SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન અનંતાનંત કાળથી જીવનો જાણે સ્વભાવ પડી ગયો છે કે દુન્વયી ઈષ્ટ-અનિષ્ટ વસ્તુ કે પ્રસંગ પર હરખ-ખેદ ઝટ થઈ જાય. એના પર જ જોયું ને કે પેલી તીર્થાધિરાજ પર ભક્તિ કરવાના પ્રસંગે પણ ફૂલમાં બે રૂપિયા ગુમાવ્યા પરના ખેદે લાખ રૂપિયાની ભક્તિ ડહોળી નાંખી ! ઊંચા શુભ અધ્યવસાયની વચમાં હલકું આર્તધ્યાન ઘુસી ગયું ! તુચ્છ વસ્તુના હરખ-ખેદ અને એના પરનાં આર્તધ્યાન કેમ ખતરનાક ? એટલા માટે કે એ મહાન પણ સત્કૃત્ય અને શુભ અધ્યવસાયના પ્રસંગને ડહોળી નાંખે છે. આર્તધ્યાન રોકવા ૨ ઉપાય ઃ આ સૂચવે છે કે કાયા અને વાણીથી સારાં સુકૃતો સત્કૃત્યો કરવાં હોય મનમાં ઊંચી શુભ ભાવની લહેરી લહેરાવવી હોય, તો એની આ ભૂમિકા તૈયાર કરો કે, (૧) દુન્વયી લાભાલાભની વસ્તુ કે બાબત તુચ્છ લાગે, મન એને તુચ્છકાર્યા કરે કે ‘તું કુછ નહિ, કોઈ વિસાતમાં નહિ. અવસરે મોટા ચક્રવર્તિઓ તને ફેંકી દઈ ત્યાગ ધર્મ લે છે. છેવટે યમરાજ તો તને તરછોડાવેજ છે. ૧૮૦ (૨) આવો તુચ્છકાર ઊભો કર્યા પછી, એને તુચ્છ લેખ્યા પછી, એના અંગેના હરખ-ખેદ ઓછા કરો, બંધ કરી દો. તો જ પછી સત્કૃત્ય-સદ્ભાવનાને એ દખલ નહિ કરે, ને આર્તધ્યાન નહિ થવા દે. કિંમત કોની ? આશ્રવની ! કે સંવરની ? ‘ફૂલમાં બે રૂપિયા ગુમાવ્યા એ કોઈ ચીજ નથી, એની કોઈ વિસાત નથી, કિંમત ધર્મક્રિયા-ધર્મપરિણામ ન ડહોળાય એની છે.' એમ જો મનને બરાબર લાગી જાય, તો પછી એનો ખેદ શો ? અને પૂજાભક્તિમાં એની દખલ શાની થાય ? અને પેલી બિનકિંમતી ચીજના વિચારથી મહાકિંમતી સંવરમાર્ગને ડહોળીએ એનો પ્રત્યાધાત કેવો પડે ? આપણું મન ફૂલમાં ગુમાવેલા બે રૂપિયાને કિંમતી માને છે ? કે સુંદર જિનપૂજાની ક્રિયામાં રહેતા અખંડ ઉત્તમ અધ્યવસાયને ? ભૂલશો નહિ, રૂપિયાનો પ્રેમ તો આશ્રવ તત્ત્વ છે, જીવને કર્મબંધન કરાવનારું તત્ત્વ છે, ત્યારે પૂજા-ભક્તિના ઉત્તમ ભાવ એ સંવર માર્ગ છે. એટલે રૂપિયાને મહત્ત્વ આપી આપણે આશ્રવને કિંમતી માનનારા બન્યા ને ? એની સામે સંવરને કિંમત વિનાનું ગણ્યું ને ? સંવરને કિંમત વિનાનું અને આશ્રવને કિંમતી ગણે ત્યાં સમ્યક્ત્વ રહે ? આ ખૂબ ધ્યાનમાં રાખવા જેવું છે કે જો આપણે જીવની જુની ઘરેડથી લક્ષ્મી અને ઈન્દ્રિયોના વિષયોને મહત્વ આપવાનો દુરાગ્રહ રાખીએ તેમજ અહંત્વ-રાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy