SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮)ની ધ્યાન અને જીવન - બાહ્ય ગમે તે સંયોગો આવો, એ વખતે મહાન પુરુષો મનમાં કેવા ભાવ ઉઠાડવા એના પર પોતાનો અધિકાર અજમાવીને સારા જ ભાવ મનમાં મહેકાવાનું કરે છે. તેથી જ ગમે તેવા વિકટ સંયોગોમાં પણ એ શાંત સ્વસ્થ પ્રસન્ન રહી શકે છે. એટલે જ મુનિ વેદનામાં આર્તધ્યાન નથી કરતા. એ જુએ છે કે બહારના સંયોગ અને બહારની ઊભી થયેલ રોગની પરિસ્થિતિ કર્મને આધીન છે, એના પર આપણો અધિકાર બનાવ્યો નિરર્થક છે, કિન્તુ આપણા મન પર અધિકાર ચાલી શકે એને આ વિચાર કરાવી શકીએ કે “આ રોગ કર્મજન્ય છે, માટે કશી આકુળ વ્યાકુળતા કરીશ નહિ.” મન પર અધિકાર બનાવીને મનને ખરાબ થતું અટકાવી શકાય. શરીરના રોગનો વિચાર તો આવે, પરંતુ એને “હાય ! વોય ! શું કરું? વગેરેના વિચારમાં ચડતું અટકાવી “આ રોગ એ મારાં પૂર્વ કર્મનો વિપાક છે. પણ એ તો જડ શરીરને બગાડનારી ચીજ છે, કિન્તુ મારા ચેતન આત્માના જ્ઞાનાદિ ગુણને બગાડનારી ચીજ નહિ. પછી ચિતા શી? બસ, મન ન બગડવા દેવા આટલું જ કરવાનું - (૧) જડના રંગ પર મનમાં હરખ-શોકની લાગણી ઉઠતી દબાવી દેવાની, (૨) વસ્તુ તત્ત્વની નિર્મળ વિચારણાને જગાવવાની, ને (૩) જડની પ્રત્યે ઉદાસીનભાવ ઊભો કરવાનો. શ્રીપાળ પણ મન પરના અધિકારને બજાવતા હોવાથી, ગમતું બનો કે અણગમતું, આર્તધ્યાનથી બચી મનને શાંત-સ્વચ્છ-પ્રસન્ન રાખી શકતા. ધવલના સુભટો પર જીત થઈ તો એ હરખઘેલા ન બન્યા, ધવલ પર ભારે દ્વેષવાળા ના થયા અને એનું પરિણામ આ કે ધવલે શ્રીપાળને મારી નખાવવાની કોશીશ કર્યા પછી વહાણ ચલાવી આપવા એ હવે કરગરે છે, તો એને શ્રીપાળે રીસથી ધુત્કારવાનું ન કર્યું ! ક્યારે આ બને ? જડના રંગ પર મનમાં બહુ રાગ-દ્વેષના રંગ ઉઠવા દેવા ન હોય, જડ ભલે સારું-નરસું થાય, મન રાગ-દ્વેષી નહિ કરવાનું. જડના રંગ ફર્યો મનના રંગ ફરે? : કઠિન લાગે છે ને આ ? બાહ્ય જડના રંગ ફરે, એમ આપણા મનના રંગ, ફેરવવાનો અનંતાનંત કાળનો અભ્યાસ છે. શું આપણા પર કોઈનો ફોર્સ (દબાણ) છે કે આપણે આપણાં મનનાં રંગ ફેરવવા જ જોઈએ ? ના, કોઈનું ય દબાણ નથી, કોઈ નિયમ નથી કે જડના રંગ પર મનના રંગ ફેરવવા જ પડે. પાડોશીને ત્યાં પૈસા સારા આવે કે ખોટ જાય, તો તમારા મનમાં હરખ-ખેદ થાય છે ? ના, કેમકે તમે માન્યું છે કે “એના નફા-તોટા સાથે મારે શો સંબંધ ?' એટલે નિયમ ન રહ્યો કે જડના રંગ પર મનના રંગ ફેરવવા જ પડે. પ્ર. - પણ એ તો પારકાને ત્યાંના પૈસા પર નહિ, કિન્તુ પોતાને ત્યાંના પદાર્થ ઉપર તો રંગ ફરે જ ને ? ફેરવવા જ પડે ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy