SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૨ ૧૭૯ તથા એ વખતે અભેદને લક્ષ્યાર્થ તરીકે લેવાનું પ્રયોજન શું? એ પ્રશ્ન ઊભો થાય જ. એટલે હવે જો બન્નેને શક્યાર્થ તરીકે લેવામાં આવે તો એ દ્રવ્યાર્થિકનય ન રહેતાં પ્રમાણાત્મક જ બની જાય... શંકા - તો બની જવા દો ને... એને દ્રવ્યાર્થિકન તરીકે ઊભો રાખવાની શી જરૂર છે? સમાધાન - દ્રવ્યાર્થિકનય શુદ્ધ આત્મદ્રવ્યને જોઈ સંવેગ વધારે છે. વગેરે પ્રયોજન આપણે આગળ જોઈ ગયા છીએ... એમ પુદ્ગલદ્રવ્ય અંગે પણ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ જીવને રાગ-દ્વેષના તોફાનોથી બચવા ઉપયોગી બની શકે છે... સુબુદ્ધિ મંત્રીની વાત આવે છે ને... ખાળની ભયંકર દુર્ગધથી રાજા સહિત બધાના નાક ફાટી રહ્યા હતા.. ને ભારે અણગમો થઈ રહ્યો હતો ત્યારે પણ “સબ પુગલકી બાજી...' સૂત્ર દ્વારા મંત્રી સ્વસ્થ હતો. ને જમણવાર પ્રસંગે પાણીની મીઠાશ-શીતલતા પર બધા આફરીન-આફરીન પોકારી રહ્યા હતા ત્યારે પણ મંત્રી “સબ પુગલકી બાજી' આ જ સૂત્રના આલંબને રાગના હુમલાને ખાળી સ્વસ્થ રહી શક્યા હતા ને... પુદ્ગલની વર્તમાન સારી કે નરસી અવસ્થારૂપ પર્યાયને ગૌણ કર્યા વગર આવી સ્વસ્થતા શી રીતે આવે? એટલે પર્યાયને ગૌણ કરનાર દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ પણ આવશ્યક છે. માટે, દ્રવ્યાર્થિકનય પણ ઊભો તો રહેવો જ જોઈએ, એ પ્રમાણાત્મક બની જાય એ ઇચ્છનીય નથી... તેથી ભેદને શક્યાર્થ તરીકે લઈ ન શકાય. માટે લક્ષ્યાર્થ તરીકે લેવાય છે. આશય એ છે કે – નૈયાયિકે જાતિ-આકૃતિવિશિષ્ટવ્યક્તિમાં શક્તિ માની છે અર્થાત્ “ઘટ' પદ દ્વારા શક્તિથી જ આ બધુ ઉપસ્થિત થઈ જાય છે. આમાં જાતિ = ઘટત્વ = ઘટપણું એ પર્યાય છે... “આકૃતિથી માત્ર આકાર નથી લેવાનો, પણ વર્ણાદિ જે કાંઈ ઉપસ્થિત થાય એ બધું લેવાનું છે. માટે “આકૃતિ'થી ગુણ લઈ શકાય છે. અને “વ્યક્તિથી દ્રવ્ય લઈ શકાય છે. એટલે જણાય છે કે “ઘટ'પદથી ગુણ-પર્યાયવિશિષ્ટદ્રવ્ય જણાય છે. આમાં ગુણ-પર્યાયવિશિષ્ટ એમ વિશિષ્ટ જે કહ્યું છે એનાથી જણાય છે કે ગુણ - પર્યાયનો દ્રવ્ય સાથેનો સંબંધ પણ જણાય છે. આ સંબંધ કયો છે ? ભેદભેદ સંબંધ છે.. (અર્થાત્ ભેદસંબંધ પણ છે ને અભેદસંબંધ પણ છે.... આમ તો આપણા જૈનમતે ભેદભેદ = ભેદાનુવિદ્ધઅભેદ. એ ભેદ અને અભેદ બન્નેના સરવાળારૂપ નહીં પણ ત્રીજો જ એક વિલક્ષણસંબંધ છે એવું વધારે પ્રસિદ્ધ છે. પણ બે નયની વિચારણામાં ભેદ-અભેદને અલગ કરવા પડે છે. માટે એ વિલક્ષણ સંબંધની વાત અહીં કરવી નથી, પણ ભેદ-અભેદ બન્ને માનવાની વાત કરી છે. અથવા એ વિલક્ષણસંબંધના ઘટક એવા ભેદ અને અભેદ.. એમ પણ સમજી શકાય...) (એકલો ભેદ સંબંધ માનવામાં - જેમ કે નૈયાયિકે “સમવાય' માનેલો છે તે માનવામાં - અનવસ્થા દોષ આવવાથી અંતે તે બાધિત થાય છે. એકાંતે અભેદ સંબંધ માનવામાં ગુણ કે પર્યાયનાશે દ્રવ્યનો પણ નાશ માનવાની આપત્તિ આવે છે. માટે ભેદ-અભેદ સંબંધ છે.) એટલે જળવાન્ ઘટમાં જેમ જળ, ઘટ અને બે વચ્ચેનો સંયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy