SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૧૩ તેમજ એ કુતર્કોની ફેંકાબાજી તત્ત્વનિર્ણય માટે હોતી નથી. જેણે ખરેખર તત્ત્વનિર્ણય કરવો હોય એને તો, આ શાસ્ત્રપાઠના આજ સુધી જે જે આવા અર્થો થયા છે એ બધા કોઈ ને કોઈ રીતે અસંગત ઠરતા જોઈને જ વાસ્તવિક અર્થનો નિર્ણય થઈ જ જશે કે અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવો જોઈએ એવી પ્રેરણા કરવાના અભિપ્રાયથી જ આ શાસ્ત્રવચન કહેવાયું છે. પ્ર-૧૩ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તહેતુ અનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાન એમ પાંચ પ્રકારનાં અનુષ્ઠાનોની પ્રરૂપણા કરી છે. ને એમાંથી પ્રથમ ત્રણને હેય = ત્યાજ્ય અકર્તવ્ય જણાવ્યાં છે. આલોક સંબંધી લબ્ધિ વગેરે અપેક્ષાથી અનુષ્ઠાન કરાતું હોય તો એ વિષાનુષ્ઠાન છે ને પરલોક સંબંધી અપેક્ષાથી અનુષ્ઠાન કરાતું હોય તો એ ગરાનુષ્ઠાન છે. આ બન્નેને ત્યાજ્ય જણાવ્યા છે. એનાથી જ શું સૂચન નથી થઈ જતું કે ભૌતિક અપેક્ષાથી કરાતું અનુષ્ઠાન વિષ કે ગર હોઈ અકર્તવ્ય છે ? ઉ-૧૩ આ પ્રશ્નનો જવાબ વિચારતા પહેલાં એક વાસ્તવિકતા સમજી લેવી જોઈએ. તે તે શાસ્ત્રવચનો કયા સંદર્ભમાં આવ્યા છે તે વિચારવું જોઈએ. હું અહીં ત્રણ સંદર્ભો બતાવવા આવશ્યક માનું છું. (૧) નવા જીવોને ધર્મમાં જોડવા માટે- સ્થિર કરવા માટે અપાતા ઉપદેશનો અધિકાર (૨) જેને કોઈ ભૌતિક અપેક્ષા ઊભી થઈ છે એવો જીવ, એ અપેક્ષાના ઉપાયની જિજ્ઞાસાથી ગીતાર્થ ગુરુ પાસે આવ્યો હોય એ વખતનો અધિકાર (૩) જેઓ ધર્મમાં જોડાઈ ગયા છે, સ્થિર થઈ ગયા છે તેવા જીવોને આશયશુદ્ધિ વગેરે કરાવવાનો અધિકાર. આમાં ત્રીજા પ્રકારનો અધિકાર જે છે એમાં ‘ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ', ‘ધર્મ કર્મનિર્જરા માટે જ કરવો જોઈએ’, ‘ધર્મમાં કોઈ ભૌતિક અપેક્ષા ઘુસવીઘુસાડવી ન જોઈએ’, ‘ધર્મ આલોક-પરલોક માટે ન કરવો જોઈએ' વગેરે વાતો જરૂર આવે, પણ પ્રથમ બે અધિકારમાં આ બધી વાતો અપ્રસ્તુત કરે છે. એક ધર્મપરિણત શ્રાવકના બે પુત્રોમાંથી એક નિયમિત પૂજા કરનારો છે જ્યારે બીજો પૂજા કરતો નથી. બન્ને પુત્રના હિતેચ્છુ પિતાનું બન્ને પુત્રોને અપાતું માર્ગદર્શન જુદા જુદા પ્રકારનું હશે એ શું કલ્પી શકાય એમ નથી ? પ્રથમ પુત્રને એ શ્રાવક જરૂર કહેશે કે, ‘“તું આ પ્રભુપૂજા ડરે છે એ ખૂબ સુંદર વાત છે. પણ જો જે, એમાં કોઈ પૌદ્ગલિક ઇચ્છા ન રાખીશ, નિરાશંસભાવે કરો તથા કોઈ અવિધિ ન થાય એની કાળજી રાખજે, નહીંતર પૂજાનું જોઈએ એવું ફળ નહીં મળે, કદાચ સાવ નિષ્ફળ પણ જાય...'' વગેરે. પણ જે પૂજા કરતો જ નથી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004972
Book TitleTattvanirnaya
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShah Kantilal Chhaganlal
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy