SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા માદીને ભદ્રા નામની પત્નીને પેટે જિનપાલિત અને જિનરક્ષિત નામે મે પુત્રા થયા હતા. તે બને સાહસિક વહાણવટી હતા; અને અગિયાર વાર સમુદ્રની મુસાફરી કરીને અપાર સંપત્તિ ધસડી લાવ્યા હતા. તેમ છતાં ફરી એક વાર તેઓ માતપિતાની નામરજી છતાં દરિયાઈ સફરે નીકળ્યા. પરંતુ આ વખતે સમુદ્રમાં દૂર ગયા બાદ અચાનક તેાાન ચડી આવ્યું, અને વહાણુ ખરામે ચઢી નાશ પામ્યું. એ ભાઈ એના હાથમાં ભાગ્યયેાગે એક મેટું પાટિયું આવી ગયું. તેને આધારે .તરતા તરતા તે એક અદ્ભુત દ્વીપ પાસે આવી પહોંચ્યા. ત્યાં એક દેવી પેાતાના ભવ્ય મહેલમાં રહેતી હતી. તે આવીને તે અને ભાઈ આને અળાકારે પેાતાતા મહેલમાં લઈ ગઈ, અને તેમની સાથે કામસુખા ભાગવતી વિહરવા લાગી. તે તેમને અમૃત જેવાં મીઠાં ફળ લાવી આપતી, અને તેમની સાથે પત્નીની જેમ રહેતી. એક વખત તે દેવીને શક્રની આજ્ઞાથી લવણુસમુદ્રને એકવીસ વાર આંટા ફેરા કરીને સાફ કરી આવવા જવું પડયું. જતાં જતાં તે પેલા એ ભાઈ એને કહેતી ગઈ કે, તમે હું આવું ત્યાં સુધી અહીં જ રહેજો. મારા વિષેાઞથી તમને ન ગમે, તે દક્ષિણ દિશા સિવાય બીજે બધે આ દ્વીપમાં યથેચ્છ ફરજો અને આનદ કરો; પરંતુ ભૂલેચૂકે દક્ષિણ દિશામાં ન જતા, કારણ કે ત્યાં દૃષ્ટિમાત્રથી જ ભયંકર વિષ સાપ રહે છે. મરણ પમાડે તેવા ૧૪ દેવીના ગયા પછી તે ભાઈ એ આજુમાજીના વનખડામાં આનંદથી કરવા લાગ્યા. પરંતુ દક્ષિણ દિશા તરફ જવાની તેમને મનાઈ હાવાથી જ તે દિશા તરઃ જવા તેમનું મન ઉત્સુક રહેવા લાગ્યું, છેવટે એક દ્વિવસ નિશ્ચય કરીને તેઓ તે દિશા તરફ જ ગયા. દૂર જતાં એક ભયંકર . વધસ્થાન તેમની નજરે પડયું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy