SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ વ્રતોને જાણતો નથી, સ્વીકારતો નથી અને પાળતો નથી- આ પ્રથમ ભાગો. વ્રતોને જાણે છે, સ્વીકારે છે અને પાળે છે.. આ છેલ્લો ભાગો.. શેષ આના પરથી જાણી લેવા ૪૭ અવઘ એટલે પાપ, એનાથી વિરત હોય તે વ્રતી. ૫ અણુવ્રતમાથી કોઇપણ એક ને છ માંથી કોઇપણ એક ભાગે સ્વીકારે તે એકન્નતી. ત્યારથી માડી બે વ્રતી વગેરેના ભાંગા કરવા યાવત્ છેલ્લે અનુમતિ આવે. અનુમતિ ૩ પ્રકારે... *પ્રતિસેવનાનુમતિ... કૃત કે પરત પાપને પ્રશંસે, અથવા તો સાવ આરંભથી બનેલ અશનાદિને આરોગે તે. * પ્રતિશ્રવણાનુમતિ... પુત્રાદિ પાપોને સાભળે, સાંભળીને અનુર્મોઠે, પણ નિષેધ ન કરે. * સંવાસાનુમતિ... પુત્રાદિની સાથે રહેવા માત્ર રૂપ.. આમાં પણ સાથ-સક્લિષ્ટ પુત્રાદિ પર મમત્વભાવ છે એ આ અનુમત્તિ છે. ઉત્કૃષ્ટ શ્રાવક સંવાસાનુમતિને છોડીને શેષપાપોથી વિરત હોય છે. આ બધા દેશિવરતના ભેદો છે. જીવ જ્યારે આ ચરમ સંવાસાનુમતિથી પણ વિરત થાય ત્યારે તે સર્વવિરત બને છે. દેશવિરતિલાભપ્રરૂપણા (૧) દેશવિરતિની પ્રાપ્તિની પ્રક્રિયામાં યથાપ્રવૃત્તિ અને અપૂર્વકરણ આ બે હોય છે. અનિવૃત્તિકરણ હોતું નથી. અપૂર્વકરણમાં પણ ગુણશ્રેણિ હોતી નથી. (૨) અપૂર્વકરણ પૂર્ણ થયા પછીના સમયે દેશવિરતિનો લાભ થઈ જાય છે. ત્યારે અપૂર્વ સ્થિતિઘાત–રસઘાત-સ્થિતિબંધ હોય છે. (૩) તેમજ એ જ સમયથી ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે. જ્યા સુધી આ ગુણ ટકાવી રાખે છે ત્યા સુધી પ્રત્યેકસમયે ઉદયાવલિકાની ઉપરના સમયથી અંતર્મુ૰ સુધીના નિષકોમાં ગુણશ્રેણિ રચના ચાલુ રહે છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy