SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન છે. ત્યારે ત્યાગમાં પુણ્યની ભરતી થાય છે. બોલો ભાગ્યશાળી કોણ ? પુણ્ય સફાચટ કરનારો ? કે પુણ્યની કોઠી ભરનારો ? ૧૬૬ સુરસુંદરીના ગણિતવાળા ન થો, મયણાસુંદરીના ગણિતવાળા બનજો. સુરસુંદરીને બાપે પૂછતાં એણે એ કહ્યું કે ‘પુણ્યથી ધન-યૌવન-ચતુરાઈ-તગડી કાયા અને મનગમતા સ્નેહી મળે.' અર્થાત્ ધન-યૌવનાદિ મળે-ભોગવે એ પુણ્યશાળી. એટલે કે ‘પુણ્ય સફાચટ કરે એ પુણ્યશાળી.' ત્યારે મયણાસુંદરીએ કહ્યું, ‘વિનય-વિવેક-સુપ્રસન્ન-પ્રશાંત મન, શીલ-સુશોભિત દેહ અને મોક્ષમાર્ગનો યોગ મળે, એ પાળે એ પુણ્યશાળી.' કેમ એમ ? એટલા જ માટે કે આ બધાથી પુણ્યની કોઠી ભરાય. ‘પુણ્યની કોઠી ભરે એ પુણ્યશાળી' આ મયણાસુંદરીનું ગણિત. એથી જ ભવાંતરે સલામતી, ને મોક્ષની નિકટતા. નિયમ-પ્રતિજ્ઞા કરીને એ દ્વારા જેટલી પરની લાલચને દાબો એટલું પુણ્ય વધે અને આત્માનું સત્ત્વ ખીલે, રસત્યાગમાં આ લાભ મળે છે. આ ચોથા બાહ્ય તપની વાત થઈ. (૫) કાયકષ્ટ તપમાં કાયાને ધર્મના અર્થે અને કર્મક્ષયના અર્થે જેટલી કષ્ટિ આપો, એટલાં કર્મ ખપે. મંદિરે ગયા, સીધા જ પ્રભુની આગળ જઈ દર્શન કરવા ઊભા રહેવાને બદલે પહેલાં પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપો એટલું આ કાયકષ્ટ થયું. પણ ત્યાં જો માંડવાળ કરી કે ‘કોણ આ લાંબી લાંબી પ્રતક્ષિણા ફરવા જાય ? ચાલો સીધા દર્શન, સ્તુતિ, નમસ્કાર કરી લઈએ.' એમ કરી જો પ્રદક્ષિણા ટાળી તો એટલો કાયકષ્ટ-તપ હાથવેંતમાં છતાં ગુમાવ્યો ! એટલી પ્રદક્ષિણા ફરવામાં શો બહુ સમય લાગે છે ? કે ક્યાં બહુ ટાંટિયા દુઃખી જાય છે ? આમ તો કોઈની સાથે વાતે લાગ્યા કેટલો ય સમય ક્યાં ફોગટ નથી ગુમાવતાં ? શરમના માર્યા ય ઈચ્છા નહિ છતાં વાતમાં ઊભા રહેવું પડે છે ને ? ત્યાં ક્યાં સુકોમળ પગ દુઃખવા લાગી ગયા ? અહીં એક ત્રણ પ્રદક્ષિણા માત્રના કષ્ટથી, પરમાત્માની પ્રત્યે મહાન વિનય બતાવવાનો અવસર આવ્યો, ત્યાં કાયકષ્ટથી ગભરાવાનું ? સમયનો હિસાબ ગણવાનો ? માનવકાયાનો શો ઉપયોગ ? : દેવભક્તિ, સાધુ-સેવા, સંઘ-સાધર્મિક વૈયાવચ્ચ અને ધર્મનાં અનુષ્ઠાન તથા જીવજયણા વગેરેમાં કાયાને જેટલું કષ્ટ આપો એટલો એ તપ થાય અને તે વિપુલ કર્મક્ષય કરી આપે ! માનવકાયાનો બીજો શો સદુપયોગ છે ? એક દિ' એ લાકડામાં જવાની છે. એમાંથી કસ કાઢી લો, સત્ત્વ ખેંચી લો, એટલું કમાવાનું થશે. ભૂલતા નહિ - માનવકાયાથી જ આ કર્મક્ષયાર્થે કષ્ટ સહી સહીને સર્વવિરતિ ચારિત્ર સુધી પહોંચવાનું અને એ આદરવા-પાળવાનું શક્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy