SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તો પછી, તે રીતે ભૂમિમાં પણ કર્મની વિવેક્ષા હોય, તો મૂHિ પતિ પ્રયોગ પણ થઈ શકે. એમાં કોઈ વાંધો નથી. 93. પ્રશ્ન : धात्वर्थतावच्छेदकतावच्छेदक फले द्वितीयार्थान्वये एवाश्रयानवच्छिन्नफलोपस्थितेरपेक्षा ‘अग्नि जुहोति' इतिवारणाय स्वीक्रियते इति वदन्ति । દ્વિતીયાર્થના અન્વય માટે ફલની ઉપસ્થિતિ આશ્રયાનવચ્છિન્નત્વેન થવી જોઈએ એમ કહ્યું તે ધાત્વર્થતાવચ્છેદક રૂપ ફળ માટે નહી પરંતુ ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદકફલ માટે કહ્યું છે અને તે પણ નેિ ગુટ્ટોતિ એવા પ્રયોગના વારણ માટે કહ્યું છે એમ સ્વીકારવું આવું કેટલાક કહે છે. વિવેચન : મૂર્ષિ પતતિ પ્રયોગ ને ઈષ્ટ માનો, તો દ્વિતીયાર્થનો અન્વય, આશ્રયાનવચ્છિન્નફળમાં જ થાય, એ નિયમ નહીં રહે, કારણ કે ભૂમિ પછી રહેલ દ્વિતીયાર્થનો અન્વય અધઃસંયોગમાં થશે જે અધોદેશાવચ્છિન્ન છે. અને જો એ નિયમ નહીં માનો, તો મન મુદતિ પ્રયોગની પૂર્વોક્ત આપત્તિ આવશે. ઉત્તર : તે માટે અમે એવો નિયમ માનીશું કે ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક ફળમાં દ્વિતીયાર્થનો અન્વય કરવો હોય તો જ ફળની ઉપસ્થિતિ આશ્રયાનવચ્છિન્ન જોઈએ, ધાત્વર્થતાવચ્છેદક ફળમાં અન્વય માટે નહીં. એટલે, પૂર્ષિ પતતિ માં ધાત્વર્થતાવચ્છેદક ફળ આશ્રયાવચ્છિન્ન હોવા છતાં પણ દ્વિતીયાર્થનો અન્વય થશે. નં કુરત માં ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક ફળ (દુ ધાત્વર્થ અગ્નિસંયોગાવચ્છિન્નક્રિયાનુકૂળવ્યાપાર છે.) સંયોગ, આશ્રયાવચ્છિન્ન હોવાથી દ્વિતીયાર્થનો અન્વય નહીં થાય. તેથી શનિ ગુતિ પ્રયોગ નહીં થાય. ૭૪. तदपि न शोभनम् - तथा सति भूम्यादिपदोत्तरं कदाचित् सप्तमी कदाचिद् द्वितीयेत्यत्र नियामकाभावप्रसङ्गात् । વ્યુત્પત્તિવાદ % ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy