SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ F હ ધ્યાન અને જીવન સાધ્વીજીએ એને સમ્યક્ત અને શ્રાવકનાં બાવ્રત સમજાવ્યાં. એવાં સમજાવ્યાં કે પોટ્ટિલાને લાગ્યું કે મનમાં અનિષ્ટને ટાળવાની અને ઈષ્ટ વિષય મેળવવાની ગડમથલ કર્યા કરતાં આ સમ્યત્વ અને વ્રતોની ભાવના જ કાં ન કર્યા કરું?” વાત પણ સાચી છે કે, વ્યર્થ વિષયચિંતા કરી મન આર્તધ્યાનથી બગાડવા કરતાં સમ્યકત્વ વ્રતોની ઉત્તમતા વિચારી વિચારી મનને એથી ભાવિત કરવું એમાં જ બુદ્ધિમત્તા છે. પોર્ફિલાએ સમ્યકત્વ સહિત વ્રતો સ્વીકાર્યા અને એને એવી સુંદર ભાવના સાથે પાળવા માંડ્યા કે પેલું દુઃખ તો ભૂલી, પણ હવે પતિનો વિશેષ આદર પામી. ત્યાગી, તપસ્વી, સંયમી જીવ કોને વહાલો ન લાગે ? માનવજીવન વિષયોને મહત્વ આપવાને બદલે પરમાત્માના માર્ગને મહત્ત્વ આપવા માટે છે, વિષય ભાવનાને છોડી માર્ગ-ભાવના કરવા અર્થે છે. આ સત્ય સમજી જવાથી પોટ્ટિલાના ચિત્તને અનિષ્ટ ટાળવાનું આર્તધ્યાન મટી મહાશાંતિ થઈ ગઈ અને સત્કર્તવ્યમાં લાગી ગઈ. સુદર્શન શેઠે પણ આક્ષેપને મહત્ત્વ ન આપતાં અહિંસાને મહત્ત્વ આપ્યું. આર્તધ્યાન ક્યાં રહે ? આક્ષેપ આવ્યો ત્યાં પણ એ સંગીન વિચાર હતો - “આક્ષેપ આવ્યો તો ભલે આવ્યો. એવાં ય કર્મ હશે ત્યારે આવ્યો ને ? ફિકર નહિ. સહર્ષ વેઠી લેવાનાં. પરંતુ અહિંસાનો મર્મ નહિ ચૂકવાનો' - આ હિસાબ હતો. કર્મના ઉદયને અકાટ્ય સમજી રખાય, પછી એનાથી ઊભા થતાં અનિષ્ટ માટે હાયવરાળા શા સાર થાય ? “એ કેમ ટળે, કેમ ટળે ?' એવો વલોપાત અને આર્તધ્યાન શું કામ થાય ? ત્યારે જો એ વલોપાત નહિ, તો પછી અહિંસાનો મર્મ કમાવાની તક શા માટે જતી કરાય ? આ સમજી લેવા જેવું છે કે, આપણે સુકૃતના કેટલાય સોનેરી અવસર કોઈ ને કોઈ આર્તધ્યાનના લીધે ગુમાવીએ છીએ : તેથી જો આર્તધ્યાનને નિવારવા-અટકાવવાનું કરીએ, તો (૧) સુકૃતના અવસરને બચાવી લેવાય. (૨) કર્મના અટલ ઉદય પર જાગતી નજર રાખવાથી અનિષ્ટ પર એકાંત દ્વેષ થતો અટકે. (૩) વૈષ થાય તો કર્મ પર થાય, એટલે (૪) એને કાઢવાની શુભ બુદ્ધિ જાગે અને (૫) અનિષ્ટ ટાળવાનું આર્તધ્યાન ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy