SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાનના બીજા લક્ષ્ણો ૨૧૫ લેવા શું કામ જાઉં ?' આમ કપિલના કહેવા પર મરીચિનું મન વિહ્વળ થયું કે ‘લાવને ત્યારે મારે શિષ્ય તો જોઈએ જ છે ? ને આ મારે યોગ્ય પણ છે, તો આને હવે શિષ્ય કરી લઉં ! આમ વિહ્વળતા આવી આર્તધ્યાન આવ્યું, ત્યાં જિનમતની અપેક્ષા ગઈ, જિનમત કહે છે કે ‘કુલિંગમાં મિથ્યાવેશમાં ધર્મ ન હોય,' પણ મરીચિને એ જિનમતની અવગણના એવી, તે એ કહે, ‘ભાઈ ! ધર્મ તો ત્યાં પણ છે ને અહીં પણ છે ! આમ જિનમતની પરવા ન રાખીને ઉત્સૂત્રભાષણ કર્યું એથી એનો કોડાકોડી સાગરોપમ વર્ષ જેટલો સંસાર વધી ગયો. જિનમતની પરવા રાખી હોત, તો ભલેને કપિલ લલચાવે પણ એમાં જોયું હોત કે ‘આમ શિષ્ય કરવા જાઉં એમાં તો કુલિંગ પર ધર્મનો સિક્કો મારવો પડે, ને જિનમત એમ કહે છે કે કુલિંગમાં ધર્મ ન હોય, કુલિંગને ધર્મ ન કહી શકાય. તો કુલિંગમાં ધર્મ કહીને જિનમત અવગણી મારે શિષ્ય નથી કરવો, આમ જિનમતને વળગી રહેવાનું કર્યું હોત, તો શિષ્ય કરવાની વિહ્વળતા ન થાત. પરંતુ જિનમતની અપેક્ષા મૂકી દીધી, ગણના છોડી અવગણના કરી તો એમાં શિષ્ય કરવાનું આર્તધ્યાન પોષાયું. એટલે અહીં શાસ્ત્રકારે કહ્યું કે જિનમતની અપેક્ષા-પરવા ગણના ન રાખનારો આર્તધ્યાન અને ખોટી વિહ્વળતા છોડે નહિ. ધરાર દેખાતું હોય કે આ જિનમતથી વિરુદ્ધ બોલે છે, વિરુદ્ધ મનાવે છે. તો પછી એનું ચિત્ત સ્વસ્થ કયાંથી હોય ? એ તો કોઈને કોઈ ઈષ્ટની-અનિષ્ટની ગડમથલમાં પડયો હોય. માટે જ ઈષ્ટની આડે આવનાર જિનમતને બાજુએ મૂકી દઈ ઈષ્ટ મેળવવા-રાખવા કે અનિષ્ટને ન રાખવા એ મથી રહ્યો છે. સામાન્ય રીતે માણસના બોલ અને ચાલ હૈયાનું પ્રતિબિંબ છે. દિલમાં જિનમતની બેપરવા હોય એ વાણી અને વર્તાવમાં ઊતરી પડે છે. એ જોઈને સમજાય કે આને જિનમતની પરવા નથી; ને એની પાછળ કોઈ આર્તધ્યાન રમી રહ્યું છે. આપણી જાત માટે પણ સમજાય કે ‘જો મને જિનમતની બહુ અપેક્ષા નથી રહેતી, અને જિનમતને બાજુએ રાખવાનું મન થાય છે, તો મારામાં કોઈક આર્તધ્યાન બેઠું છે.’ માણસ ધ્યાન ન રાખે તો જિનમતને અવગણવાનું ઘણા પ્રસંગોમાં બની શકે છે. દા.ત. આજે મનાવે છે કે ‘વિજ્ઞાનની સગવડે ચંદ્ર પર વિમાન ગયું. ને ત્યાં માટી લઈ આવ્યું.’ ત્યાં એની સત્યતાની ઉંડાણથી તપાસ કર્યા વિના માની લે કે, આ પ્રત્યક્ષ પ્રમાણ સાચું, શાસ્ત્રે કહ્યું છે તે વિચારણીય છે,' તો આમાં જિનમતને અવગણ્યું ગણાય. એમ રાત્રિભોજન-ત્યાગની વાત આવે ત્યાં મનને લાગે કે ‘આજે દેશકાળ-રિવાજ ફરી ગયા, ત્યાં એ શે પળે ? અને રાત્રિ ભોજનનું પાપ જુઓ છો પણ ભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy