SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરજન્મ અને એમના હાથપગ સુંવાળા અને કમળ બની જશે. તેઓ સુંવાળી પથારી પર રૂનાં ઓશિકાં લઈ ને સૂર્યોદય સુધી ઊંધ્યા જ કરશે. ત્યારે મગધરાજ અજાતશત્રુ તેમને મર્મ કળી, તેમના પર ચડાઈ કરશે.” (એપમ્મસંયુત્ત. ૧૦ ૧, સુ૦ ૫.) બીજે એક પ્રસંગે પણ તેમના ગુણે વર્ણવતાં બુદ્ધ કહે છે, “આનંદ, વજજીઓ (લિચ્છવીઓ) વારંવાર સંમેલન કરે છે, તથા એ સંમેલનમાં લગભગ બધાયે એકઠા થાય છે; સઘળા સાથે જ બેસે છે, સાથે ઊઠે છે, અને સાથે જ કામ કરે છે, જે કાયદે પોતે ન કરેલ હોય તેને અમલમાં નથી મૂકતા, જે કાયદો ઘડ્યો હોય તેનો ઉચ્છેદ નથી કરતા, તથા પિતાના પૂર્વજોને પ્રાચીન ધર્મમાં ચાલ્યા આવે છે; પોતાના વડીલોને સત્કારે છે, માન આપે છે, પૂજે છે અને તેમનું કહ્યું માને છે; કુલકુમારીઓ તથા કુલસ્ત્રીઓને ઉપાડી નથી જતા તથા તેમના પર બળાત્કાર નથી કરતા; પોતાનાં આત્યંતર તેમજ બાહ્ય ચૈત્યને સત્કારે છે, માન આપે છે, પૂજે છે, તથા પરાપૂર્વથી તે ચને અપાતા આવેલા ધાર્મિક બલિ આપવામાં બેદરકાર નથી રહેતા; અરહંતના એગ્ય રક્ષણ માટે તથા તેમને ઉચિત આશ્રય આપવા માટે તેઓએ બંદેબસ્ત કરેલો છે, જેથી દૂરથી અરહંતે તેમના દેશમાં આવે અને આવેલા હોય તે સુખરૂપ વિહાર કરે. હે આનંદ ! જ્યાં લગી વજઈએ એટલું કરે છે, ત્યાં લગી તેમની ઉન્નતિ જ થશે, અવનતિ નહીં થાય.” (મહાપરિનિખાન સુત્ત). લિચ્છવીઓ આ પ્રમાણે દઢ કસાયેલા શરીરવાળા, સાવધાન, અપ્રમાદી તથા વૈભવશાલી હતા એટલું જ નહીં, પણ સાધુસંતોના આદરમાં ઉત્સાહી, તથા તેઓ પોતાના દેશમાં આવે અને સુખે ફરે એ વાતની કાળજીવાળા હતા. બુદ્ધને તેમજ બૌદ્ધ સાધુસંઘને તેમણે કેટલાંય ચૈત્યો, આરામ, શાલાઓ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy