SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા “એક વખત શીલવતી કેટલીક ઉત્તમ માળાએ લઈ રાજમાર્ગ ઉપર વેચવા ઊભી હતી, તેવામાં દૈહિલ નામે કાટાધિપતિ વહાણવટીએ તેને જોઈ. તેના રૂપથી મેાહિત થયેલા તે શેઠે તેની પાસેથી તે માળાઓ અનેકગણા દામ આપીને ખરીદી; અને રાજ તેની માળાએ પેાતાને જ વેચવાના શીલવતીને આગ્રહ કર્યો. શીલવતીને કંઈ વહેમ ગયા નહીં, અને તે તે પેાતાને મળતા મબલક ધનથી સંતુષ્ટ થઈ, તેના કહ્યા પ્રમાણે બધી માળાએ તેને જ વેચવા લાગી. એક વખત પરદેશ ઊપડવા માટે વહાણુ તૈયાર થયાં ત્યારે દહિલે શીલવતીને કહ્યુ કે, હું કાલે પરદેશ જવાના છું; વહાણ ઊપડે તે વખતે મારે પુષ્પા માળા વગેરેની જરૂર પડશે; માટે તમે તે સર્વ સાથે લઇ સમુદ્ર કિનારે બંદર ઉપર આવશે. શીલવતી બીજે દિવસે કશા અંદેશા રાખ્યા વિના બંદરે જેવી ગઈ, તેવી જ તેને વહાણમાં ઉપાડી લઈ, દૈહિલે વહાણુ હંકારી મૂકયું. “ આ તરફ નવિક્રમ કુમાર શીલવતીને આવવામાં વિસ્ થતાં આમતેમ શોધ કરવા લાગ્યા. પેલાં બાળકે પશુ મા વિના ઘેાડી વારમાં ઉદ્વેગથી તથા ભયથી ચીસા પાડવા લાગ્યાં. તે એને સાથે લઈ નરવિક્રમ શહેરના રસ્તાઓમાં કુરતા ક્રૂરતા બહાર નદીકિનારે આવી પહેાંચ્યા. બાળકાને ભેખડ ઉપર મેસાડી, પાતે નીચે ઊતરી કિનારે તપાસ કરવા લાગ્યું; એવામાં મનવાકાળ તે ધાડાપૂર અણુધાયુ ચડી આવ્યું, અને નરવિક્રમ તણાતા તણાતા કાઈ દૂરના પ્રદેશમાં નીકળી ગયા. આમ એક પછી એક આવેલી દુ:ખપરંપરાઓથી હતાશ થઈ કિનારા ઉપર કાઈ વૃક્ષની છાયામાં પડચો પડયો તે સ્ત્રી-પુત્રની ચિંતા કરે છે, તેવામાં ત્યાંના જયવન નગરના કીર્તિવાઁ નામે રાજા અપુત્ર મરણ પામવાથી નગરજને એ હાથી છૂટા મૂકેલા, તે વેગથી તેના તરફ દોડતા આવ્યેા. ૬.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy