SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસથી ચાવીસમા સુધીનાં વ રીતે સ્વીકારી, તેમની આજ્ઞા મુજબ ચાલવા લાગ્યા. ભગવાનના વૃદ્ધ શિષ્યા ( સ્થવિરેશ ) પાસે તે શાસ્ત્રાદિ ભણ્યા, અને પછી ભગવાનની પરવાનગીથી તેમણે એક પછી એક એમ ભિક્ષુની બારે પ્રતિમાએ આરાધી. રૂપ. તે પ્રતિમાઓને વિધિ આ પ્રમાણે છે : ૧. ગચ્છથી બહાર નીકળી, જુદા રહી, એક મહિના સુધી અન્ન અને પાણીની એક હૃત્તિ વડે જ જીવવું, તે પહેલી પ્રતિમા કહેવાય. ત્તિ એટલે દાન દેનાર જ્યારે અન્ન કે પાણી દેતા હોય, ત્યારે દેવાતા અન્ન કે પાણીની જ્યાં સુધી એક ધાર હાય અને તે એક ધારમાં જેટલું આવે તેટલું જ લેવું, ધાર તૂટ્યા પછી જરા પણ ન લેવું તે. ૨-૭. બીજી પ્રતિમામાં એ માસ સુધી અન્ન અને પાણીની એ વ્રુત્તિ લેવાની હોય છે. તેમ ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી પ્રતિમામાં અનુક્રમે ત્રણ-ચાર-પાંચ-છ-અને સાત વ્રુત્તિએ અનુક્રમે ત્રણ-ચાર-પાંચ-છઅને સાત માસ સુધી લેવાની હોય છે. ૮. આઠમી પ્રતિમામાં સાત રાત્રીદિવસ પાણી પીધા વિના એકાંતર ઉપવાસ કરવાના હાય છે; પારણામાં આંખેલ જ કરવાનું હાય છે. ૯. નવમી પ્રતિમામાં તેટલાં જ જ ઉભડક રહેવાનું હેાય છે, તથા સૂવાનું હાય છે. રાત્રીદિવસ, તે પ્રમાણે વાંકા લાકડાની પેઠે ૧૦. દશમી પ્રતિમામાં પણ તેટલાં જ રાત્રીદિવસ તે પ્રમાણે જ ગેદેહાસન અને વીરાસનમાં રહેવાનું તથા સàાચાઈને બેસવાનું હોય છે. ૧૧. અગિયારમી પ્રતિમામાં પાણી વિનાને છ ટકને ૧. જુઓ આગળ પા. ૩૪૪ નાં. ૧.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy