SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાન થયું? એનું શું કારણ? કારણ આ, કે (૧) એક તો કર્મ ખપાવવા બાકી હોય. એ ખપ્યા વિના શી રીતે કેવલજ્ઞાન થાય? (૨) બીજું એ કે વિહારના રસ્તામાં ગુરૂને ભેટવાની અને વંદનાની આતુરતા ખરી પરંતુ એટલી જોરદાર નહિ, કેમકે ત્યાં સમજ એવી છે કે “હજી તો રસ્તો સારો કાપવાનો બાકી છે તેથી એમ ક્યાં કાલ સવારે જ દર્શન-વંદન મળવાનો છે ?’ જ્યારે અહીં તો સમજે છે કે “કાલે સવારે જ દર્શન-વંદન મળવાના છે, તેથી આતુરતા જોરદાર એટલે શુભ ભાવના થઇ ગઇ. (૩) વળી પોતે ગામ બહાર છે અને મામા મહારાજ ગામની અંદર છે. એટલે જાણે એમ જ લાગે છે કે “મામા મહારાજ આ સામે જ છે !” તેથી માનસિક દર્શન થઇ રહ્યા છે એટલે પણ શુભ ભાવના વધી ગઇ. (૪) વા-૧ કલાક વહેલા હોત તો ગામમાં પહોંચી જઇ દર્શન-વંદન તરત મળત એના બદલે જરાક શા મોડા પડયા એમાં રાતભરનો અંતરાય થયો. એ વસ્તુ પોતાના પૂર્વ કર્મને લીધે થઇ. પોતે પૂર્વે કરેલ દુષ્કતના લીધે થઇ એટલે દુષ્કતની નિંદા કરવાનો અવસર અહીં મળ્યો તેથી જોરદાર દુષ્કૃતગર્તા થતાં ભાવના જોરદાર વધી ગઇ. આવી વસ્તુ વિહારના રસ્તામાં નહિ બનેલી. એમ તો જુઓને મૃગાવતીશ્રી સાધ્વીજીને ભગવાનના સમવરણમાં હતા ત્યાં કેવલજ્ઞાન ન થયું. કેમકે એવો કાંઇ ત્યાં દુષ્કતગર્તાનો મોકો નહિ મળ્યો. અને પછી મુકામે આવ્યા ને ગુરૂણી ચંદનબાળા તરફથી ઠપકો મળ્યો કે ‘કુલીનને મોડું આવવું શાભે નહિ. એના પર એ પ્રમાદની દુષ્કતગર્તાનો મોકો મળ્યો, એમાં ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી ગયા. આ હિસાબે આવા મહાન્ આત્માઓની આ જન્મનાં અને પૂર્વ જન્મનાં દુષ્કતોની નિંદા-ગાહ-સંતાપ કેટલા બધા જોરદાર હશે કે સહેજ વારમાં શુકલધ્યાન અને કેવલજ્ઞાન પામી જાય છે. ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy