SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૪૭ સમાધાન - ના, એમાં ભળી જતો નથી, કારણ કે સપ્તભંગીમાં રહેલ અવી શબ્દ અને અનભિલાપ્ય પદાર્થોને જણાવનાર જે શાસ્ત્રોક્ત મિતાણે શબ્દ.. આ બન્ને શબ્દો સમાનાર્થક નથી... તે પણ એટલા માટે કે સપ્તભંગીમાં રહેલ અવી શબ્દ સર્વપવીત્વાભાવ ને જણાવે છે જ્યારે શાસ્ત્રોક્ત મનપસાપ્ય શબ્દ સમતાથપવીત્વ ને જણાવે છે. તે આ રીતે-જે અનંતાનંત પદાર્થોને અભિલાપ્ય પદાર્થોથી જુદા પાડ્યા છે તે પદાર્થોમાં જો વાચ્યતા હોય જ નહીં, તો એ પદાર્થોનો અનમનાપ્ય પદથી પણ ઉલ્લેખ થઈ શકે જ નહીં, ને આપણને પણ એ પદ સાંભળવા છતાં, એ પદાર્થોની ઉપસ્થિતિ થઈ શકે જ નહીં. આશય એ છે કે જેમ આપણને “ઘટ' પદ સાંભળતા પટની કંઈ ઉપસ્થિતિ થતી નથી, કારણ કે પટમાં ઘટ’પદવાણ્યતા નથી. એમ અનભિલાપ્યત્વેન અભિમત જે અનંતાનંત પદાર્થો છે તેમાં જો અનભિલાપ્યપદવાચ્યતા ન હોય તો તો એ પદાર્થોની પણ “અનભિલાપ્ય” પદથી ઉપસ્થિતિ થઈ શકે જ નહીં.. પણ એ થાય તો છે. માટે એ બધામાં અનભિલાપ્યપદવાચ્યત્વ છે એ નિશ્ચિત છે... આમાં પ્રથમ નજરે, અનભિલાપ્ય કહ્યા પછી એ જ પદાર્થને (વાચ્ય=) અભિલાય કહેવામાં વિદતોવ્યાઘાત-વિરોધ દોષ ભાસે છે. એનો પરિહાર કરવો જરૂરી છે, કારણ કે અભિલાપ્યત્વ અને અનભિલાપ્યત્વ બને માન્ય છે. એટલે, “કોઈપણ પદથી અભિલાપ્ય હોય તે અભિલાપ્ય આવી સામાન્ય પરિભાષાને તિલાંજલિ આપીને કોઈ વિશેષ પરિભાષા માનવી જરૂરી છે. એ આ રીતે માની શકાય છે. પદવિશેષથી (=વિશેષપદથી) જે અભિલાપ્ય હોય તે “અભિલાપ્ય અને પદવિશેષથી જે અભિલાપ્ય ન હોય, માત્ર પદસામાન્યથી અભિલાપ્ય હોય તે, અભિલાપ્યપદાર્થથી ભિન્ન હોવાથી “અનભિલા....” શાસ્ત્રોમાં જે અનભિલાપ્યભાવો કહ્યા છે તેમાં ‘ઘટ'પદ, “પટ'પદ વગેરે રૂપ પદવિશેષના અભિલાપ્યત્વનો અભાવ છે, ને છતાં “અનભિલાપ્ય એવા પદસામાન્યના અભિલાપ્યત્વનો અભાવ નથી. માટે કોઈ વિરોધ રહેતો નથી. શંકા - એમ તો મનમિત્તાપ્ય એ પણ પદવિશેષ જ છે ને ! ને તવાગ્યત્વ તો આ પદાર્થોમાં તમે કહો છો જ ! સમાધાન - જેમ કંબુગ્રીવાદિમાન્ પદાર્થના વાચક તરીકે “ઘટ' એવું એક ચોક્કસ પદ છે... તાણાવાણાવાળા પદાર્થના વાચક તરીકે “પટ' એવું એક ચોક્કસ પદ (પદવિશેષ) છે.... આવું આ અનંતાનંત પદાર્થો માટે નથી... અર્થાત્ બધા માટે અલગ - અલગ પદ (પદવિશેષ) નથી... પણ બધા માટે વાચક તરીકે એક સામાન્ય (Common) મનમિત્તાપ્ય એવું એક જ પદ - માટે આ પદવિશેષ નથી, પણ પદસામાન્ય છે અને આવા પદસામાન્યનું અભિલાપ્યત્વ એ અનંતાનંત પદાર્થોમાં છે, માટે અમિતાપ્ય પદથી એ બધા વાચ્ય બને છે... અને તેથી એ અનંતાનંત પદાર્થોમાં નમિતાણપતવાત્વ જણાય છે, પણ સર્વપ વાળવામાંવ નહીં. શંકા - એમ તો સપ્તભંગીના ત્રીજા ભંગમાં, ચાહે ઘટ હોય કે ચાહે પટ હોય-બધા માટે ચાવીન્ય મેવ એ જ જવાબ હોય છે. એટલે કે માત્ર એ પણ પદસામાન્ય છે. ને તદ્વાચ્યતા ઘટ-પટ વગેરેમાં છે... માટે એ પણ મનમતાથ પદને સમાનાર્થક કેમ નહીં ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy