SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 0 તે ધ્યાન અને જીવન | આગળ આ જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્ય ભાવનાનો વિચાર ધર્મધ્યાનની ભૂમિકા રૂપે આવવાનો છે, ત્યાં વિસ્તારથી વિચારાશે. અહીં તો માત્ર, “ભાવના' શી છે, એ બતાવવા દિગ્દર્શન કર્યું, એ પરથી સમજાયું હશે કે “ભાવના” એટલે કોરી વિચારણા કરવાની નથી, પરંતુ જ્ઞાન દર્શન આદિની તે તે પ્રવૃત્તિ કરી મનને એની સાથે ઓતપ્રોત કરીને ચાલવાનું છે. એવું એ આત્માને પણ ભાવિત યાને રંગાયેલો કરતું જાય, એ ભાવના છે. એનાથી ચિત્તને ધ્યાન માટે જરૂરી સ્થિરતા સુલભ બને છે. અલ્પ પણ સાધનામાં ભાવના : તમે સંસારમાં હો અને ચોવીસે કલાક આ પ્રવૃત્તિ ન કરી શકો, છતાં જેટલી કરો એ બધીની સાથે સાથે ભાવનાભર્યા મનની પણ એમાં કામગીરી ચાલુ હોય એ ભાવના છે અને એ સુંદર ધ્યાનની ભૂમિકા સરજતી જાય છે. સવાલ આટલો કે મન એમાં રંગાતું રહે એવું લાગવું જોઈએ. નાગકેતુએ બાળપણે એટલે કે જન્મ પછી તરત જેવામાં જ અક્રમ કરેલો, તે આ “ભાવના' તત્ત્વની સાથે પછી પણ મોટા થયે શ્રાવકપણાના આચાર-અનુષ્ઠાન આચરતા તે આ જ રીતે. એમાં એકવાર ભગવાનની પુષ્પપૂજા પણ આ “ભાવના સાથે કરી રહ્યા હતા, જીવનમાં રોજ ચોવીસે કલાક નહિ પરંતુ જ્યારે જ્યારે સાધનામાં રહેલા ત્યારે ત્યારે આ “ભાવના સાથે રહેલા. એનું ફળ કેવું આવીને ઊભું રહ્યું કે ધ્યાનની જબરદસ્ત ભૂમિકા ઊભી થઈ ગઈ અને એ પુષ્પપૂજા કરતાં કરતાં પુષ્પ કરડિયામાંથી નાના સર્પનો દંશ થયો, ઝણઝણાટી થઈ, કે તરત ભાવનામાંથી ધ્યાનમાં ચડી ગયા ! તે ય ધર્મધ્યાન અને પછી શુક્લધ્યાનમાં ! અને ત્યાં ને ત્યાં એ જ વખતે મોહનીયકર્મ અને પછી બીજા ત્રણ ઘાતી કર્મનો સંપૂર્ણ નાશ કરી કેવળજ્ઞાન પામ્યા ! વીતરાગ સર્વજ્ઞ બન્યા ! વીતરાગને ભજનારો વીતરાગ ન બને ? બને, જરૂર બને, પરંતુ “વીતરાગ પર દિલ ઓવારી જાય, વીતરાગતા પર દિલ ઓવારી જાય અને એમણે ફરમાવેલી સાધના જ્ઞાનભાવના રૂપ, દર્શનભાવના ચારિત્રભાવના કે વૈરાગ્ય ભાવના રૂપ આચરાય. “ભાવના' તત્ત્વથી મઘમઘતી સાધના આરાધાય, તો એમાં પછી સહેલાઈથી ધ્યાન લાગે અને વીતરાગતાએ પહોંચાય. જીવ સંસારમાં એકાંતે રચ્યો-પો રહેવાથી રાગદ્વેષાદિ ભરપૂર અને સતત ચાલ્યા કરે છે, તેથી ચિત્ત ભારે ચંચળ રહે છે. એના એ સળંગ રાગાદિમાં ગાબડાં પડે, તો ચંચળતા ઓછી થાય અને આ ગાબડાં પાડનાર જ્ઞાનાદિભાવના છે. એ આત્માને જ્ઞાનાદિથી ભાવિત કરે છે, તેથી જ રાગાદિમાં અલના ઊભી થાય છે. એટલે જ ધ્યાન માટે જરૂરી સ્થિરતા સુલભ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy