ અને તિર્યસામાન્ય કૃષ્ણાદિ વર્ણો વગેરે ગુણમાં પણ માનવાં પડશે, કારણ કે માં M., : આવી એકાકાર પ્રતીતિ ત્યાં પણ થાય છે. ઉત્તર : વર્ણ-રસાદિના વાચક કૃષ્ણ-નીલ-મધુર વગેરે શબ્દો ગુણવાચક પણ હોય છે ને ગુણીવાચક પણ હોય છે. એમાંથી ગુણવાચક કૃષ્ણ વગેરે શબ્દોનો પ્રયોગ ઘટસ્થ #ો વર્ષ:, પટ Mો વ:, મોસ્ટ મધુરો રસ: વગેરે રૂપે થાય છે પણ મયં :, મયં નીત:, યું. મધુર:.. વગેરે રૂપે ક્યારેય થતો નથી. ગયે MI:, મયં નીતઃ વગેરે પ્રયોગમાં વપરાતા કૃષ્ણનીલ-મધુરાદિ શબ્દો ગુણવાચક જ હોય છે. અર્થાત્ દ્રવ્યવાચક જ હોય છે. અને દ્રવ્યમાં રહેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy